T-20 World Cup 2021: ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા (sania mirza) ટી 20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના દિવસે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું વિચારી રહી છે.
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન સોશિયલ મીડિયા (Social media) પર દુશ્મનીભર્યા વાતાવરણને કારણે તેણે આ નિર્ણય લીધો છે. આ બે ટીમો બે વર્ષ પછી એકબીજા સાથે રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 16 જૂન 2019 ના રોજ માન્ચેસ્ટરમાં વર્લ્ડ કપ દરમિયાન રમાઈ હતી. ટી 20 વર્લ્ડ કપમાં, 24 ઓક્ટોબરે આ બે કટ્ટર હરીફ વચ્ચે મેચ રમાશે.
સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયાથી દૂર
ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ (Instagram)પર એક રીલ શેર કરી અને લખ્યું, ભારત અને પાકિસ્તાન મેચના દિવસે, હું ઝેરી વાતાવરણથી બચવા માટે સોશિયલ મીડિયાથી દૂર થઈ રહી છું. સાનિયા (sania mirza)એ રીલના કેપ્શનમાં લખ્યું, બાય-બાય. શોએબ મલિક (Shoaib Malik)મેચના દિવસે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું મુખ્ય કારણ છે. તેના લગ્ન પાકિસ્તાની ખેલાડી શોએબ સાથે થયા હતા. શોએબ મલિકને પાકિસ્તાનની ટી 20 વર્લ્ડ કપ (T-20 World Cup )ની ટીમમાં સ્થાન મળ્યું છે. તે ઘણા વર્ષોથી પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે.
પાકિસ્તાન આજ સુધી વર્લ્ડ કપની મેચમાં ભારતને હરાવી શક્યું નથી. 50 ઓવરના વર્લ્ડ કપ હેઠળ અત્યાર સુધી બંને ટીમો વચ્ચે 7 મેચ રમાઈ છે જેમાં ભારત 7-0થી આગળ છે. તે જ સમયે, ટી 20 વર્લ્ડ કપ(T-20 World Cup )હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મેચ હતી, જેમાં ટીમ ઇન્ડિયા 4-0થી આગળ છે. બંને દેશો વચ્ચે ટાઇ હતી, જે બોલ આઉટમાં ભારતે જીતી હતી. એટલું જ નહીં વર્ષ 2007 માં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને ટી 20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. એકંદરે, પાકિસ્તાન વર્લ્ડ કપની મેચમાં ભારત સામેની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે.
આ પણ વાંચો : T20 World Cup 2021: બાબર આઝમના 11 મેચ વાળા અભિમાનને વિરાટ કોહલી તોડશે, પાકિસ્તાનને મજબૂર કરી દેશે ટીમ ઇન્ડિયા
Published On - 12:46 pm, Sun, 17 October 21