CWG 2022માં ભારતીય હોકી ટીમ રમતી જોવા મળશે, રમત મંત્રાલય અને IOAના હસ્તક્ષેપ બાદ બદલાયો નિર્ણય

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ 2020માં શાનદાર પ્રદર્શન કરનારી ભારતની મહિલા અને પુરૂષ હોકી ટીમોને લઈને હોકી ઈન્ડિયાના નિર્ણયથી રમત મંત્રાલયને ગુસ્સો આવ્યો હતો.

CWG 2022માં ભારતીય હોકી ટીમ રમતી જોવા મળશે, રમત મંત્રાલય અને IOAના હસ્તક્ષેપ બાદ બદલાયો નિર્ણય
Indian Hockey Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 10:43 AM

CWG 2022 ભારતીય હોકી ચાહકો માટે સારા સમાચાર છે. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)2020માં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય મહિલા અને પુરૂષ હોકી ટીમો (Men’s hockey team)પણ આગામી વર્ષે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) (CWG 2022)માં પોતાની તાકાત બતાવવા માટે મેદાનમાં ઉતરશે. આગામી વર્ષે યુનાઈટેડ કિંગડમના બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમ (Indian team)ગોલ્ડ જીતવાના ઈરાદા સાથે ટર્ફ પર જોરદાર પ્રયાસ કરશે.

કોમનવેલ્થ ફેડરેશન (Commonwealth Federation)ના એક અધિકારીએ શનિવારે 4 ડિસેમ્બરે આની પુષ્ટિ કરી હતી. ટોક્યોમાં શાનદાર પ્રદર્શન બાદ હોકી ઈન્ડિયાએ આગામી વર્ષે યોજાનારી એશિયન ગેમ્સ (Asian Games)ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની ટીમ નહીં મોકલવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે તેને આ નિર્ણય બદલવાની ફરજ પડી છે અને તેનું કારણ છે મંત્રી અનુરાગ ઠાકુર અને ભારતીય ઓલિમ્પિક સંઘ (Indian Olympic Association)ના પ્રમુખ નરિન્દર બત્રા.

હોકી ઈન્ડિયાએ કોરોના મહામારી તેમજ કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ વચ્ચે વધુ સમય ન હોવાને કારણે આ વર્ષે 2022 બર્મિંગહામ ગેમ્સમાં ટીમો નહીં મોકલવાનો નિર્ણય લીધો હતો. રમત મંત્રી અને IOAએ હોકી ઈન્ડિયા (Hockey India)ના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ પોતાની મરજીથી આ નિર્ણય લઈ શકતા નથી. બંનેએ આ ગેમ્સની હોકી ઈવેન્ટમાં ભારતની સહભાગિતાની ખાતરી આપી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પછી હવે હોકી ઈન્ડિયાએ આ નિર્ણય બદલવો પડશે. મળતી માહિતી મુજબ, હોકી ઈન્ડિયાએ કહ્યું છે કે જો ટીમ ક્વોલિફાય થશે તો તેઓ તેને બર્મિંગહામ મોકલશે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે, જ્યારે એશિયન ગેમ્સ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે.

રમત મંત્રાલય અને IOAના હસ્તક્ષેપને કારણે નિર્ણય બદલ્યો

ભારતીય પુરૂષ ટીમે આ વર્ષે ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે મહિલા ટીમ સેમિફાઈનલમાં પહોંચી હતી અને બ્રોન્ઝથી ચુકી ગઈ હતી. આવી સ્થિતિમાં, રમત મંત્રાલય, IOA અને CGF ભારતીય ટીમને કોમનવેલ્થમાં રમતી જોવા માટે ઉત્સુક છે. ભારતીય હોકી ટીમોને લઈને બદલાયેલા નિર્ણયની માહિતી CGF દ્વારા જ જાહેર કરવામાં આવી હતી.

સમાચાર એજન્સી દ્વારા ફેડરેશનના અધિકારીને ટાંકવામાં આવ્યું હતું કે, “IOA એ CGF પ્રમુખને કહ્યું છે કે તેઓ ક્વોલિફાય થયા પછી ટીમોને રમવા માટે મોકલશે. ભારતના રમતગમત મંત્રીએ દરમિયાનગીરી કરી છે અને મને લાગે છે કે તેઓ ખૂબ જ પ્રભાવશાળી છે. CGF પ્રમુખ IOA પ્રમુખના સતત સંપર્કમાં છે.”

આ સાથે જ ભારતમાં આવતા વર્ષે યોજાનારી ગેમ્સના બેટન રિલે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. આ સંદર્ભમાં, CGF અધિકારીએ જણાવ્યું હતું કે ‘ક્વીન્સ બેટન રિલે’ અંગે CGF અને IOAમાં વાતચીત ચાલી રહી છે. બેટન ભારતમાં આવતા વર્ષે 12 થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાશે.

આ પણ વાંચો : IND vs NZ 2nd Test, Day 3 LIVE Score: મયંક-પુજારાએ શતકીય ભાગીદારી પૂરી કરી

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">