AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈશાન કિશનને ફરી એકવાર ના મળ્યું ટીમમાં સ્થાન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી 5 ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થશે, જે 11 માર્ચ સુધી ચાલશે. લાંબી શ્રેણીને ધ્યાનમાં રાખીને BCCIએ હાલમાં માત્ર પ્રથમ અને બીજી ટેસ્ટ માટે જ ટીમની જાહેરાત કરી છે. પ્રથમ ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે.

IND vs ENG: ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈશાન કિશનને ફરી એકવાર ના મળ્યું ટીમમાં સ્થાન
IND vs ENG Test series
| Updated on: Jan 13, 2024 | 12:00 AM
Share

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુક્રવારે રાત્રે 12 જાન્યુઆરીએ પ્રથમ અને બીજી ટેસ્ટ મેચ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મોટાભાગના ખેલાડીઓ એવા જ છે જે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટીમનો ભાગ હતા.

યુવા વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનને પણ આ ટીમમાં સ્થાન મળ્યું નથી. જો કે, પસંદગી સમિતિએ ઉત્તર પ્રદેશના વિકેટકીપર ધ્રુવ જુરેલને તક આપીને સૌને ચોંકાવી દીધા છે, જે પહેલીવાર ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનો ભાગ બનશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી 5 ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થશે, જે 11 માર્ચ સુધી ચાલશે. લાંબી શ્રેણીને ધ્યાનમાં રાખીને BCCIએ હાલમાં માત્ર પ્રથમ અને બીજી ટેસ્ટ માટે જ ટીમની જાહેરાત કરી છે. પ્રથમ ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે.

શમી હજુ પણ ફિટ નથી, આ બે ખેલાડીઓ ડ્રોપ થયા

સિનિયર સિલેક્શન કમિટીએ સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝમાં જે ખેલાડીઓ હતા. તેમાંના મોટાભાગના ખેલાડીઓને રિટેન કર્યા છે. જો કે, દક્ષિણ આફ્રિકામાં ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અને ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પડતા મૂકવામાં આવ્યા છે. બંનેનું પ્રદર્શન સાઉથ આફ્રિકામાં અપેક્ષા મુજબનું નહોતું. સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પસંદગી કરવામાં આવી નથી કારણ કે તે હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. તે ત્રીજી ટેસ્ટમાં સામેલ થવાની આશા છે.

ઈશાનને ફરી તક ન મળી

25 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશને ગયા મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ઈશાને માનસિક થાકને કારણે ટીમમાંથી બ્રેક લીધો હતો. આ પછી તેને અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણી માટે પણ પસંદ કરવામાં આવ્યો ન હતો. એવી અપેક્ષા હતી કે તેને ટેસ્ટ શ્રેણીમાં તક મળી શકે છે, પરંતુ તેમ થયું નહીં અને હાલ તે ટીમ ઇન્ડિયાની બહાર રહેશે.

કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે ઈશાનની ડિસિપ્લીનને લઈને કોઈ સમસ્યા નથી. દ્રવિડે એમ પણ કહ્યું હતું કે ઈશાન ટીમમાં વાપસી કરશે પરંતુ તે પહેલા તેણે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે અને પછી પસંદગી માટે પોતાને આવવું પડશે. હવે એ સ્પષ્ટ નથી થયું કે ઈશાને હજુ પણ પોતાને પસંદગીથી દૂર રાખ્યો છે કે BCCIએ પોતે જ તેને પસંદ કર્યો નથી. બીસીસીઆઈની પ્રેસ રિલીઝમાં આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. શુક્રવારથી શરૂ થયેલી રણજી ટ્રોફી મેચમાં ઈશાન પોતાની ટીમ ઝારખંડ તરફથી રમ્યો નહોતો.

પ્રથમ અને બીજી ટેસ્ટ માટે ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરૈલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને અવેશ ખાન.

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી

  • 25-29 જાન્યુઆરી : પ્રથમ ટેસ્ટ, હૈદરાબાદ
  • 2-6 ફેબ્રુઆરી : બીજી ટેસ્ટ, વિશાખાપટ્ટનમ
  • 15-19 ફેબ્રુઆરી : ત્રીજી ટેસ્ટ, રાજકોટ
  • 23-27 ફેબ્રુઆરી : ચોથી ટેસ્ટ, રાંચી
  • 7-11 માર્ચ : પાંચમી ટેસ્ટ, ધર્મશાલા

આ પણ વાંચો આ ક્રિકેટરને ઇઝરાયેલને સમર્થન આપવું પડ્યું ભારે…કેપ્ટન્સી છીનવાઈ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">