IND vs ENG: ટીમ ઇંગ્લેંડ પ્રથમ બે ટેસ્ટ રમવા ચેન્નાઇ પહોંચી, સુંદર પિચાઇએ હોમટાઉન સ્વાગત કર્યુ

|

Jan 28, 2021 | 9:16 AM

કેપ્ટન જો રુટ Joe Root) સહિત ઇંગ્લેંડ ક્રિકેટની ટીમના સભ્યો ભારતમાં ક્રિકેટ શ્રેણી માટે આવી પહોંચી છે. આ માટે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમ ઇંગ્લેંડ ચેન્નાઇ (Chennai) પહોંચી છે. ઇંગ્લેંડ ક્રિકેટ બોર્ડ (England Cricket Board) ના ટ્વીટર એકાઉન્ટ દ્રારા ખેલાડીઓના ચેન્નાઇ પહોંચવાનો એક વિડીયો પણ શેર કર્યો છે.

IND vs ENG: ટીમ ઇંગ્લેંડ પ્રથમ બે ટેસ્ટ રમવા ચેન્નાઇ પહોંચી, સુંદર પિચાઇએ હોમટાઉન સ્વાગત કર્યુ
પ્રથમ ટેસ્ટ મેચ પાંચમી ફેબ્રુઆરીથી શરુ થનારી છે.

Follow us on

કેપ્ટન જો રુટ Joe Root) સહિત ઇંગ્લેંડ ક્રિકેટની ટીમના સભ્યો ભારતમાં ક્રિકેટ શ્રેણી માટે આવી પહોંચી છે. આ માટે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમ ઇંગ્લેંડ ચેન્નાઇ (Chennai) પહોંચી છે. ઇંગ્લેંડ ક્રિકેટ બોર્ડ (England Cricket Board) ના ટ્વીટર એકાઉન્ટ દ્રારા ખેલાડીઓના ચેન્નાઇ પહોંચવાનો એક વિડીયો પણ શેર કર્યો છે. જે ઉપરાંત ભારતીય ટીમ (Team India) ના ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ પણ ચેન્નાઇ પહોંચી ચુકયો છે. રુટ અને તેમની ટીમ શ્રીલંકા સીધી જ આવી પહોંચી હતી. જ્યાં ચેન્નાઇ પહોંચતા જ તે એરપોર્ટ થી સીધા જ હોટલ હંકારી જવાયા હતા. જ્યાં બંને ટીમો માટે વિશેષ પ્રકારે કોરોના પ્રોટકોલ (Corona Protocol) સ્થાપવામાં આવ્યો છે.

ઇંગ્લેંડની ટીમ શ્રીલંકાને ટેસ્ટ સિરીઝમાં 2-0 થી હરાવી ચુક્યુ છે. ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે મંગળવારે જ ચેન્નાઇ પહોંચી ગયા હતા. જ્યારે ચેતેશ્વર પુજારા, જસપ્રિત બુમરાહ અને ઋષભ પંત બુધવારે સવારે પહોંચી ગયા હતા. ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને ટીમના કોચ રવિ શાસ્ત્રી પણ મુંબઇ થી સીધા ચેન્નાઇ પહોંચ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બંને ટીમોને ચેન્નાઇની હોટલ લીલા પેલેસમાં રોકાણ કરાવવામા આવ્યુ છે. જ્યા તેમના માટે બાયોબબલ બનાવવામાં આવ્યો છે. ટીમોને છ દિવસ સુધી આકરા ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે. ત્યાર બાદ તેમને ફેબ્રુઆરી માસમાં મેચ અગાઉના ત્રણ દિવસ પ્રેકટીશ સેશનની છુટ અપાશે. પ્રથમ ટેસ્ટ મેચ પાંચમી ફેબ્રુઆરી થી શરુ થનારી છે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 13 ફેબ્રુઆરી થી શરુ થનારી છે.

ગુગલના સીઇઓ સુંદર પિચાઇએ પણ ઇંગ્લેંડની ટીમ ચેન્નાઇ પહોંચવા પર ટ્વીટ કરતા લખ્યુ હતુ કે મારા હોમ ટાઉન પર પહોંચવા પર વેલકમ ઇંગ્લેંડ. એક શ્રેષ્ઠ શ્રેણી હોવી જોઇએ.

ટેસ્ટ સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે ટી20 સિરીઝની શરુઆત 12 માર્ચ થી થશે. આ તમામ મેચો સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાશે. ટી20 મેચ માર્ચ 12 થી 20 માર્ચ વચ્ચે એકાંતરા દિવસે પાંચ મેચો રમાનારી છે. વન ડે સિરઝ માટે પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમ બાયોબબલ બનશે. ત્રણ વન ડે મેચોની સિરીઝની મેચો 23, 26 અને 28 માર્ચે પુણેમાં રમાશે.

Next Article