AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે ગુંજી ઉઠી કિલકારી, પત્ની હેઝલ કીચે આપ્યો પુત્રને જન્મ, ફેન્સને પ્રાઈવસીનું સન્માન કરવાની કરી અપીલ

ODI વર્લ્ડ કપ 2011માં 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' રહેલા યુવરાજ સિંહે આ ખુશખબરી શેર કરતા લખ્યું હતું કે તે આ આશીર્વાદ માટે ભગવાનનો આભાર માને છે.

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે ગુંજી ઉઠી કિલકારી, પત્ની હેઝલ કીચે આપ્યો પુત્રને જન્મ, ફેન્સને પ્રાઈવસીનું સન્માન કરવાની કરી અપીલ
Yuvraj-Singh (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:51 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહ (Yuvraj Singh) મંગળવારે પિતા બન્યા છે. તેની પત્ની હેઝલ કીચે પુત્રને જન્મ આપ્યો છે. યુવરાજે ટ્વીટર પર લખ્યું કે અમારા બધા ફેન્સ, પરિવારના સભ્યો અને મિત્રોને જણાવતા આનંદ થાય છે કે ભગવાને અમને પુત્રનાઆશીર્વાદ આપ્યા છે. તેમણે આ પ્રસંગે દરેકને પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ પણ કરી છે.

આ સારા સમાચાર શેર કરતા, ODI વર્લ્ડ કપ 2011માં ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ રહેલા યુવરાજ સિંહે લખ્યું કે તે આ આશીર્વાદ માટે ભગવાનનો આભાર માને છે. તેણે લખ્યું, “અમને એ જણાવતા આનંદ થાય છે કે આજે ભગવાને અમને પુત્રના આશીર્વાદ આપ્યા છે. અમે આ આશીર્વાદ માટે ભગવાનનો આભાર માનીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે તમે નાના બાળકને આ દુનિયામાં આવકારતી વખતે અમારી પ્રાઈવર્સીનું સન્માન કરો. પ્રેમ, હેઝલ અને યુવરાજ.”

T20 વર્લ્ડ કપ 2007 અને 2011માં ODI વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો રહેલા યુવરાજે 2019માં ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ટી-20 વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ વિરુદ્ધ એક ઓવરના 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા તે ફેન્સને આજે પણ યાદ છે. ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ યુવરાજ સિંહે ફેબ્રુઆરી 2022થી ક્રિકેટના મેદાનમાં વાપસીનો સંકેત આપ્યો હતો. જોકે, તેણે એ નથી જણાવ્યું કે તે કઈ ટૂર્નામેન્ટ કે ટીમ માટે રમતા જોવા મળશે.

યુવરાજે ભારત માટે ઓક્ટોબર 2000માં કેન્યા સામેની વનડેમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું અને છેલ્લે જૂન 2017માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યું હતું. તેણે 304 વનડેમાં 36 રન બનાવ્યા હતા. તેણે 14 સદી અને 52 અડધી સદી સહિત 55ની સરેરાશથી 8701 રન બનાવ્યા. આ સાથે જ 40 ટેસ્ટમાં 1900 રન અને 58 T20માં 1177 રન તેના નામે છે.

આ પણ વાંચો : Budget 2022 : Online Education ને પ્રોત્સાહન આપવા વિશેષ જાહેરાતો થઇ શકે છે, સ્ટાર્ટઅપ્સને ટેક્સમાં છૂટ આપવા વિચારણા

આ પણ વાંચો : Budget 2022 : નાણાં મંત્રી PPF માં રોકાણ મર્યાદા બમણી કરવાની માંગ સ્વીકારે તો કર્મચારીઓને 80 લાખનું ફંડ મળશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">