AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS WI: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં યશસ્વી જયસ્વાલ-ઋતુરાજ ગાયકવાડનું થશે ડેબ્યૂ, BCCIએ કરી પુષ્ટિ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સીરિઝમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ પ્રથમ ટેસ્ટ રમશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ એ વાતની પુષ્ટિ થઈ છે કે તે બંને BCCI પોડકાસ્ટમાં જરૂર ડેબ્યૂ કરશે.

IND VS WI: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં યશસ્વી જયસ્વાલ-ઋતુરાજ ગાયકવાડનું થશે ડેબ્યૂ, BCCIએ કરી પુષ્ટિ
Yashasvi and Ruturaj
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 6:28 PM
Share

યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) અને ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય છે. આ બંને ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં પણ સામેલ છે. જો કે આ બંનેમાંથી પહેલા ડેબ્યૂ કરવાની તક કોને મળશે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ ટેસ્ટ ડેબ્યૂ પહેલા બંને ખેલાડીઓ BCCIના અલગ પ્રોજેક્ટમાં ડેબ્યૂ અને ઓપન કરશે એ નક્કી થઈ ગયું છે. જેની જાણકારી BCCIએ ટ્વિટ કરીને આપી છે.

BCCI પોડકાસ્ટમાં યશસ્વી-ઋતુરાજ

વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝમાં ડેબ્યૂ કરતા પહેલા આ બંને ખેલાડીઓ BCCIના એક ખાસ પ્રોગ્રામમાં જોવા મળશે. વાસ્તવમાં BCCI તેનું પોડકાસ્ટ શરૂ કરવા જઈ રહ્યું છે અને તેનો પહેલો એપિસોડ ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ કરવાના છે. મતલબ કે આ બંને BCCI પોડકાસ્ટના ડેબ્યુમાં ઓપનિંગ એપિસોડમાં જોવા મળશે.

BCCIએ શેર કર્યો Video

BCCIએ આ અંગે ખાસ વીડિયો શેર કર્યો હતો. BCCIના વીડિયોમાં યશસ્વી અને ગાયકવાડે અદભૂત અભિનય કર્યો હતો. વીડિયોમાં ગાયકવાડ કહે છે- “સાંભળ યશસ્વી, આપણે બંને નવા છીએ, આ દ્રશ્ય પણ આપણા માટે નવું છે અને BCCI પોડકાસ્ટ પણ નવું છે અને આપણા બંનેનો પણ આ પહેલો જ એપિસોડ છે. ચાલો આ પણ કરીએ.”

પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની રેસમાં બંને ખેલાડીઓ

ભારતીય ટીમ 12 જુલાઈથી ડોમિનિકામાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ રમશે. આ મેચમાં યશસ્વી અને ઋતુરાજ બંને પદાર્પણ કરવાની રેસમાં છે. જો કે, યશસ્વી જયસ્વાલના ડેબ્યૂના ચાન્સ વધુ છે કારણ કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ટીમના રિઝર્વ ખેલાડીઓમાં પણ સામેલ હતો અને સાથે જ સ્થાનિક ક્રિકેટમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

આ પણ વાંચો : Sunil Gavaskar B’day: સચિને જેમને જોઈને પકડ્યુ બેટ, તેમને ખાસ અંદાજમાં જન્મદિવસની આપી શુભકામના

IPL-ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન

જયસ્વાલે અત્યાર સુધી 15 ફર્સ્ટ ક્લાસ મેચમાં 80થી વધુની એવરેજથી 1845 રન બનાવ્યા છે. આ દરમિયાન યશસ્વીના બેટમાંથી 9 સદીઓ નીકળી છે. તાજેતરમાં જ જયસ્વાલે IPLમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ ઋતુરાજ ગાયકવાડની પ્રતિભાથી બધા વાકેફ છે અને તેથી જ તેને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ બેમાંથી કોને તક આપે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">