AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI : પ્રેક્ટિસ મેચમાં યશસ્વી જયસ્વાલની ફિફ્ટી, રોહિત શર્માએ કરી લાંબી બેટિંગ

ભારતીય ટીમ બાર્બાડોસમાં ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહી છે અને ત્યાં બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે, જેમાં ભારતીય બેટ્સમેનોએ ઘણો પરસેવો પાડ્યો હતો. ખાસ કરીને યુવા બેટ્સમેન જયસ્વાલે ટેસ્ટ ડેબ્યૂ માટે પોતાની દાવેદારી નોંધાવી છે.

IND vs WI : પ્રેક્ટિસ મેચમાં યશસ્વી જયસ્વાલની ફિફ્ટી, રોહિત શર્માએ કરી લાંબી બેટિંગ
Yashaswi and Rohit
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 11:39 PM
Share

ડોમિનિકામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ શરૂ થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. બે મેચોની શ્રેણી 12 જુલાઈથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા આ સિરીઝ માટે હાલ બાર્બાડોસમાં પ્રેક્ટિસ કરી રહી છે. ટીમ ઈન્ડિયા તેની તૈયારીઓ માટે ઈન્ટ્રા-સ્કવોડ મેચ રમી રહી છે, જેના પહેલા દિવસે યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન રોહિત શર્માએ પોતાનો દમદાર પ્રદર્શન કર્યું હતું.

કોહલી જલદી આઉટ થયો

ટીમ ઈન્ડિયા છેલ્લા કેટલાક દિવસોથી બાર્બાડોસના બ્રિજટાઉનમાં પ્રખ્યાત કિંગ્સટન ઓવલ મેદાનમાં પ્રેક્ટિસ કરી રહી છે. અહીં બાર્બાડોસના કેટલાક સ્થાનિક ખેલાડીઓ સાથે 16 સભ્યોની ટીમ ઈન્ડિયા બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે. મેચના પહેલા દિવસે વિરાટ કોહલી ઝડપથી આઉટ થયો હતો, પરંતુ તે પહેલા યશસ્વી અને રોહિતે ઘણા રન બનાવ્યા હતા.

યશસ્વીએ ઓપનિંગમાં કર્યા પ્રભાવિત

20 વર્ષીય ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઘણા પ્રભાવિત કર્યા હતા. યશસ્વીએ આ ઇનિંગમાં 76 બોલમાં 54 રન બનાવ્યા હતા અને ટેસ્ટ ડેબ્યૂ માટે પોતાનો દાવો મજબૂત કર્યો હતો. ખાસ વાત એ છે કે આ મેચમાં રોહિતની સાથે ઓપનિંગ માટે યશસ્વીને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. આ એક સંકેત હોય શકે છે કે ઓપનિંગ માટે યશસ્વીને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે અને હજુ ઓપનિંગ કરી રહેલા શુભમન ગિલને ચેતેશ્વર પૂજારાની જગ્યાએ ત્રીજા સ્થાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. શુભમન ગિલે તેની ટેસ્ટ કારકિર્દીમાં એક દાવ સિવાય હંમેશા ઓપનિંગ જ કરી છે. પરંતુ ક્યારેક તેને ત્રીજા ક્રમે પણ બેટિંગ કરવું પડી શકે છે.

આ પણ વાંચો : Ashes : ઈંગ્લેન્ડના ચાહકો ભૂલ્યા ભાન, 100મી ટેસ્ટમાં સ્ટીવ સ્મિથનું કર્યું અપમાન, જુઓ Video

કેપ્ટન રોહિતે લાંબી બેટિંગ કરી

આ પ્રેક્ટિસ મેચના પહેલા દિવસે કેપ્ટન રોહિત શર્માએ પણ કેટલાક શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. ખાસ કરીને તેના ટ્રેડમાર્ક પુલ શોટથી રોહિતે જબરદસ્ત સિક્સ ફટકારી હતી. રોહિતે પણ લગભગ 67 બોલનો સામનો કર્યો અને પછી નિવૃત્ત થઈ ગયો. પોતાના ફોર્મના કારણે પ્રશ્નોનો સામનો કરી રહેલા કેપ્ટન રોહિતને આશા છે કે તે ટેસ્ટમાં પણ આ પ્રકારની બેટિંગ ચાલુ રાખે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">