AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્લ્ડ કપમાં રવિચંદ્રન અશ્વિનની એન્ટ્રી સાથે પ્લેઈંગ-11માં બદલાવ નિશ્ચિત, આ ખેલાડી થશે બહાર!

ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. શું અશ્વિનનો વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ થશે, જો આવું થશે તો તે સીધો પ્લેઈંગ-11માં આવશે? જો BCCI અશ્વિનને ટીમમાં લાવે છે, તો સમજો કે કેવા સમીકરણો સર્જાઈ શકે છે અને તે કેટલું મુશ્કેલ હોઈ શકે છે.

વર્લ્ડ કપમાં રવિચંદ્રન અશ્વિનની એન્ટ્રી સાથે પ્લેઈંગ-11માં બદલાવ નિશ્ચિત, આ ખેલાડી થશે બહાર!
World Cup Team India
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 7:51 PM
Share

એશિયા કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર હવે ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) પર છે. આ ટૂર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને ટીમ ઈન્ડિયા 10 વર્ષ પછી ICC ટ્રોફી પર કબજો કરવાનો પ્રયાસ કરી રહી છે. વર્લ્ડ કપ પહેલા ભારતને ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વનડે સીરિઝ રમવાની છે, જેમાં રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin)ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એવી અટકળો ચાલી રહી છે કે એક રસ્તો ખુલી ગયો છે, જેથી ભવિષ્યમાં અશ્વિનને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરી શકાય, ખુદ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ આનો સંકેત આપ્યો છે.

શું અશ્વિન વર્લ્ડ કપની ટીમમાં આવશે?

એશિયા કપ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ નિવેદન આપ્યું હતું કે રવિચંદ્રન અશ્વિન અને વોશિંગ્ટન સુંદર હજુ વર્લ્ડ કપની યોજનામાં છે, તેમની કેટલીક ભૂમિકાઓ નક્કી થઈ શકે છે. રોહિતે એ પણ કહ્યું હતું કે તે ફોન દ્વારા સતત અશ્વિનના સંપર્કમાં છે. આ નિવેદન બાદ અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામેની વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

ટીમમાં એક પણ ઓફ સ્પિનર ​​નથી

હવે સવાલ એ છે કે શું અશ્વિન વર્લ્ડ કપની ટીમમાં હશે? વાસ્તવમાં, અક્ષર પટેલને હાલમાં જ મામૂલી ઈજા થઈ છે, જો તેની જગ્યાએ કોઈને વર્લ્ડ કપ ટીમમાં લાવવામાં આવે તો આ નામ અશ્વિન હોઈ શકે છે. આ સિવાય વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ટીમમાં એક પણ ઓફ સ્પિનર ​​નથી. એવામાં અહીં અશ્વિનનો હાથ ઉપર છે, કારણ કે તે સારી બેટિંગ પણ કરી શકે છે.

અશ્વિન આવશે તો પ્લેઈંગ-11માંથી કોણ બહાર થશે?

BCCIએ પહેલા જ વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે, એશિયા કપમાં પ્રદર્શનના આધારે માનવામાં આવી રહ્યું હતું કે પ્લેઈંગ-11 લગભગ કન્ફર્મ થઈ ગયું છે. પરંતુ હવે રવિચંદ્રન અશ્વિનની એન્ટ્રીથી રમત થોડી ગરબડ થઈ રહી છે, અહીં ટીમ કોમ્બિનેશન અને પીચ પર ઘણું નિર્ભર રહેશે. કારણ કે અત્યારે ટીમ પાસે કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાના રૂપમાં બે સ્પિનરો છે.

જાડેજા અને અશ્વિનમાંથી એકને જ સ્થાન મળશે

આવી સ્થિતિમાં આ બંને પ્લેઈંગ-11માં રમશે તે નિશ્ચિત છે એટલે કે જો અશ્વિનની એન્ટ્રી થશે તો તેમાંથી કોઈ એક ટીમની બહાર થઈ જશે. અહીં ટીમનું કોમ્બિનેશન જોવું પડશે કારણ કે ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનરો સાથે રમે તે મુશ્કેલ લાગી રહ્યું છે, આવી સ્થિતિમાં મેદાનમાં 3 ફાસ્ટ બોલર અને 2 સ્પિનરો હશે, અહીં જાડેજા અને અશ્વિનમાંથી એકને જ સ્થાન મળશે.

આ પણ વાંચો : T20 ઈન્ટરનેશનલ મેચમાં ટીમ 15 રનમાં ઓલઆઉટ, 7 ખેલાડી ખાતું ખોલાવી ન શક્યા

પ્લેઈંગ-11ની પ્રથમ ફોર્મ્યુલાઃ

રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન/રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ.

પ્લેઈંગ-11ની બીજી ફોર્મ્યુલા:

રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર/રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ.

વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયા :

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">