AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટર બનશે? શું અજિત અગરકર રાજીનામું આપશે? હવે આ વાતમાં કેટલી સચ્ચાઈ?

'અજીત અગરકર ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર પદેથી રાજીનામું આપી શકે છે અને તેમની જગ્યાએ રવિ શાસ્ત્રી આવી શકે છે.' શું આ વાત સાચી છે? શું ખરેખરમાં ટીમ ઈન્ડિયાને નવો ચીફ સિલેક્ટર મળવાનો છે?

શું રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટર બનશે? શું અજિત અગરકર રાજીનામું આપશે? હવે આ વાતમાં કેટલી સચ્ચાઈ?
Image Credit source: PTI
| Updated on: Oct 19, 2025 | 8:53 PM
Share

‘ભારતીય ક્રિકેટ ટીમને નવા ચીફ સિલેક્ટર મળવાનો છે. રવિ શાસ્ત્રીને ટૂંક સમયમાં નવા ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.’ આવી પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, રવિ શાસ્ત્રી ટૂંક સમયમાં જ અજિત અગરકરનું સ્થાન લઈ શકે છે. અગરકર જુલાઈ 2023 થી ભારતીય ટીમના ચીફ સિલેક્ટર છે. હવે આ વાયરલ પોસ્ટની હકીકત શું છે? ચાલો જાણીએ વિગતવાર…

આ વાયરલ પોસ્ટમાં કેટલી સચ્ચાઈ?

આ વાતની ઓફિશિયલ પુષ્ટિ ના તો રવિ શાસ્ત્રીએ કરી છે અને ના તો અજિત અગરકરે કોઈ નિવેદન આપ્યું છે. એવામાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટ ‘Fake’ છે. સામાન્ય રીતે, BCCI આવા હાઇ-પ્રોફાઇલ પદના નિમણૂક માટે નિવેદન જારી કરે છે પરંતુ ચીફ સિલેક્ટરના પદને લઈને હજુ સુધી કોઈ નિવેદન કરવામાં આવ્યું નથી.

આ અફવા સંપૂર્ણપણે ખોટી છે

ખાસ વાત એ છે કે, રવિ શાસ્ત્રીએ પોતે આ બાબતે કોઈ નિવેદન આપ્યું નથી કે ન તો અજિત અગરકરે આને લઈને કોઈ વાત કરી છે. રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે સેવા આપી હતી અને વર્ષ 2021 T20 વર્લ્ડ કપ પછી રાજીનામું આપ્યું હતું. જણાવી દઈએ કે, ચાર વર્ષ પછી રવિ શાસ્ત્રીની ટીમ ઈન્ડિયામાં ચીફ સિલેક્ટર તરીકે પાછા ફરવાની આ અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે.

અજિત અગરકરનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો

અજિત અગરકરને 2023 ODI વર્લ્ડ કપના થોડા મહિના પહેલા જુલાઈમાં ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે, ચીફ સિલેક્ટર બનવું સૌથી મુશ્કેલ કામ છે. અગરકરે એ પણ કહ્યું હતું કે, ભારત એટલી પ્રતિભાથી ભરેલું છે કે તેમાંથી પ્લેયર્સની પસંદગી કરવી ખૂબ મુશ્કેલ છે. નોંધનીય છે કે, તેમનો કાર્યકાળ જૂન 2026 સુધી લંબાવવામાં આવ્યો છે.

IND vs AUS : પર્થમાં ન ચાલ્યું RO-KOનું બેટ, વિરાટ કોહલી 0 રને આઉટ થયો

Follow Us
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
g clip-path="url(#clip0_868_265)">