AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટર બનશે? શું અજિત અગરકર રાજીનામું આપશે? હવે આ વાતમાં કેટલી સચ્ચાઈ?

'અજીત અગરકર ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર પદેથી રાજીનામું આપી શકે છે અને તેમની જગ્યાએ રવિ શાસ્ત્રી આવી શકે છે.' શું આ વાત સાચી છે? શું ખરેખરમાં ટીમ ઈન્ડિયાને નવો ચીફ સિલેક્ટર મળવાનો છે?

શું રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટર બનશે? શું અજિત અગરકર રાજીનામું આપશે? હવે આ વાતમાં કેટલી સચ્ચાઈ?
Image Credit source: PTI
| Updated on: Oct 19, 2025 | 8:53 PM
Share

‘ભારતીય ક્રિકેટ ટીમને નવા ચીફ સિલેક્ટર મળવાનો છે. રવિ શાસ્ત્રીને ટૂંક સમયમાં નવા ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.’ આવી પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, રવિ શાસ્ત્રી ટૂંક સમયમાં જ અજિત અગરકરનું સ્થાન લઈ શકે છે. અગરકર જુલાઈ 2023 થી ભારતીય ટીમના ચીફ સિલેક્ટર છે. હવે આ વાયરલ પોસ્ટની હકીકત શું છે? ચાલો જાણીએ વિગતવાર…

આ વાયરલ પોસ્ટમાં કેટલી સચ્ચાઈ?

આ વાતની ઓફિશિયલ પુષ્ટિ ના તો રવિ શાસ્ત્રીએ કરી છે અને ના તો અજિત અગરકરે કોઈ નિવેદન આપ્યું છે. એવામાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટ ‘Fake’ છે. સામાન્ય રીતે, BCCI આવા હાઇ-પ્રોફાઇલ પદના નિમણૂક માટે નિવેદન જારી કરે છે પરંતુ ચીફ સિલેક્ટરના પદને લઈને હજુ સુધી કોઈ નિવેદન કરવામાં આવ્યું નથી.

આ અફવા સંપૂર્ણપણે ખોટી છે

ખાસ વાત એ છે કે, રવિ શાસ્ત્રીએ પોતે આ બાબતે કોઈ નિવેદન આપ્યું નથી કે ન તો અજિત અગરકરે આને લઈને કોઈ વાત કરી છે. રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે સેવા આપી હતી અને વર્ષ 2021 T20 વર્લ્ડ કપ પછી રાજીનામું આપ્યું હતું. જણાવી દઈએ કે, ચાર વર્ષ પછી રવિ શાસ્ત્રીની ટીમ ઈન્ડિયામાં ચીફ સિલેક્ટર તરીકે પાછા ફરવાની આ અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે.

અજિત અગરકરનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો

અજિત અગરકરને 2023 ODI વર્લ્ડ કપના થોડા મહિના પહેલા જુલાઈમાં ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે, ચીફ સિલેક્ટર બનવું સૌથી મુશ્કેલ કામ છે. અગરકરે એ પણ કહ્યું હતું કે, ભારત એટલી પ્રતિભાથી ભરેલું છે કે તેમાંથી પ્લેયર્સની પસંદગી કરવી ખૂબ મુશ્કેલ છે. નોંધનીય છે કે, તેમનો કાર્યકાળ જૂન 2026 સુધી લંબાવવામાં આવ્યો છે.

IND vs AUS : પર્થમાં ન ચાલ્યું RO-KOનું બેટ, વિરાટ કોહલી 0 રને આઉટ થયો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">