AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કરમાં કોણ જીતશે? જાણો બાગેશ્વર બાબાનો જવાબ

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ પર બાગેશ્વર બાબાના નિવેદનની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. આ સવાલનો જવાબ તેણે એક ઈન્ટરવ્યુમાં આપ્યો હતો.

IND vs PAK: વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કરમાં કોણ જીતશે? જાણો બાગેશ્વર બાબાનો જવાબ
Baba Bageshwar
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 12:20 PM
Share

આ વખતે ભારતમાં ક્રિકેટનો સૌથી મોટો ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે. આવું પહેલીવાર બનશે જ્યારે ભારત આ ICC ODI વર્લ્ડ કપ (World Cup 2023) એકલા હાથે હોસ્ટ કરતું જોવા મળશે. આ માટેનું શિડ્યુલ પણ એક વખત નહીં, પરંતુ બીજી વખત તૈયાર કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, વિશ્વ કપ સમયે ભારતમાં પણ નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. આવી સ્થિતિમાં નવરાત્રીને ધ્યાનમાં રાખીને અગાઉ જે શિડ્યુલ આવ્યું હતું તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.

14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત vs પાકિસ્તાન

ભારત-પાકિસ્તાન સહિત કુલ 9 મેચોની તારીખો બદલવામાં આવી છે. ભારત-પાકિસ્તાનની મેચ અગાઉ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી. પરંતુ બદલાયેલા શિડ્યુલમાં તેની તારીખ બદલીને 14 ઓક્ટોબર કરવામાં આવી છે.

આ મહા મુકાબલા પર બાગેશ્વર બાબાનું નિવેદન

બાગેશ્વર બાબા ભૂતકાળમાં પણ ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા મુદ્દા પર ટિપ્પણી કરી ચર્ચામાં રહ્યા હતા, જ્યારે કુલદીપ યાદવ તેમની પાસે પહોંચ્યો હતો. હવે તેનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચ પર કોમેન્ટ કરી રહ્યો છે. જણાવી દઈએ કે બાગેશ્વર બાબાને મળ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ પહોંચેલા કુલદીપ યાદવનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તે દરેક મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપીને વિકેટ લઈ રહ્યો છે.

ભારત-પાકિસ્તાન મેચ પર બાગેશ્વર બાબાએ શું કહ્યું?

હવે ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન કેવું રહેશે, તે તો ટૂર્નામેન્ટ શરૂ થશે ત્યારે જ ખબર પડશે. પરંતુ, બાગેશ્વર બાબા પાકિસ્તાન સામેની મેચની ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. ચાલો તમને જણાવીએ ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર તેમનું નિવેદન જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. એન્કર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન પરથી સ્પષ્ટ થાય છે કે આ ઇન્ટરવ્યુ તે સમયનું છે જ્યારે ટૂર્નામેન્ટનું શેડ્યૂલ પહેલીવાર આવ્યું હતું.

આ પણ વાંચોઃ The Hundred: એશિયા કપ માટે પસંદ કરાયેલા પાકિસ્તાની બોલરની પિટાઈ, 10 બોલમાં 26 રન ફટકાર્યા

ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન પર ભારતનો દબદબો

ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન પર ભારતનો દબદબો છે. અથવા એમ કહી શકાય કે બંને વચ્ચેની ટક્કર એકતરફી રહી છે અને આ વખતે વર્લ્ડ કપનું આયોજન ભારતની જ ધરતી પર જ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતની હારની આશા બહુ ઓછી છે. અને ક્યાંક ને ક્યાંક આ જ કારણ છે કે બાબાનો પણ ભારતની જીત થશે એમ કહી રહ્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">