Breaking News: IPL ટ્રેડ વિન્ડો શું છે? ખેલાડીઓની ટ્રેડ ડીલ કેવી રીતે થાય છે? જાણો નિયમ

IPL 2027 પહેલા ટ્રેડ ડીલની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાર્દિક પંડ્યા-યશસ્વી જયસ્વાલ અને રિષભ પંત-કુલદીપ યાદવને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. આવા સમયે ઘણા ચાહકોના મનમાં સવાલ છે કે IPLમાં ખેલાડીઓની ટ્રેડિંગ કેવી રીતે થાય છે? ચાલો જાણીએ ટ્રેડ વિન્ડોના નિયમો અને તેની સંપૂર્ણ પ્રક્રિયા.

Breaking News: IPL ટ્રેડ વિન્ડો શું છે? ખેલાડીઓની ટ્રેડ ડીલ કેવી રીતે થાય છે? જાણો નિયમ
IPL Trade Window Rules
Image Credit source: X
| Updated on: Jun 20, 2026 | 9:59 PM

IPL 2027 પહેલા ટ્રેડ વિન્ડો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક પંડ્યા અને યશસ્વી જયસ્વાલ વચ્ચે સંભવિત ટ્રેડ ડીલ તેમજ રિષભ પંત અને કુલદીપ યાદવને લઈને અટકળો સતત ચર્ચામાં છે. જોકે, આવી કોઈપણ ડીલ પાછળ IPLના કેટલાક નિશ્ચિત નિયમો લાગુ પડે છે, જેને ટ્રેડ વિન્ડો તરીકે ઓળખવામાં આવે છે.

IPL ટ્રેડ વિન્ડો શું છે?

ટ્રેડ વિન્ડો એ એવો સમયગાળો છે, જ્યારે IPLની ફ્રેન્ચાઈઝીઓ એકબીજા સાથે ખેલાડીઓની આપ-લે કરી શકે છે. આ પ્રક્રિયા દ્વારા ટીમો પોતાની જરૂરિયાત મુજબ સ્ક્વોડમાં ફેરફાર કરી શકે છે. ટ્રેડ વિન્ડો IPL સિઝન પૂરી થયા બાદ શરૂ થાય છે અને આગામી ઓક્શનના થોડા દિવસો પહેલાં બંધ થઈ જાય છે.

IPLમાં ત્રણ રીતે થાય છે ટ્રેડિંગ

IPLમાં ટ્રેડિંગ મુખ્યત્વે ત્રણ રીતે થઈ શકે છે. પ્રથમ કેશલેસ સ્વેપ, જેમાં બે ટીમો સીધા ખેલાડીઓની અદલાબદલી કરે છે. બીજું કોન્ટ્રેક્ટ વેલ્યુ ટ્રાન્સફર, જેમાં એક ટીમ ખેલાડીને તેની મૂળ કિંમત ચૂકવીને ખરીદી શકે છે. ત્રીજું મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ, જેમાં બંને ફ્રેન્ચાઈઝી પોતાની વચ્ચે નક્કી કરેલી રકમના આધારે ટ્રેડ પૂર્ણ કરે છે.

 

ખેલાડીની સંમતિ સૌથી મહત્વપૂર્ણ

ટ્રેડ ડીલમાં ખેલાડીની સંમતિ સૌથી મહત્વપૂર્ણ હોય છે. કોઈપણ ખેલાડીને તેની મંજૂરી વિના બીજી ટીમમાં મોકલી શકાતો નથી. સાથે જ, જે ફ્રેન્ચાઈઝી ખેલાડીને છોડે છે તેની મંજૂરી પણ ફરજિયાત હોય છે.

ખેલાડીઓના પગારમાં તફાવત હોય ત્યારે શું?

જો ટ્રેડ દરમિયાન ખેલાડીઓના પગારમાં તફાવત હોય, તો વધુ પગાર ધરાવતા ખેલાડીને ખરીદનારી ટીમે વધારાની રકમ ચૂકવવી પડે છે. આ રકમ ટીમના પર્સમાંથી કાપવામાં આવે છે. આ જ કારણ છે કે હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત અથવા કુલદીપ યાદવ જેવી મોટી ટ્રેડ ડીલની ચર્ચા થાય ત્યારે તેની પાછળના નિયમો અને ફ્રેન્ચાઈઝીની વ્યૂહરચના સમજવી પણ એટલી જ જરૂરી બની જાય છે.

Breaking News: યશસ્વી જયસ્વાલ સદીઓના આ મામલામાં બન્યો નંબર-1, ગિલ-કોહલીને પાછળ છોડ્યા

Published On - 9:59 pm, Sat, 20 June 26

Follow Us