Ind Vs Pak: હવે ભારત-પાકિસ્તાન ટેસ્ટ મેચ રમાડવાની માંગ થવા લાગી, બે દિગ્ગજોએ ICC ને આપ્યો સંદેશ ક્યાં કેવી રીતે રમાડી શકાય

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે ઘણા સમયથી ટેસ્ટ મેચ રમાઈ નથી. આ બંને ટીમો છેલ્લે 2007માં ટેસ્ટ મેચ રમી હતી. પરંતુ ત્યારથી બંને ટીમો રમતના સૌથી લાંબા ફોર્મેટમાં આમને સામને થઈ નથી.

Ind Vs Pak: હવે ભારત-પાકિસ્તાન ટેસ્ટ મેચ રમાડવાની માંગ થવા લાગી, બે દિગ્ગજોએ ICC ને આપ્યો સંદેશ ક્યાં કેવી રીતે રમાડી શકાય
Virat Kohli-Babar Azam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 10:04 PM

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની ક્રિકેટ ટીમો (Ind vs Pak) વચ્ચેની હરીફાઈની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. સમગ્ર ક્રિકેટ જગતમાં જ્યારે પણ આ બંને ટીમો વચ્ચે મેચ થાય છે, ત્યારે સમગ્ર વિશ્વની નજર એક જ મેચ પર હોય છે. હાલમાં જ ICC T20 વર્લ્ડ કપ-2021 (T20 World Cup 2021) માં આ બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં પાકિસ્તાને જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો. આ પહેલા ભારત અને પાકિસ્તાનની ટીમો બંને ફોર્મેટના વર્લ્ડ કપમાં 12 વખત સામસામે આવી ચુકી છે. પરંતુ પાકિસ્તાનની ટીમ એક પણ વખત જીતી શકી નથી.

જો કે આ વખતે પાકિસ્તાને ટેબલ ફેરવી દીધું અને વર્લ્ડ કપમાં ભારતને પ્રથમ હાર આપી. ODI અને T20માં, આ બંને ટીમો ICC ઈવેન્ટ્સમાં મેચો રમે છે. પરંતુ ટેસ્ટમાં આ બંને લાંબા સમયથી એકબીજાનો સામનો કરી શક્યા નથી.

બંને ટીમો વચ્ચેની રાજકીય પરિસ્થિતિને કારણે બંને દેશો દ્વિપક્ષીય શ્રેણી રમી શકતા નથી. તેથી, 2007 થી ટેસ્ટમાં આ બંને ટીમો વચ્ચે કોઈ મેચ રમાઈ નથી. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક દેશને બીજા દેશ સામે રમવાની ફરજ પડી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વકાર યુનિસે (Waqar Younis) કહ્યું છે, કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિના આ ચેમ્પિયનશિપનો કોઈ અર્થ નથી. વકારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, આઈસીસીએ હસ્તક્ષેપ કરીને કંઈક કરવું જોઈએ કારણ કે, મારા માટે ભારત અને પાકિસ્તાનની મેચ વિના ટેસ્ટ ચેમ્પિયનશિપનો કોઈ અર્થ નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઓસ્ટ્રેલિયામાં યોજાઈ શકે મેચ

એડિલેડમાં 2015ના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. દક્ષિણ ઓસ્ટ્રેલિયાની સરકારે કહ્યું હતું કે આ મેચની ટિકિટ માત્ર 12 મિનિટમાં વેચાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં આ દેશ ભારત-પાક મેચ માટે યોગ્ય સ્થળ બની શકે છે .ઓસ્ટ્રેલિયા તે દેશોમાંથી એક છે જ્યાં લોકો ક્રિકેટને પસંદ કરે છે.

પાકિસ્તાનમાં જન્મેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજા (Usman Khwaja) એ આના પર કહ્યું, જ્યારે તમે ઓસ્ટ્રેલિયામાં હોવ ત્યારે કોણ રમી રહ્યું છે, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે ઉપખંડના લોકોને તમારી તરફ ખેંચો છો. જ્યારે હું આ જોઉં છું, ત્યારે મને લાગે છે કે ઓસ્ટ્રેલિયામાં અમે તેને સારી રીતે કરી શકીશું. આપણે ક્યાંથી છીએ તેનો વિચાર પણ કરતા નથી. અમારા માટે તે કોઈ વાંધો નથી.

તેણે આગળ કહ્યું, હું ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ થતી જોવા માંગુ છું. હું પાકિસ્તાની સ્પિનરોને ભારતીય સ્પિનરો સામે રમતા જોવા માંગુ છું, પાકિસ્તાની બેટ્સમેનોને ભારતીય બેટ્સમેનો સામે રમતા જોવું છે કારણ કે આ જ ખરી ટેસ્ટ છે. હું વિશ્વ ક્રિકેટનો આભારી રહીશ, જો આપણે બધા સાથે મળીને આ કરવામાં સફળ થઈશું તો તે અદ્ભુત હશે.

આ પણ વાંચોઃ T20 World Cup: ભારત સામે મળેલી હારની કસર ન્યૂઝીલેન્ડ સામે નિકાળશે અફઘાન ટીમ, રાશિદ ખાને કહ્યુ ક્વાર્ટર ફાઇનલ હશે એ મેચ 

આ પણ વાંચોઃ  T20 World Cup 2021: ઋષભ પંત એક હાથે છગ્ગા લગાવે છે એ વાત આ દિગ્ગજ ગળે ઉતરતી નથી, કહ્યુ બંધ કરો આમ કહેવાનુ

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">