AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : વિરાટ કોહલીએ બતાવ્યુ કેપ્ટનશીપ છોડવાનુ કારણ, આ લોકો સાથે વાત કરીને લીધો નિર્ણય, વાંચો નિવેદન

વિરાટ કોહલી (Virat Kohli) 2017 માં વનડે અને T20 ટીમના કેપ્ટન બન્યા હતા. તેણે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) પાસેથી ટીમના કેપ્ટનની જવાબદારી લીધી. તે પહેલી અને છેલ્લી વખત T20 વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરશે.

Virat Kohli : વિરાટ કોહલીએ બતાવ્યુ કેપ્ટનશીપ છોડવાનુ કારણ, આ લોકો સાથે વાત કરીને લીધો નિર્ણય, વાંચો નિવેદન
Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 9:11 PM
Share

ભારતીય ક્રિકેટમાં સૌથી મોટા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ સૌથી મોટો નિર્ણય લીધો છે. કોહલીએ ટીમની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક નિવેદન બહાર પાડ્યું છે અને T20 વર્લ્ડ કપ (T20 World Cup) બાદ T20 ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. વિરાટ કોહલી 2017 થી T20 અને વનડેમાં ટીમનો કેપ્ટન બન્યો છે. તેણે આ જવાબદારી પ્રસિદ્ધ ભારતીય કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) પાસેથી લીધી હતી.

ગુરુવારે એક નિવેદનમાં, કેપ્ટન કોહલીએ કહ્યું કે, તેણે કોચ રવિ શાસ્ત્રી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા સાથે ચર્ચા કરી હતી. પોતાના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને ઘણા વિચારો અને ચર્ચા બાદ ટીમમાંથી હટી જવાનો નિર્ણય કર્યો છે.

તાજેતરમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોહલી પોતે T20 વર્લ્ડ કપ બાદ T20 અને વનડે ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરશે. ત્યારથી અટકળો તીવ્ર હતી, જેને BCCI ના ઉચ્ચ અધિકારીઓએ ફગાવી દીધી હતી. જોકે, હવે કેપ્ટને પોતે તેના વતી જાહેરાત કરી છે. તે ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેશે. કોહલીની જગ્યા રોહિત શર્મા લેશે.

ટીમ ઇન્ડીયાની કેપ્ટનશીપ સૌભાગ્ય

કોહલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નિવેદન પોસ્ટ કરીને આ મોટા નિર્ણયની જાણકારી આપી. કોહલીએ પોતાનો નિર્ણય સમજાવતા કહ્યું, હું ખૂબ જ નસીબદાર છું કે મને માત્ર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક જ નથી મળી. ભારતીય ક્રિકેટ ટીમને મારી શ્રેષ્ઠતાનું નેતૃત્વ કરવાની તક પણ મળી છે. ભારતીય ટીમના કેપ્ટન તરીકે આ પ્રવાસમાં મારો સાથ આપવા બદલ હું દરેકનો આભાર માનું છું. ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, પસંદગી સમિતિ, મારા કોચ અને દરેક ભારતીય જે અમારી જીત માટે પ્રાર્થના કરે છે તે વિના આ શક્ય ન હોત.

વર્કલોડનો દબાણ ઓછુ કરવાની કોશિષ

પોતાના નિર્ણયનું કારણ સમજાવતા કોહલીએ કહ્યું હતુ. કામના ભારને સમજવો અને છેલ્લા 8-9 વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં સતત 5-6 વર્ષ સુધી ટીમનું નેતૃત્વ કર્યુ. આ બાદ મારા કામના ભારણને ધ્યાનમાં રાખીને, મને લાગ્યું કે, મારે મારી જાતને સમય આપવાની જરૂર છે. જેથી હું ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોઉં. T20 કેપ્ટન તરીકે, મેં ટીમ માટે મારું સર્વસ્વ આપ્યું છે અને બેટ્સમેન તરીકે ટી ​​20 ટીમ માટે બધું જ આપવાનું ચાલુ રાખીશ.

નજીકનાઓ, કોચ અને રોહિતની સાથે કરી ચર્ચા

કોહલીએ, આ નિર્ણય પર પહોંચતા પહેલા કોની સાથે ચર્ચા કરી તે પણ જણાવ્યું હતું. ભારતીય કેપ્ટનના મતે, નિશંકપણે, આ નિર્ણય સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો. મારા નજીકના મિત્રો, રવિભાઈ (કોચ રવિ શાસ્ત્રી) અને રોહિત, જે નેતૃત્વ જૂથનો મુખ્ય ભાગ છે, સાથે ખૂબ વિચાર -વિમર્શ અને ચર્ચા કર્યા પછી, મેં ઓક્ટોબરમાં દુબઈમાં T20 વર્લ્ડ કપ બાદ T20 કેપ્ટન પદ છોડવાનું નક્કી કર્યું.

ભારતીય કેપ્ટને એમ પણ કહ્યું કે, તેણે આ નિર્ણય અંગે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને પસંદગીકારોને પણ જાણ કરી છે. કોહલીએ કહ્યું કે તેઓ ભારતીય ક્રિકેટ અને ભારતીય ટીમની પોતાની ક્ષમતા મુજબ સેવા કરતા રહેશે.

આ પણ વાંચોઃ વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડી, T20 World Cup બાદ ટીમ ઇન્ડીયાના T20 માટે કોહલી નહી કેપ્ટન

આ પણ વાંચોઃ Asian Championship: ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રા એશિયન ચેમ્પિયનશિપ ટીમથી બહાર કરી દેવાઇ, ઓલિમ્પિકને લઇને કર્યો હતો મોટો આક્ષેપ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">