Virat Kohli : વિરાટ કોહલીએ બતાવ્યુ કેપ્ટનશીપ છોડવાનુ કારણ, આ લોકો સાથે વાત કરીને લીધો નિર્ણય, વાંચો નિવેદન

વિરાટ કોહલી (Virat Kohli) 2017 માં વનડે અને T20 ટીમના કેપ્ટન બન્યા હતા. તેણે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) પાસેથી ટીમના કેપ્ટનની જવાબદારી લીધી. તે પહેલી અને છેલ્લી વખત T20 વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરશે.

Virat Kohli : વિરાટ કોહલીએ બતાવ્યુ કેપ્ટનશીપ છોડવાનુ કારણ, આ લોકો સાથે વાત કરીને લીધો નિર્ણય, વાંચો નિવેદન
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 9:11 PM

ભારતીય ક્રિકેટમાં સૌથી મોટા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ સૌથી મોટો નિર્ણય લીધો છે. કોહલીએ ટીમની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક નિવેદન બહાર પાડ્યું છે અને T20 વર્લ્ડ કપ (T20 World Cup) બાદ T20 ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. વિરાટ કોહલી 2017 થી T20 અને વનડેમાં ટીમનો કેપ્ટન બન્યો છે. તેણે આ જવાબદારી પ્રસિદ્ધ ભારતીય કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) પાસેથી લીધી હતી.

ગુરુવારે એક નિવેદનમાં, કેપ્ટન કોહલીએ કહ્યું કે, તેણે કોચ રવિ શાસ્ત્રી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા સાથે ચર્ચા કરી હતી. પોતાના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને ઘણા વિચારો અને ચર્ચા બાદ ટીમમાંથી હટી જવાનો નિર્ણય કર્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તાજેતરમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોહલી પોતે T20 વર્લ્ડ કપ બાદ T20 અને વનડે ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરશે. ત્યારથી અટકળો તીવ્ર હતી, જેને BCCI ના ઉચ્ચ અધિકારીઓએ ફગાવી દીધી હતી. જોકે, હવે કેપ્ટને પોતે તેના વતી જાહેરાત કરી છે. તે ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેશે. કોહલીની જગ્યા રોહિત શર્મા લેશે.

ટીમ ઇન્ડીયાની કેપ્ટનશીપ સૌભાગ્ય

કોહલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નિવેદન પોસ્ટ કરીને આ મોટા નિર્ણયની જાણકારી આપી. કોહલીએ પોતાનો નિર્ણય સમજાવતા કહ્યું, હું ખૂબ જ નસીબદાર છું કે મને માત્ર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક જ નથી મળી. ભારતીય ક્રિકેટ ટીમને મારી શ્રેષ્ઠતાનું નેતૃત્વ કરવાની તક પણ મળી છે. ભારતીય ટીમના કેપ્ટન તરીકે આ પ્રવાસમાં મારો સાથ આપવા બદલ હું દરેકનો આભાર માનું છું. ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, પસંદગી સમિતિ, મારા કોચ અને દરેક ભારતીય જે અમારી જીત માટે પ્રાર્થના કરે છે તે વિના આ શક્ય ન હોત.

વર્કલોડનો દબાણ ઓછુ કરવાની કોશિષ

પોતાના નિર્ણયનું કારણ સમજાવતા કોહલીએ કહ્યું હતુ. કામના ભારને સમજવો અને છેલ્લા 8-9 વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં સતત 5-6 વર્ષ સુધી ટીમનું નેતૃત્વ કર્યુ. આ બાદ મારા કામના ભારણને ધ્યાનમાં રાખીને, મને લાગ્યું કે, મારે મારી જાતને સમય આપવાની જરૂર છે. જેથી હું ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોઉં. T20 કેપ્ટન તરીકે, મેં ટીમ માટે મારું સર્વસ્વ આપ્યું છે અને બેટ્સમેન તરીકે ટી ​​20 ટીમ માટે બધું જ આપવાનું ચાલુ રાખીશ.

નજીકનાઓ, કોચ અને રોહિતની સાથે કરી ચર્ચા

કોહલીએ, આ નિર્ણય પર પહોંચતા પહેલા કોની સાથે ચર્ચા કરી તે પણ જણાવ્યું હતું. ભારતીય કેપ્ટનના મતે, નિશંકપણે, આ નિર્ણય સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો. મારા નજીકના મિત્રો, રવિભાઈ (કોચ રવિ શાસ્ત્રી) અને રોહિત, જે નેતૃત્વ જૂથનો મુખ્ય ભાગ છે, સાથે ખૂબ વિચાર -વિમર્શ અને ચર્ચા કર્યા પછી, મેં ઓક્ટોબરમાં દુબઈમાં T20 વર્લ્ડ કપ બાદ T20 કેપ્ટન પદ છોડવાનું નક્કી કર્યું.

ભારતીય કેપ્ટને એમ પણ કહ્યું કે, તેણે આ નિર્ણય અંગે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને પસંદગીકારોને પણ જાણ કરી છે. કોહલીએ કહ્યું કે તેઓ ભારતીય ક્રિકેટ અને ભારતીય ટીમની પોતાની ક્ષમતા મુજબ સેવા કરતા રહેશે.

આ પણ વાંચોઃ વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડી, T20 World Cup બાદ ટીમ ઇન્ડીયાના T20 માટે કોહલી નહી કેપ્ટન

આ પણ વાંચોઃ Asian Championship: ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રા એશિયન ચેમ્પિયનશિપ ટીમથી બહાર કરી દેવાઇ, ઓલિમ્પિકને લઇને કર્યો હતો મોટો આક્ષેપ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">