AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Record: વિરાટ કોહલીએ વિરેન્દ્ર સહેવાગને છોડ્યો પાછળ, ખાસ ઉપલબ્ધી મેળવતા ટોપ-5માં થયો સામેલ

IND vs WI 1st Test: ત્રીજા દિવસની રમતના અંતે વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ સારી ભાગીદારી રમત સાથે રમતમાં રહ્યા હતા. બંને ત્રીજા દિવસે આ પાર્ટનરશીપને વિશાળ બનાવવા પ્રયાસ કરશે. આમ વેસ્ટ ઈન્ડિઝની મુશ્કેલીઓ વધી જશે.

Virat Kohli Record: વિરાટ કોહલીએ વિરેન્દ્ર સહેવાગને છોડ્યો પાછળ, ખાસ ઉપલબ્ધી મેળવતા ટોપ-5માં થયો સામેલ
કોહલીએ વિરેન્દ્ર સહેવાગને છોડ્યો પાછળ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 7:10 AM
Share

ડોમિનિકા ટેસ્ટમાં ભારતે મજબૂત સ્થિતી મેળવી લીધી છે. મેચના બીજા દિવસની સંપૂર્ણ રમત રમીને ભારતીય ટીમે યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામે 162 રનની લીડ મેળવી છે. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ સદી નોંધાવી છે. યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી બીજા દિવસની રમતના અંતે નોટ આઉટ રહ્યા હતા. વિરાટ કોહલીએ બીજા દિવસની રમત દરમિયાન કોહલીએ 25 રન પુરા કરતા જ વિરેન્દ્ર સહેવાગને પોતાનાથી પાછળ છોડી દીધો છે.

ગુરુવારે પુરો દિવસ ભારતે બેટિંગ કરી હતી. ઓપનિંગ જોડીએ શાનદાર રમત દર્શાવતા 229 રનની ભાગીદારી નોંધાવી હતી. જયસ્વાલે શાનદાર પ્રદર્શન ડેબ્યૂ મેચમાં જ કર્યુ છે. જયસ્વાલની બેવડી સદી પર સૌની નજર ઠરી છે. બીજા દિવસના અંતે તે 143 રન સાથે રમતમાં હતો. વિરાટ કોહલી 36 રન સાથે રમતમાં હતો. આમ ભારતીય ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યુ છે. આ જ લક્ષ્ય સાથે કોહલી અને જયસ્વાલ શુક્રવારે રમતને આગળ વધારશે.

ટોપ ફાઈવમાં થયો સામેલ

સ્ટાર બેટર વિરાટ કોહલી હવે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવનારા ટોપ ફાઈવ બેટરની યાદીમાં સામે થઈ ચૂક્યો છે. કોહલીએ આ યાદીમાં હવે સહેવાગને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ ડોમિનિકા ટેસ્ટમાં બેટિંગ કરતા 25 રન પુરા કરવા સાથે જ તે ટોપ ફાઈવમાં સામેલ થયો હતો. વિરાટ કોહલીએ આ પહેલા જ 4 રન અગાઉ 8500 રન ટેસ્ટ ક્રિકેટમાં પુરા કર્યા હતા. હવે તે ટોપ ફાઈ બેટર્સની યાદીમાં સામેલ થયો છે. સહેવાગ પાંચમાં સ્થાન પર 8503 રન સાથે હતો. હવે તે છઠ્ઠા ક્રમે ધકેલાઈ ગયો છે.

કોહલીએ ઓપનર યશસ્વી જયસ્વાલને સાથ આપતા મક્કતાપૂર્વકની રમત દર્શાવી હતી. કોહલીએ સંપૂર્ણ રીતે સુરક્ષીત શોટ જમાવતો નજર આવ્યો હતો. કોહલીએ માહોલનો પૂરો ફાયદો ઉઠાવતા ધીમી રમત વડે રન નિકાળતો રહ્યો હતો. આમ જયસ્વાલને પણ સ્ટાર બેટરનો સારો સાથ મળી રહ્યો હતો. આમ બંને વચ્ચે સારી ભાગીદારી થઈ શકી છે. જેને હવે ત્રીજા દિવસે બંનેએ આગળ વધારી ભારતીય ટીમની સ્થિતિ વધુ સારી બનાવવાની છે.

ત્રીજા દિવસે પણ જામશે રમત

ટેસ્ટની ત્રીજા દિવસની રમત જામવાના સંકેત છે. વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી રહ્યા છે. બંનેની રમત મોટી ભાગીદારી રુપ જામશે તો, વેસ્ટ ઈન્ડિઝ માટે મુશ્કેલીઓ સર્જાઈ જશે. આ માટે જ કોહલીએ 96 બોલનો સામનો કરીને 36 રનની ધીમી રમત રમી હતી. કોહલીએ 80 બોલનો સામનો કરવા સુધી બાઉન્ડરી જ જમાવી નહોતી. આમ ધૈર્ય સાથે કોહલી બેટિંગ કરતો નજર આવી રહ્યો હતો. કોહલી અને જયસ્વાલ બાદ અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, રવિચંદ્રન અશ્વિન અને શાર્દૂલ ઠાકુર જેવા ખેલાડીઓ બેટિંગ કરવા માટે લાઈનમાં છે. આમ ભારતીય ટીમ વિશાળ સ્કોર ખડકીને યજમાનની મુશ્કેલીઓ વધારી શકે છે.

આ પણ વાંચોઃ  અમેરીકા જવા નિકળેલા 9 ગુજરાતીઓનો પાંચ મહિનાથી સંપર્ક કપાયો, પ્રાંતિજપોલીસે 2 એજન્ટો સામે નોંધી ફરીયાદ, 1 ની ધરપકડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">