Umran Malik એ 150 ની ઝડપ વડે દંગ કરી દીધા, છતાંય ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કરવા જોવી પડશે રાહ, આ પેસ બોલરોને મળશે તક

|

May 15, 2022 | 8:14 AM

ભારતીય ટીમે (Team India) આવતા મહિને દક્ષિણ આફ્રિકા (IND vs SA) સામે ઘરઆંગણે T20 શ્રેણી રમવાની છે અને પછી આયર્લેન્ડનો પ્રવાસ કરવો છે અને મુખ્ય ખેલાડીઓને આ બંને શ્રેણી માટે આરામ મળવાની ખાતરી છે.

Umran Malik એ 150 ની ઝડપ વડે દંગ કરી દીધા, છતાંય ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કરવા જોવી પડશે રાહ, આ પેસ બોલરોને મળશે તક
Umran Malik એ આઇપીએલમાં 18 વિકેટ ઝડપી છે

Follow us on

IPL 2022 ની સિઝન સમાપ્ત થવાના આરે છે. ટૂર્નામેન્ટમાં માત્ર 13 મેચો બાકી છે અને તે પછી ધ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર પરત ફરશે. હાલમાં IPL ની અલગ-અલગ ટીમો સાથે રમી રહેલા ભારતીય સ્ટાર્સ આવતા મહિનાથી ફરી એક ટીમ તરીકે વાદળી જર્સી પહેરીને જોવા મળશે. દરેક સિઝનની જેમ આ સિઝનમાં પણ કેટલાક નવા અને યુવા ખેલાડીઓ સામે આવ્યા છે, જેમને જલ્દીથી ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ની બ્લુ જર્સી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ વખતે પણ એવા કેટલાક નામ છે જેમાં એક નામ સનરાઈઝર્સ હૈદરાબાદના તોફાની બોલર ઉમરાન મલિક (Umran Malik) નું છે.

જૂન મહિનામાં દક્ષિણ આફ્રિકા અને પછી આયર્લેન્ડ સામે ટી-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી આ મહિને થવાની છે અને ઘણા મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવનાર છે. આવી સ્થિતિમાં યુવાનોને તક મળવાની ખાતરી છે. આમાં ઉમરાનનું નામ પણ સામેલ છે, પરંતુ ઉમરાન મલિકની 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે ઘણો ઉત્સાહ પેદા કર્યો છે, પરંતુ એવું લાગે છે કે તેણે રાષ્ટ્રીય ટીમની જવાબદારી નિભાવવાની બાકી છે, સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ તે તૈયાર નથી.

મોહસીન-અર્શદીપનો નંબર આવશે

રિપોર્ટ અનુસાર, આ વખતે પસંદગીકારો પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સના બે ડાબા હાથના ફાસ્ટ બોલર પર ફોકસ કરી રહ્યા છે. આ મુજબ લખનૌ સુપર જાયન્ટ્સના મોહસીન ખાનને છેલ્લી ઓવરના નિષ્ણાત અર્શદીપ સિંહ (પંજાબ)ની સાથે ટીમમાં તક મળી શકે છે. આ બંને બોલરોએ વિકેટ લેવાની સાથે સંયમિત બોલિંગ કરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મોહસિને માત્ર 6 મેચમાં 10 વિકેટ લીધી છે, જેમાં તેની ઈકોનોમી માત્ર 5.19 છે. બીજી તરફ અર્શદીપે 12 મેચમાં માત્ર 7 વિકેટ ઝડપી છે, પરંતુ ડેથ ઓવરોમાં તેની ઘાતક બોલિંગ રન પર લગામ લગાવવામાં સફળ રહી છે. તેનાથી વિપરિત, ઉમરાને 157 કિમી પ્રતિ કલાકની વિક્રમી ઝડપે બોલિંગ કરીને પ્રભાવિત કર્યા છે, પરંતુ ઘણી વખત તે ખૂબ ખર્ચાળ સાબિત થાય છે. જો કે, ઉમરાને 12 મેચમાં 18 વિકેટ ઝડપી છે, પરંતુ ઓવર દીઠ 9 રનના દરે રન ખર્ચવામાં આવે છે.

આ ખેલાડીઓને તક મળવાનું નક્કી છે

આ સિવાય એવું માનવામાં આવે છે કે તાજેતરમાં જ શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણીમાં રમનારા મોટાભાગના ખેલાડીઓ IPL માં તેમના વર્તમાન ફોર્મ છતાં રાષ્ટ્રીય ટીમમાં જાળવી રાખવાની ખાતરી છે. જો કે, આ માટે સૂર્યકુમાર યાદવ અથવા રવિન્દ્ર જાડેજાની ઈજાને ધ્યાનમાં લેવી પડશે અને જ્યારે દીપક ચહર હજુ પણ ઉપલબ્ધ રહેશે નહીં.

ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, દીપક હુડા જેવા બેટ્સમેન ધવન અને હાર્દિક સાથે બેટિંગમાં મુખ્ય ખેલાડીઓમાં હશે. સંજુ સેમસનને પણ જાળવી શકાય છે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં ભુવનેશ્વર કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષલ પટેલ, અવેશ ખાનનું સ્થાન લગભગ નિશ્ચિત છે. સ્પિન બોલિંગમાં રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલની શાનદાર જોડી ઉપરાંત કુલદીપ યાદવ પણ ટીમમાં સ્થાનનો દાવેદાર છે.

 

 

 

Next Article