ટીમ ઈન્ડિયાનું ‘ભવિષ્ય’ 340 મિનિટમાં નક્કી થશે, એશિયા કપ પહેલા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે!

એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત ક્યારે થશે? આ એક મોટો પ્રશ્ન છે. પરંતુ ટૂંક સમયમાં આ સવાલનો જવાબ મળી જશે. માત્ર 340 મિનિટમાં ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓનું ભવિષ્ય નક્કી થવા જઈ રહ્યું છે. ચાલો તમને જણાવીએ કે મામલો શું છે?

ટીમ ઈન્ડિયાનું 'ભવિષ્ય' 340 મિનિટમાં નક્કી થશે, એશિયા કપ પહેલા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે!
Team India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 1:55 PM

એશિયા કપ (Asia Cup 2023) શરૂ થવામાં 2 અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે અને હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ટીમ ઈન્ડિયા (Team India) કયા 15 ખેલાડીઓ સાથે એશિયા કપમાં રમશે. BCCI ટીમ જાહેર કરવા મામલે થોડી મોડી પડી છે. જેનું મુખ્ય કારણ 4 ખેલાડીઓની ફિટનેસ છે. કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને પ્રખ્યાત કૃષ્ણા ફિટ હોવાનું કહેવાય છે પરંતુ તેમની મેચ ફિટનેસ હજુ સાબિત થઈ નથી.

340 મિનિટમાં બનશે રોહિત શર્માની ટીમ!

તમને જણાવી દઈએ કે એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનો નિર્ણય માત્ર 340 મિનિટ દૂર છે. હા, 340 મિનિટમાં ટીમ ઈન્ડિયાના તે 17 ખેલાડીઓ પર નિર્ણય લેવામાં આવશે જેઓ એશિયા કપ અને સંભવતઃ વર્લ્ડ કપમાં દેશનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે. ચાલો હવે તમને જણાવીએ કે શું આ 340 મિનિટની વાત છે?

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

20 ઓગસ્ટે કરવામાં આવશે ટીમની જાહેરાત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત 20 ઓગસ્ટે કરવામાં આવશે. 20 ઓગસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા આયરલેન્ડમાં ત્રણ મેચની T20 સીરિઝની 2 મેચ રમશે. અહીંથી પસંદગીકારોને ખબર પડશે કે જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા સંપૂર્ણપણે ફિટ છે કે નહીં. આ સાથે જ પસંદગીકારો આ શ્રેણીમાં રમી રહેલા તિલક વર્માની બેટિંગ પર પણ નજર રાખશે.

બે T20 મેચ બાદ ચિત્ર સ્પષ્ટ થશે

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાની બે T20 મેચ લગભગ 340 મિનિટ ચાલશે કારણ કે T20માં એક ઈનિંગનો સમય 85 મિનિટનો હોય છે. વેલ T20 મેચ વહેલા-મોડા ખતમ થઈ જશે પરંતુ અહીં કહેવાનો ખરો અર્થ એ છે કે આયર્લેન્ડ સામેની 2 T20 મેચો પછી આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

બુમરાહ-કૃષ્ણા સારી લયમાં

તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા બંને લયમાં જોવા મળી રહ્યા છે. બુમરાહના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં તે પોતાની ગતિ અને બાઉન્સથી બેટ્સમેનોને પરેશાન કરી રહ્યો છે. જ્યારે કૃષ્ણાએ બેંગલુરુમાં T20 લીગ મેચમાં રમીને પોતાની બોલિંગનો પાવર બતાવ્યો છે. બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાની અસલી ફિટનેસ તો આયર્લેન્ડ સીરિઝમાં જ ખબર પડશે.

તિલક વર્મા બતાવશે દમ

આ બંને સિવાય તિલક વર્માનું પણ ઘણું બધું દાવ પર છે. આ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝ સીરિઝમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું, તે ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ હતો, પરંતુ જો તે આયર્લેન્ડમાં ફરીથી મોટો સ્કોર કરશે તો તેને એશિયા કપમાં તેને એન્ટ્રી મળી શકે છે. મતલબ કે તિલક વર્મા પાસે પણ માત્ર 340 મિનિટ જ છે.

આ પણ વાંચો : બેન સ્ટોક્સની ODI ટીમમાં વાપસી બાદ જોફ્રા આર્ચરે આવું કેમ કહ્યું – ઈંગ્લેન્ડે કર્યું ખોટું?

રાહુલ-અય્યર પર પણ રહેશે નજર

આયર્લેન્ડ સીરિઝમાં રમી રહેલા ખેલાડીઓનીં સાથે પર પસંદગીકારો બેંગલુરુમાં પ્રેક્ટિસ મેચ રમી રહેલા કેએલ રાહુલ અને શ્રેયસ ઐયર પર પણ નજર રાખી રહ્યા છે. અય્યર અને રાહુલ બંને ઈજા સામે રિકવર કરી રહ્યા હતા અને બેંગલુરુમાં 50-50 ઓવરની મેચોમાં રમી રહ્યા છે, જેથી તેઓ તેમની મેચ ફિટનેસ સાબિત કરી શકે. આમાં બંને બેટિંગ સિવાય ફિલ્ડિંગ પણ કરી રહ્યા છે.હવે જોવાનું એ રહેશે કે આ 340 મિનિટમાં શું થાય છે? એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓને સ્થાન મળ્યું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">