Team India: ટીમ ઇન્ડીયાના હેડ કોચની ભૂમિકા ક્યાં સુધી નિભાવશે એ વાત પર આખરે રવિ શાસ્ત્રી એ પાડ્યો ફોડ, કહ્યુ આમ

રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ મોટા પેકેજ સાથે ટીમ ઇન્ડીયા (Team India) ના મુખ્ય કોચની જવાબદારી સંભાળવામાં રસ કેમ ન લીધો? તેમણે આનો જવાબ મીડિયા રિપોર્ટસ મુજબ આપેલા ઇન્ટરવ્યૂમાં આપ્યો છે.

Team India: ટીમ ઇન્ડીયાના હેડ કોચની ભૂમિકા ક્યાં સુધી નિભાવશે એ વાત પર આખરે રવિ શાસ્ત્રી એ પાડ્યો ફોડ, કહ્યુ આમ
Ravi Shastri
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 1:02 PM

BCCI એ ટીમ ઈન્ડીયા (Team India) માં રવિ શાસ્ત્રી (Ravi Shastri) ના સ્થાન માટે કસરત શરૂ કરી છે. કારણ કે ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ પણ નવા કોચની શોધમાં એટલા માટે વ્યસ્ત છે, કે રવિ શાસ્ત્રીએ ફરીથી પદ સંભાળવામાં રસ દાખવ્યો નથી. મતલબ એ થયો કે ટી ​​20 વર્લ્ડ કપ (T20 World Cup) એટલે કે જ્યાં સુધી તેનો કરાર હતો.

કોચ તરીકે રવિ શાસ્ત્રીનો ટીમ ઈન્ડીયા સાથે આ તેમનુ છેલ્લુ અસાઇન્મેન્ટ હશે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે રવિ શાસ્ત્રીએ મોટા પેકેજ ધરાવતી ટીમ ઈન્ડીયાના મુખ્ય કોચની જવાબદારી સંભાળવામાં રસ કેમ ન લીધો? તો તેણે આ જવાબ મીડિયા રીપોર્ટમાં આપેલા ઇન્ટરવ્યુમાં આપ્યો છે.

રવિ શાસ્ત્રીએ મીડિયા રિપોર્ટનુસાર એક વાતચીતમાં ફરી મુખ્ય કોચ ન બનવાના સૌથી મોટા અને સચોટ કારણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, મને લાગે છે કે ટી ​​20 વર્લ્ડ કપ મારા માટે અલવિદા કહેવાનો યોગ્ય સમય હશે. મારે જે જોઈએ તે બધું મેં પ્રાપ્ત કર્યું છે. અમે 5 વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન હતા. બે વખત ઓસ્ટ્રેલિયામાં જીત મેળવી, ઈંગ્લેન્ડમાં જીત મેળવી. મેં માઇક અર્થટન ને કહ્યું, કોરોના સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયામાં જ ઓસ્ટ્રેલિયાને હરાવવું અને ઇંગ્લેન્ડમાં જીતવું મારા માટે અદભૂત સફળતા છે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં અમે 2-1 થી આગળ હતા. ઓવલ અને લોર્ડ્સમાં અમે જે રીતે રમ્યા તે પણ આશ્ચર્યજનક હતું.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

અપેક્ષાઓ કરતાં વધુ મળ્યું, બીજું શું જોઈએઃ શાસ્ત્રી

શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, અમે વ્હાઇટ બોલ ક્રિકેટમાં પણ વિશ્વના તમામ દેશોને હરાવ્યા છે. હવે જો અમે T20 વર્લ્ડ કપ જીતીએ, તો તે આપણા માટે સોના પર સુગંધ જેવુ હશે. આનાથી વધુ શું જોઈએ. મને લાગે છે કે હું ટીમ પાસેથી જે ઇચ્છતો હતો તેના કરતા વધારે પ્રાપ્ત કર્યું છે. કોરોનાના સમયમાં ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવવું અને ઈંગ્લેન્ડમાં જીતવું એ ભારતીય ક્રિકેટના છેલ્લા 4 દાયકાની સૌથી અદ્ભુત ક્ષણો છે.

શાસ્ત્રીએ તેમના વિદાયના સમાચારની પુષ્ટિ કરી, પરંતુ તેમનું સ્થાન કોણ લેશે?

ટીમ ઈન્ડિયા સાથે પોતાની સિદ્ધિઓ જણાવતા રવિ શાસ્ત્રીએ હવે મુખ્ય કોચ પદ પરથી તેમના વિદાયના સમાચારની પુષ્ટિ કરી દીધી છે. હવે તેમની જગ્યા કોણ લેશે, તે તો બાદમાં જ ખબર પડશે. પરંતુ અત્યારે સમાચાર છે કે BCCI શાસ્ત્રીના પદ માટે અનિલ કુંબલેના સંપર્કમાં છે. અન્ય એક અહેવાલ મુજબ, તેમણે વીવીએસ લક્ષ્મણને કોચ પદ માટે અરજી કરવા માટે પણ કહ્યું છે. આ દરમ્યાન, એવા પણ સમાચાર છે કે, શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન માહેલા જયવર્દનેનો પણ BCCI દ્વારા ટીમ ઈન્ડીયાના મુખ્ય કોચ બનવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે, જયવર્દને તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો.

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાનમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર ગોળીઓ, ગ્રેનેડ અને રોકેટ લોન્ચર વરસાવ્યા હતા, આંતકી હુમલાને યાદ કરતા કાંપી જવાય

આ પણ વાંચોઃ PAK vs NZ: ન્યુઝીલેન્ડે પ્રવાસ રદ કર્યો તો પાકિસ્તાનના ગૃહપ્રધાન લવારે ચઢ્યા, ષડયંત્ર રચ્યાનો આરોપ કરી ભારત પર દોષ ઢોળવાનો પ્રયાસ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">