વર્લ્ડ કપની ફાઈનલ વિરાટ કોહલીના કારણે હારી ટીમ ઈન્ડિયા? વીરેન્દ્ર સેહવાગનું ચોંકાવનારું નિવેદન

ભારતીય ટીમ ટૂંક સમયમાં T20 વર્લ્ડ કપ માટે અમેરિકા જવા રવાના થશે. પરંતુ આ પહેલા અનુભવી ઓપનર વીરેન્દ્ર સેહવાગે 2023 વર્લ્ડ કપ ફાઈનલને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. વીરેન્દ્ર સેહવાગે કોઈનું પણ નામ લીધા વિના વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતની હાર માટે વિરાટ કોહલી પર નિશાન સાધ્યું છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.

વર્લ્ડ કપની ફાઈનલ વિરાટ કોહલીના કારણે હારી ટીમ ઈન્ડિયા? વીરેન્દ્ર સેહવાગનું ચોંકાવનારું નિવેદન
sehwag & kohli
| Updated on: May 08, 2024 | 7:43 PM

ભારતીય ટીમ 2023 ODI વર્લ્ડ કપમાં એક પણ મેચ હાર્યા વિના ફાઈનલમાં પહોંચી હતી. ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેને ટ્રોફી માટે ફેવરિટ માનવામાં આવી હતી. એવું લાગી રહ્યું હતું કે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવશે. પરંતુ 19 નવેમ્બરે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હારથી સમગ્ર દેશને દુઃખ થયું હતું. એ હારનું દુ:ખ આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી. ફરી એકવાર આ મેચને યાદ કરીને પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે ભારતીય ટીમની ક્લાસ લીધી હતી. સેહવાગે નામ લીધા વિના હાર માટે વિરાટ કોહલીને જવાબદાર ગણાવ્યો.

સેહવાગે કોહલી પર નિશાન સાધ્યું

T20 વર્લ્ડ કપ 2024 માટે માત્ર ત્રણ અઠવાડિયા બાકી છે. આવી સ્થિતિમાં, ભારતીય ટીમ તેમજ ભૂતપૂર્વ ક્રિકેટરો અને ચાહકો આ ટૂર્નામેન્ટ જીતીને ટ્રોફીના દુકાળને સમાપ્ત કરવા માંગે છે. આ મુદ્દાને લઈને, 2011 વર્લ્ડ કપ વિજેતા વીરેન્દ્ર સેહવાગને પૂછવામાં આવ્યું કે શા માટે ભારત ICC ટ્રોફી જીતવામાં સક્ષમ નથી. આના પર તેણે ખૂબ જ તીક્ષ્ણ જવાબ આપ્યો. તેણે કહ્યું કે ટીમ નિર્ભય ક્રિકેટ નથી રમી રહી, તેથી જ ભારતીય ટીમને ICC ટૂર્નામેન્ટમાં સફળતા નથી મળી રહી.

હારનું મુખ્ય કારણ કોહલી-કેએલ રાહુલની બેટિંગ?

2023ના વર્લ્ડ કપને યાદ કરતા સેહવાગે વિરાટ કોહલી અને કેએલ રાહુલ પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કે રોહિત શર્મા ફાઈનલમાં આઉટ થતાં જ ટીમ સંપૂર્ણપણે બેકફૂટ પર ચાલી ગઈ હતી. 11 થી 40 ઓવરની વચ્ચે કોઈએ એટેક કર્યો ન હતો અને આ દરમિયાન માત્ર 2 ચોગ્ગા ફટકાર્યા હતા અને આ હારનું મુખ્ય કારણ બન્યું હતું. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને કેએલ રાહુલે આ ઓવરોમાં સૌથી વધુ બેટિંગ કરી હતી.

ટીમને ટ્રોફી જીતતા શીખવ્યું

વીરેન્દ્ર સેહવાગે પણ T20 વર્લ્ડ કપ પહેલા ટ્રોફી જીતવાનો પાઠ આપ્યો છે. તેણે ભારતીય ટીમને દરેક મેચ નોક આઉટની જેમ રમવાની સલાહ આપી હતી. સેહવાગે કહ્યું કે 2007 થી 2011 સુધી ભારતીય ટીમ આ જ માનસિકતા સાથે રમી હતી. તેણે વધુમાં કહ્યું કે આ રીતે રમવાથી ખેલાડીઓ નીડર બને છે અને સારા પ્રદર્શનની શક્યતાઓ વધી જાય છે.

આ પણ વાંચો : IPL 2024: 4.4 કરોડની કમાણી કરનાર બોલર પાકિસ્તાન સામે નહીં રમે, ભારતમાં IPL સિઝન છોડી નહીં જાય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો