IND vs PAK : ‘અમે શિકાર કરીશું’… ભારત-પાકિસ્તાન મેચ પર હાર્દિક પંડ્યાએ ખુલ્લેઆમ કરી મોટી જાહેરાત

|

Jun 06, 2024 | 10:56 PM

T20 વર્લ્ડ કપ 2024ની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા પણ ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને આસાનીથી હરાવીને પાકિસ્તાનને ચેતવણી આપી હતી. હવે હાર્દિક પંડ્યાએ પોતાના નિવેદનથી પોતાનો ઈરાદો સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધો છે.

IND vs PAK : ‘અમે શિકાર કરીશું’… ભારત-પાકિસ્તાન મેચ પર હાર્દિક પંડ્યાએ ખુલ્લેઆમ કરી મોટી જાહેરાત
Hardik Pandya

Follow us on

ઉતાર-ચઢાવ સામે લડતા, ટીકા અને ખરાબ સમયનો સામનો કરતા ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ 2024માં જોરદાર શરૂઆત કરી છે. વોર્મ-અપ મેચમાં ફોર્મમાં પરત ફરવાના સંકેત દેખાડનાર પંડ્યાએ ટીમની પ્રથમ મેચમાં પણ આ જ સ્ટાઈલ ચાલુ રાખી અને આયર્લેન્ડ સામે શાનદાર બોલિંગ કરીને ટીમ ઈન્ડિયાને જીત તરફ દોરી ગઈ. સારી શરૂઆત બાદ હવે દરેક 9 જૂનની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. ચાહકોની જેમ ટીમ ઈન્ડિયા પણ આ માટે ઉત્સાહિત છે અને હાર્દિક પંડ્યાએ સીધો શિકાર કરવાની જાહેરાત કરી દીધી છે.

ભારતની દમદાર શરૂઆત

9 જૂને ટીમ ઈન્ડિયાએ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં તેની પ્રથમ મેચમાં આયર્લેન્ડને સરળતાથી 8 વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની જીતમાં ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને આયર્લેન્ડને માત્ર 96 રનમાં ઓલઆઉટ કરી દીધું. હાર્દિક પંડ્યાએ પોતે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી જ્યારે જસપ્રીત બુમરાહે 3 ઓવરમાં માત્ર 6 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજે પણ કમાલ કરી હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

હાર્દિક પંડ્યાએ ભર્યો હુંકાર

આયર્લેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાનું સમગ્ર ધ્યાન હવે પાકિસ્તાન સામેની ટક્કર પર છે, જેના પર દુનિયાભરના ક્રિકેટ ચાહકોની નજર ટકેલી હશે. આ મેચ પણ ન્યૂયોર્કમાં જ યોજાવાની છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામેના મુકાબલા જેવું જ પ્રદર્શન કરવા ઈચ્છશે અને ટીમના વાઈસ કેપ્ટન હાર્દિકે આ વાતની જાહેરાત પણ કરી દીધી છે. BCCI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વિડિયોમાં હાર્દિકે કહ્યું હતું કે તમામ ખેલાડીઓ મેચમાં દમદાર પ્રદર્શન કરવા ઈચ્છશે અને ટીમ પાસે મેદાન પર જઈને શિકાર કરવાનું જ લક્ષ્ય છે.

ખેલાડીઓમાં પણ ઉત્સાહ

ગત T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની યાદગાર જીતના હીરોમાં સામેલ હાર્દિકે કહ્યું કે આ મેચ હંમેશા રોમાંચક હોય છે અને ખેલાડીઓ પણ તેના માટે ઉત્સાહિત હોય છે, પરંતુ પ્રશંસકોનો ઉત્સાહ અનેક ગણો વધુ છે. આ મેચનું વાતાવરણ ટીમની હોટલમાં જ બની ગયું છે, બધા આ મેચની રાહ જોઈ રહ્યા છે અને જો ટીમ જોરદાર પ્રદર્શન કરશે તો તે બધા માટે યાદગાર દિવસ હશે.

આ પણ વાંચો : ઓમાનના કેપ્ટને લીધો T20 વર્લ્ડ કપનો સૌથી શાનદાર કેચ, ગ્લેન મેક્સવેલના પગ નીચેથી જમીન સરકી ગઈ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:08 pm, Thu, 6 June 24

Next Article