T20 World Cup: વિશ્વકપ દરમ્યાન કોરોના સંક્રમણ ફેલાવવાને લઇને ટૂર્નામેન્ટ અંગે આમ લેવાશે નિર્ણય, જાણો શુ કરાયુ છે આયોજન

ICC ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) આ મહિનાની 17 મીથી શરૂ થઈ રહ્યો છે જે 14 નવેમ્બર સુધી ચાલશે.

T20 World Cup: વિશ્વકપ દરમ્યાન કોરોના સંક્રમણ ફેલાવવાને લઇને ટૂર્નામેન્ટ અંગે આમ લેવાશે નિર્ણય, જાણો શુ કરાયુ છે આયોજન
T20 World Cup Trophy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 10:01 PM

સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાન (Oman) માં આ મહિનાની 17 મી તારીખથી ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) શરૂ થઈ રહ્યો છે. જોકે આ વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો હતો, પરંતુ કોવિડના કારણે તેને ભારતની બહાર આયોજીત કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતુ. કારણ કે ભારતમાં કોવિડની સ્થિતિ થોડા મહિના પહેલા ભયંકર હતી. જેને કારણે આયોજન યુએઈ અને ઓમાનનમાં ખસેડવામાં આવ્યુ હતુ. તેમ છતાં કોવિડ (Covid19) નો ખતરો સમાપ્ત થયો નથી અને ICC તેનાથી બચવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

આઈસીસીના વચગાળાના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જ્યોફ અલ્લાર્ડીસે આ અંગે પુષ્ટિ કરી છે. કે જો કોઈ ટીમને કોવિડ-19 કેસ હોવાનું જણાય છે, તો કોઈપણ મેચનો નિર્ણય આઈસીસી દ્વારા રચાયેલી સમિતિ કરશે. આ સાથે, તેમણે સ્પષ્ટ કર્યું કે દ્વિપક્ષીય મેચોથી વિપરીત, કોઈ પણ સભ્ય દેશ આ બાબતે નિર્ણય કરી શકે નહીં.

આઈસીસી પહેલાથી જ તબીબી નિષ્ણાતોની એક સમિતિની રચના કરી ચૂકી છે. જેમાં BCCI (ભારતીય ક્રિકેટ બોર્ડ) ના ડો.અભિજિત સાલ્વીનો સમાવેશ થાય છે. કારણ કે તે સમજી શકાય છે, કે બાયો-બબલ હોવા છતાં, કેટલાક પોઝિટિવ કેસો સામે આવી શકે છે. અલ્લાર્ડીસે કહ્યું, મને લાગે છે કે અમે સભ્યો સાથેના અમારા સંવાદમાં ખૂબ જ સ્પષ્ટ રહ્યા છીએ. જો ટુર્નામેન્ટ દરમ્યાન કોઈ પોઝિટિવ કેસ આવે છે, તો અમે તેની કાળજી લેવા માટે એક સમિતિ બનાવી છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

સમિતિ કરશે નિર્ણય

અલ્લાર્ડીસે કહ્યું કે સમિતિને મેચો અંગે નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, મેચો અંગે કોઈ પણ નિર્ણય તે સમિતિ પોતે જ લેશે અને તે સભ્ય દેશો દ્વારા નક્કી કરવામાં આવશે નહીં. જેમ કે તેઓ દ્વિપક્ષીય ક્રિકેટમાં કરી શકે છે.

અલ્લાર્ડીસે એમ પણ કહ્યું કે ટી ​20 વર્લ્ડ કપ દરમ્યાન દરેક ટીમને બે ડીઆરએસ રેફરલ આપવામાં આવશે. તેમણે ‘વર્ચ્યુઅલ કોન્ફરન્સ કોલ’ દરમિયાન કહ્યું, અમે છેલ્લા 12 મહિનામાં ટી20 આંતરરાષ્ટ્રીય માટે અપનાવવામાં આવેલી રમતની શરતો સાથે ચાલુ રાખીશું. જેમાં દરેક ટીમને બે રિવ્યૂ આપવામાં આવ્યા છે. તેથી આ ટુર્નામેન્ટને અલગ ગણવાને બદલે અમે તે જ નિયમો પર ચાલુ રાખીશું જેની સાથે અમે છેલ્લા 12 કે 18 મહિનાથી રમી રહ્યા છીએ.

જલ્દી આવશે તટસ્થ અંપાયર

વચગાળાના સીઈઓએ સંકેત આપ્યો હતો કે, તટસ્થ અમ્પાયર પણ ટૂંક સમયમાં પાછા આવી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પરિસ્થિતિ અનુકૂળ બનતા જ ક્રિકેટ સંસ્થા તટસ્થ અમ્પાયરોનો ઉપયોગ શરૂ કરશે. કોવિડ-19 પછી, આઇસીસી દ્વારા મુસાફરી અને ‘લોજિસ્ટિકલ’ મુદ્દાઓને કારણે ઘરેલુ અમ્પાયરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

તેઓએ કહ્યુ, મને લાગે છે કે અમે આ ટુર્નામેન્ટ (આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડકપ) માં કામ કરવા માટે, અમારી એલિટ પેનલ અમ્પાયરો અને રેફરીઓને લાવવા માટે સક્ષમ છીએ. યુએઈ એક એવો દેશ છે, જે મુસાફરી પર વધારે પ્રતિબંધો લાદતો નથી. અલ્લાર્ડીસે કહ્યું કે જુદા જુદા દેશોમાં અલગ અલગ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જે તેને મુશ્કેલ બનાવી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે ઘરેલુ અમ્પાયરોએ છેલ્લા 18 મહિનામાં શાનદાર કામ કર્યું છે.

આ પણ વાંચોઃ Cricket: વિરાટ કોહલીનો હવે આ મહત્વનો રેકોર્ડ તૂટી ગયો, આયરલેન્ડની ટીમના ખેલાડીએ તોડી નાંખ્યો વિશ્વ વિક્રમ !

આ પણ વાંચોઃ Sabrkantha: MD ડ્રગ્સનો મામલો, 34 લાખના ડ્રગ્સનુ અમદાવાદ કનેકશન ખૂલ્યુ, આ ડ્રગ્સનો ઉપયોગ આ ‘ખતરનાક’ કામ માટે થાય છે!

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">