AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મહત્વનો ખેલાડી સાબિત થશે, આ દિગ્ગજે ગણાવ્યા તેના કારણો

હાર્દિક પંડ્યા (Hardik Pandya) આમ તો તેની છેલ્લી કેટલીક ઇનીંગમાં ખાસ પ્રદર્શન નહી કરી શકવાને લઇને સવાલોના ઘેરામાં રહ્યો છે. આ દરમ્યાન આ દિગ્ગજે તેની ખૂબીઓને ગણાવી વિશ્વકપમાં મહત્વની ભૂમિકા નિભાવશે એમ કહ્યુ છે.

T20 World Cup: સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મહત્વનો ખેલાડી સાબિત થશે, આ દિગ્ગજે ગણાવ્યા તેના કારણો
Hardik Pandya
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 8:46 PM
Share

ટીમ ઇન્ડીયા (Team India) નો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના છેલ્લા કેટલાક સમયથી પ્રદર્શનને લઇને સવાલ ઉઠી રહ્યા છે. શ્રીલંકા પ્રવાસ દરમ્યાન તે ખાસ સફળ રહી શક્યો નહોતો. તેણે શ્રીલંકા પ્રવાસ દરમ્યાન બોલીંગ નિયમી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમ્યાન વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે (Dinesh Karthik) ઓલરાઉન્ડરને ટી20 વર્લ્ડકપ (T20 World Cup) માટે મહત્વનો ખેલાડી ગણાવ્યો છે.

દિનેશ કાર્તિકનુ કહેવુ છે કે ભારતીય ટીમ માટે હાર્દિક પંડ્યાની ભૂમિકા મહત્વની રહેનારી છે. હાર્દિક પંડ્યાની ભૂમિકાને લઇને વાત કરતા તેણે કહ્યુ, હાર્દિક છઠ્ઠા નંબર પર બેટીંગ કરે છે. તે કેટલીક મીનીટોની અંદર જ મેચનુ પાસુ પલટી શકતો હોય છે. તેની પાસે તે ક્ષમતા છે.

તેની બોલીંગને લઇને પણ કાર્તિકે કહ્યુ હતુ, તે બેટીંગ ઉપરાંત બોલીંગમાં પણ પોતાનુ યોગદાન આપશે. તે 85-87 માઇલની ઝડપે બોલીંગ કરે છે. સાથે જ તે સ્લોઅર બોલ પણ ખૂબ સારી રીતે નાંખે છે. તે એક એવો ખેલાડી છે, જે ધીમી વિકેટો પર ખૂબ સારુ પ્રદર્શન કરી શકે છે. તે તેની ખૂબી છે. ઉપરાંત તે એક શાનદાર ફિલ્ડર છે. આમ આ બધા પાસાઓને લઇને મને ભારતીય ટીમ હાર્દિક પંડ્યા પર વધારે ડિપેન્ડ રહેશે.

અગાઉ પણ કાર્તિકે આ સંભાવના દર્શાવી હતી

આ પહેલા દિનેશ કાર્તિકે કહ્યુ હતુ કે, ભારતીય ટીમ T20 વિશ્વકપ ની સેમિફાઇનલમાં પહોંચશે. તેમાં શંકાને કોઇ સ્થાન નથી. તે માટે કાર્તિકે કારણ બતાવ્યુ હતુ કે, આઇપીએલ ને લઇને ભારતીય ખેલાડીઓ T20 ફોર્મેટનો ખૂબ અનુભવ થઇ ચુક્યો છે. જેનાથી તેમને ખૂબ ફાયદો મળશે. તેણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, વિશ્વકપની ફાઇનલ મેચ ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાય.

14 નવેમ્બરથી શરુ થશે T20 વિશ્વકપ

T20 વિશ્વકપના શિડ્યૂલનુ જાહેર થઇ ચુક્યુ છે. T20 વિશ્વકપની શરુઆતજ ઓક્ટોબર ની 17 મી તારીખ થી થશે. જેની પ્રથમ મેચ ઓમાનમાં રમાનારી છે. જ્યારે ફાઇનલ મેચ 14 નવેમ્બરે દુબઇમાં રમાનાર છે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરુઆત 24 ઓક્ટોબર થી પાકિસ્તાનની સામે ટક્કર સાથે કરશે. ભારતીય ટીમ જરુર આ વખતે T20 વિશ્વકપ ટાઇટલ પોતાના નામે કરવા ઇચ્છશે.

આ પણ વાંચોઃ Cricket: શૂન્ય પર વિકેટ ગુમાવવામાં ઈંગ્લીશ ખેલાડીઓ રહ્યા અવ્વલ, ભારતના ખેલાડીઓના પણ કેવા છે હાલ, જુઓ

આ પણ વાંચોઃ Virat Kohli: સચિન સાથે કેમ થવા લાગી વિરાટ કોહલીની તુલના? શુ આંકડાઓને લઇ કોહલી ચઢીયાતો સાબિત થઇ રહ્યો છે? જાણો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">