IND vs PAK: વરસાદથી ભારત-પાકિસ્તાનની મેચમાં વિક્ષેપ પડે તો આ રીતે આવશે નિર્ણય

|

Jun 09, 2024 | 8:51 PM

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ચાલી રહી છે. વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો છે. સવાલ એ છે કે જો વરસાદના કારણે ફરી વિક્ષેપ પડશે તો આ મેચનો નિર્ણય કેવી રીતે આવશે?

IND vs PAK: વરસાદથી ભારત-પાકિસ્તાનની મેચમાં વિક્ષેપ પડે તો આ રીતે આવશે નિર્ણય
Rohit & Dravid

Follow us on

T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે નાસાઉ કાઉન્ટીમાં મેચ રમાઈ રહી છે. પરંતુ વરસાદના કારણે આ મેચમાં વિલંબ થયો હતો. ટોસ પહેલા વરસાદ પડ્યો અને તે પછી તેને મુલતવી રાખવામાં આવ્યો. ન્યૂયોર્કમાં રવિવારે હવામાન ખરાબ રહેશે. જો મેચ શરૂ થાય તો પણ તે દરમિયાન વરસાદ પડી શકે છે. ખેર, સવાલ એ છે કે જો ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદે તબાહી મચાવી તો તેનું પરિણામ શું આવશે અને કઈ ટીમને ફાયદો થશે?

વરસાદ પડે તો શું પરિણામ આવશે?

જો ન્યૂયોર્કમાં વરસાદ નહીં અટકે તો ICCએ T20 વર્લ્ડ કપ 2024 માટે વધારાના સમયની જોગવાઈ કરી છે. ICCએ રમત પૂર્ણ કરવા માટે 90 મિનિટનો વધારાનો સમય આપ્યો છે. મતલબ કે જો 3 કલાક સુધી મેચ શરૂ ન થાય તો મેચ પૂર્ણ કરવા માટે દોઢ કલાકનો સમય આપવામાં આવશે. મતલબ કે ઓવરો કાપ્યા પછી મેચ શરૂ થશે. જો કે આમ છતાં જો મેચ નહીં થાય તો બંને ટીમો વચ્ચે 1-1 પોઈન્ટની વહેંચણી કરવામાં આવશે. લીગ રાઉન્ડ અને સુપર-8 માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.

ન્યૂયોર્કની હવામાનની સ્થિતિ

રવિવારે ન્યૂયોર્કની હવામાનની સ્થિતિ ભારત-પાકિસ્તાનના ચાહકોને ખુશ કરશે. કારણ કે સવારે 11 વાગ્યા સુધી જ વરસાદ છે અને તે પછી આખો દિવસ સુધી સૂરજ રહેશે. હવામાન વેબસાઈટ્સ અનુસાર, બપોરે 2 વાગ્યા સુધી આકાશમાં વાદળો અને સૂર્ય બંને રહેશે અને તે પછી તડકો રહેશે. ઉપરાંત વરસાદની સંભાવના પણ ઘટી જશે.

રોહિત શર્માની માતાની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર બધાના દિલ જીતી લીધા
શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક
Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 02-07-2024
માઈગ્રેનનો ઈલાજ મળી ગયો! નાળિયેર પાણીનો કરો આ રીતે ઉપયોગ

પાકિસ્તાને ટોસ જીત્યો હતો

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ન્યૂયોર્કની પિચ પર ટોસ જીત્યો હતો. તેણે પહેલા મેદાનમાં ફિલ્ડિંગ કરવાનું નક્કી કર્યું. ન્યૂયોર્કની પિચ પર પ્રથમ બેટિંગ કરીને માત્ર એક ટીમ જીતી શકી છે. તે મેચમાં કેનેડાએ આયર્લેન્ડને હરાવ્યું હતું. મોટા સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે પાકિસ્તાની ટીમે આઝમ ખાનને પોતાની ટીમમાંથી હટાવીને ઈમાદ વસીમને તક આપી છે.

આ પણ વાંચો : IND vs PAK: ભારત સામે મહામુકાબલા માટે પાકિસ્તાનની પ્લેઈંગ-11 આવી સામે, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:23 pm, Sun, 9 June 24

Next Article