T20 World Cup: ધોનીને ટીમ ઇન્ડીયાના મેન્ટર તરીકે પસંદ કરાતા હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યુ, ધોની છે એટલુ જ કાફી છે!

|

Sep 10, 2021 | 12:08 PM

રવિ શાસ્ત્રીએ એમએસ ધોની (MS Dhoni ) ને ટીમ ઇન્ડીયાથી જોડાવવા પર પોતાની પ્રથમ પ્રતિક્રીયા આપી છે. તેમણે કહ્યુ, એમએસ ધોની ડ્રેસિંગ રુમમાં કે ડગ આઉટમાં હોવાનો મતલબ હશે કે ખેલાડીઓને માટે સમસ્યાઓનુ સમાધાન. આ એક શાનદાર મૂવ છે.

T20 World Cup: ધોનીને ટીમ ઇન્ડીયાના મેન્ટર તરીકે પસંદ કરાતા હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યુ, ધોની છે એટલુ જ કાફી છે!
Ravi Shastri-MS Dhoni-Virat Kohli

Follow us on

T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ટીમ ઇન્ડિયા (Team India) ની પસંદગી કરવામાં આવી છે. અશ્વિન (Ashwin) આ 15 સભ્યોની ટીમમાં સૌથી આશ્ચર્યજનક નામ હતું. એમએસ ધોની (MS Dhoni) પણ મુખ્ય ચર્ચામાં છે, કારણ કે તે મેન્ટર તરીકે T20 વર્લ્ડ કપ માટે પસંદ થયેલી ટીમ ઇન્ડિયાનો ભાગ બની ગયો છે. જોકે, ધોનીને માર્ગદર્શક બનાવવામાં આવે ત્યારે મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની પ્રથમ પ્રતિક્રિયા મહત્વની બની જાય છે.

આવી સ્થિતિમાં જ્યારે મીડિયા રિપોર્ટસમાં તેમને આ વિશે પૂછ્યું ત્યારે શાસ્ત્રીએ કહ્યું કે આ એક શ્રેષ્ઠ મૂવ છે, જેનો ફાયદો આપણે T20 વર્લ્ડ કપમાં જોઈ શકીએ છીએ.

રવિ શાસ્ત્રીએ મીડિયા રિપોર્ટસમાં કહ્યું, ટીમ માટે આનાથી વધુ સારું બીજું કંઈ હોઈ શકે નહીં કે ધોની તેની સાથે જોડાયેલો છે. BCCI એ ખરેખર સારો વિચાર કર્યો છે અને યોજના અમલમાં મૂકી છે. ડ્રેસિંગ રૂમ અથવા ડગઆઉટમાં એમએસ ધોની એટલે ખેલાડીઓ માટે સમસ્યાનું નિરાકરણ. આ એક શાનદાર મૂવ છે. BCCI ના સચિવ જય શાહે ધોનીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી ચુક્યા છે.

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

ધોની T20 ના સફળ કેપ્ટનોમાંનો એક છે

IPL 2021 ના ​​બીજા તબક્કાની શરૂઆતના ઘણા સમય પહેલા ધોની UAE માં છે. ત્યાં તે તેની IPL ટીમ CSK સાથે જોડાયેલો છે. ધોનીની ગણતરી રોહિત શર્મા સાથે ભારતના સૌથી સફળ T20 કેપ્ટનોમાં થાય છે. આવી સ્થિતિમાં, ડ્રેસિંગ રૂમમાં ધોનીની હાજરીનો અર્થ ટીમ ઇન્ડિયા માટે વિન-વિન સિચ્યૂએશન હશે.

સૂત્રોએ જણાવ્યું કે ધોનીની હાજરી મેદાનમાં આગ અને પાણી બંનેની માનસિકતા આપશે. રવિ શાસ્ત્રી જેવા કોચ હશે જે એક ઇંચ પણ રાહત નહીં આપે. ટીમમાં ધોની જેવા શાંત દિમાગના માર્ગદર્શક હશે. તે જ સમયે, ટીમ ઇન્ડિયાના કેપ્ટન મેદાન પર જોવા મળશે, જે આક્રમક અભિગમ હશે.

 

આ પણ વાંચો: T20 World Cup: ધોનીને ટીમ ઇન્ડીયાના મેન્ટર બનાવવા પર ગૌતમ ગંભીરે બતાવ્યુ કારણ, કહ્યુ-કેમ મળી છે ધોનીને આ જવાબદારી

આ પણ વાંચોઃ IND vs ENG: માંચેસ્ટરમાં પ્રથમ જીત નોંધાવવા 85 વર્ષથી રાહ જોઇ રહી છે ટીમ ઇન્ડીયા, જોશમાં રહેલી ભારતીય ટીમ ખતમ કરશે ઇંતઝાર?

 

 

Next Article