AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI વર્લ્ડ કપ 2023ની ટીમ ઈન્ડિયામાં યશસ્વી જયસ્વાલનું નામ જોવા માંગે છે સૌરવ ગાંગુલી

યશસ્વી જયસ્વાલે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને તેની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ગાંગુલીને તેની બેટિંગ ઘણી પસંદ આવી છે અને હવે ગાંગુલી યશસ્વીને વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં રમતો જોવા માંગે છે.

ODI વર્લ્ડ કપ 2023ની ટીમ ઈન્ડિયામાં યશસ્વી જયસ્વાલનું નામ જોવા માંગે છે સૌરવ ગાંગુલી
Ganguly & Yashaswi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 10:13 PM
Share

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ઈચ્છે છે કે વેસ્ટ ઈન્ડિઝમાં શાનદાર ડેબ્યૂ કરનાર યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) આ વર્ષે ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બને. યશસ્વીએ તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ મેચમાં 171 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો હતો. યશસ્વીની આ ઈનિંગ જોઈને ગાંગુલી ખૂબ જ પ્રભાવિત થયો હતો.

યશસ્વીએ ગાંગુલીનો તોડ્યો હતો રેકોર્ડ

વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી ટેસ્ટમાં યશસ્વીએ પોતાની ઈનિંગથી ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો. યશસ્વી ભારતની બહાર ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ભારતીય બેટ્સમેન બન્યો હતો. તેના પહેલા આ રેકોર્ડ ગાંગુલીના નામે હતો જેણે 1996માં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 131 રન બનાવ્યા હતા.

લાંબા સમય સુધી ભારતીય ટીમમાં રમવાની ક્ષમતા

ગાંગુલીએ ડાબા હાથના બેટ્સમેન યશસ્વીના વખાણ કર્યા છે. એક અહેવાલ મુજબ, ગાંગુલીએ કહ્યું કે તે યશસ્વીને આ વર્ષે ભારત દ્વારા આયોજિત થનારી ODI વર્લ્ડ કપ ટીમમાં જોવા માંગે છે. ગાંગુલીને લાગે છે કે યશસ્વી પાસે એવો સ્વભાવ અને કૌશલ્ય છે જે ખેલાડીને તેની કારકિર્દીમાં આગળ વધવા માટે જરૂરી છે. ગાંગુલીએ કહ્યું કે તેણે યશસ્વીને IPLમાં નજીકથી જોયો છે પરંતુ લાલ બોલની રમત અલગ છે અને કહ્યું કે તેની પાસે ટેસ્ટમાં સફળ થવાની ક્ષમતા છે. ગાંગુલીએ કહ્યું કે તેમને લાગ્યું કે યશસ્વીમાં લાંબા સમય સુધી ભારતીય ટીમમાં રમવાની ક્ષમતા છે.

આ પણ વાંચો : IND vs PAK: પાકિસ્તાનને હરાવતા પહેલા વિરાટ કોહલીને યાદ કરી રહ્યા છે ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ, જુઓ Video

યશસ્વીને ટીમમાં લેવાનું કારણ

ગાંગુલીએ કારણ પણ જણાવ્યું કે શા માટે તે યશસ્વીને ODI વર્લ્ડ કપ ટીમમાં જોવા માંગે છે અને આ કારણ ટેકનિકલ છે. ગાંગુલીએ કહ્યું કે તેને હંમેશા ડાબા હાથના બેટ્સમેન પસંદ છે અને તે ડાબા હાથના બેટ્સમેનોને ટોપ ઓર્ડરમાં જોવાનું પસંદ કરે છે. BCCIના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે આનાથી વિરોધી ટીમનું બોલિંગ આક્રમણ દબાણમાં આવે છે. જો કે યશસ્વીની ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સની ટીમમાં પસંદગી કરવામાં આવી છે અને તેના માટે વર્લ્ડ કપમાં રમવું અશક્ય છે, કારણ કે એશિયન ગેમ્સના થોડા જ દિવસોમાં જ ભારત વર્લ્ડ કપમાં પહેલી મેચ રમશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">