IPL 2022 ને લઇને સૌરવ ગાંગુલીએ BCCI નું જણાવ્યું પ્લાનિંગ, જાણો ક્યા શહેરોમાં રમાશે લીગની મેચ

|

Feb 03, 2022 | 6:44 PM

બીસીસીઆઈએ કોરોનાના કારણે આઈપીએલ-2020નું આયોજન યુએઈમાં કરાવ્યું હતું અને આઈપીએલ-2021ની અડધી સિઝન કોરોનાના કારણે યુએઈમાં રમાડવામાં આવી હતી.

IPL 2022 ને લઇને સૌરવ ગાંગુલીએ BCCI નું જણાવ્યું પ્લાનિંગ, જાણો ક્યા શહેરોમાં રમાશે લીગની મેચ
Sourav Ganguly (File Photo)

Follow us on

છેલ્લા 2 વર્ષ વિશ્વ માટે ઘણા ખરાબ સાબિત થયા છે. તેનું મુખ્ય કારણ કોરોનાની મહામારી. કોરોનાએ પુરી દુનિયામાં કોહરામ મચાવી દીધો છે અને તમામ કાર્યક્રમ બગાડી દીધા છે. કોરોનાની અસર ક્રિકેટમાં પણ પડી છે. આ મહામારીના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નું આયોજન છેલ્લા 2 વર્ષથી ભારતની બહાર થઇ રહ્યું છે. આઈપીએલ 2020ની સંપુર્ણ સિઝન સંયુક્ત અરબ અમીરાત (UAE) માં રમાઈ હતી. તો આઈપીએલ 2021ની પહેલી 29 મેચ ભારતમાં રમાઈ હતી. પણ કોરોનાનો કહેર વધી જતાં લીગ રોકી દેવી પડી હતી અને ત્યારબાદ ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લીગની બાકીની મેચ યુએઈમાં આયોજીત કરી હતી.

આ વખતે પણ ભારતીય ક્રિકેટ બોર્ડ આઈપીએલને ભારતમાં આયોજીત કરવાનો પ્લાન કરી રહી છે. આઈપીએલની તૈયારી પણ શરૂ કરી દીધી છે. હરાજી માટે ખેલાડીઓનુ અંતિમ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં આ હરાજી થવાની છે. આઈપીએલની તૈયારી પર બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ માહિતી આપી હતી.

આ છે બીસીસીઆઈનું પ્લાઇનિંગ

સૌરવ ગાંગુલીએ સ્પોર્ટસ્ટાર સાથે વાત કરતા જણાવ્યું કે આઈપીએલના પ્લાનિંગ પર વાત કરતા કહ્યું કે આ વખતે આઈપીએલની 15મી સિઝનનું આયોજન બોર્ડ ભારતમાં જ કરવા માંગે છે. જો કોરોનાનો કહેર ઓછો હશે તો. જ્યા સુધી સ્થળની વાત છે તો અમે મહારાષ્ટ્રમાં મુંબઈ અને પુનામાં આયોજીત કરવાનું વિચારી રહ્યા છીએ. નોકઆઉટ મેચના આયોજન સ્થળ માટે પછીથી નિર્ણય કરીશું.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આઈપીએલની હરાજી પર તમામની નજર

12 અને 13 ફેબ્રુઆરીએ થનારી હરાજીમાં 590 ખેલાડીઓ બોલી લગાવશે. બીસીસીઆઈએ ગત મંગળવારે હરાજી માટે અંતિમ લિસ્ટ જાહેર કર્યું હતું. આ હરાજી માટે કુલ 1214 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. નક્કી કરાયેલા 590 ખેલાડીઓમાં 228 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલા, 355 અનકેપ્ડ ખેલાડીઓ છે. તો વિદેશી ખેલાડીઓમાં 47 ખેલાડી ઓસ્ટ્રેલિયાના, બીજા ક્રમે વેસ્ટ ઇન્ડિઝના 34 ખેલાડીઓ, સાઉથ આફ્રિકાના 33 ખેલાડીઓ, ઇંગ્લેન્ડના 24, શ્રીલંકાના 23 અને અફઘાનિસ્તાનના 17 ખેલાડીઓની પસંદગી હરાજી માટે થઇ છે.

બાંગ્લાદેશ અને આયરલેન્ડના પણ ખેલાડીઓ આ લિસ્ટમાં છે. આ બંને દેશના 5-5 ખેલાડીઓનું નામ લિસ્ટમાં છે. તો નામિબિયાના 3 ખેલાડીઓ, સ્કોટલેન્ડના 2 ખેલાડીઓ, ઝિમ્બાબ્વે, નેપાળ અને અમેરિકાના 1-1 ખેલાડીઓની પસંદગી થઇ છે.

આ પણ વાચો : ધોનીનો નવો અવતાર સામે આવ્યો, ‘અથર્વ’ બનીને જંગ લડશે, પસંદ આવી રહ્યો છે લોકોને ધોનીનો નવો લુક

આ પણ વાચો : India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગલુરુમાં રમાશે પિંક-બોલ ટેસ્ટ મેચ, BCCI અધ્યક્ષ ગાંગુલીએ આપી જાણકારી

Next Article