AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shane Warne Death: શેન વોર્નનું મૃત્યુ કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, પોલીસે પણ આપ્યું નિવેદન

થાઈલેન્ડ પોલીસ દ્વારા સોમવારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નની મૃત્યુને લઇને નિવેદન આપ્યું છે. 4 માર્ચના રોજ શેન વોર્નનું હાર્ટએટેકના કારણે નિધન થયું છે.

Shane Warne Death: શેન વોર્નનું મૃત્યુ કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, પોલીસે પણ આપ્યું નિવેદન
Shane Warne (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 5:22 PM
Share

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્ન (Shane Warne)નું થાઈલેન્ડમાં નિધન થયું હતું. તેને લઈને પોલીસ તપાસ ચાલુ છે. સોમવારે થાઈલેન્ડ પોલીસ (Thailand Police)એ શેન વોર્નનું પોસ્ટમોર્ટમ રીપોર્ટ સોંપી દીધો છે. પોલીસનું કહેવું છે કે શેન વોર્નનું મોત કુદરતી થયું છે. તેમાં અત્યાર સુધી અન્ય કોઈ કારણ સામે નથી આવ્યું. થાઈલેન્ડ પોલીસ તરફથી નિવેદન જાહેર કર્યું છે. સમાચાર એજન્સીના રિપોર્ટ પ્રમાણે પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળી ગયો છે, જેમાં મેડિકલ ઓપિનિયન એજ છે કે શેન વોર્નનું મોત કુદરતી થયું છે. પોલીસ જલ્દીથી આ ઘટનાને લઇને વકીલો સાથે વાત કરશે.

52 વર્ષના શેન વોર્ન થાઈલેન્ડમાં રજા ગાળવા ગયો હતો. 4 માર્ચની સાંજે તેના મોતના સમાચાર આવ્યા આવ્યા હતા. શેન વોર્ન એક વિલામાં રોકાયો હતો. જ્યા વિલામાં એક રૂમમાં તેને હાર્ટ એટેક આવ્યો હતો. શેન વોર્નને એમ્બુલેન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પણ તેનું મોત થઈ ગયું હતું. થાઈલેન્ડ પોલીસે શરૂઆતમાં જ કોઈ પણ પ્રકારની ગડબડ હોવાનો ઈનકાર કર્યો હતો પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાનું કહ્યું હતું. પોલીસે શેન વોર્નના ત્રણ મિત્રો સાથે પુછપરછ કરી હતી.

મેનેજરે શેન વોર્નને લઈને આપી હતી જાણકારી

તમને જણાવી દઈએ કે શેન વોર્નના મેનેજરનું પણ મોતને લઈને નિવેદન સામે આવ્યું હતું. શેન વોર્નના મેનેજર જેમ્સ એર્સકિને ખુલાસો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર રજા પર જતા પહેલા બે સપ્તાહ સુધી આહારમાં માત્ર પ્રવાહી લઈ રહ્યા હતા. તેને છાતીમાં દુખાવો અને પરસેવો આવવાની ફરીયાદ કરી હતી.

એર્સકિને ‘નાઇન નેટવર્ક’ સાથે વાત કરતા કહ્યું કે તે અજીબોગરીબ ડાયટ કરતા હતા. હાલમાં જ આ પ્રકારની ડાયટમાં પ્રવાહી આહાર 14 દિવસ સુધી લઈ રહ્યા હતા. એવું તે ત્રણ-ચાર વાર કરી ચુક્યા છે.’ તેણે કહ્યું કે, “તેમાં તે કાળા અને લિલા કલરના જ્યુસ જ લઈ રહ્યા હતા. તે લાંબા સમય સુધી સિગારેટનું વ્યસન કરી રહ્યા હતા. મને લાગે છે કે તેને હાર્ટ એટેક જ આવ્યો હતો.”

મોતના થોડા દિવસ પહેલા જ શેન વોર્ને ઈન્ટાગ્રામમાં પોતાની જુની ફોટો શેર કરીને કહ્યું હતું કે તે વજન ઘટાડવાની પ્રક્રિયા કરી રહ્યા છે. તેણે પોસ્ટ કરીને લખ્યું હતું કે, “ઓપરેશન દુબળું થવાનું શરૂ થઈ ગયું છે અને લક્ષ્યાંક જુલાઈ સુધી શરીરને દુબળું કરવાનો છે.” શેન વોર્નના પરિવારે પણ થાઈલેન્ડ પોલિસને જણાવ્યું કે તેને હ્દય સાથે જોડાયેલ તકલીફો અને અસ્થમા હતો.

આ પણ વાંચો : Shane Warneની ડેડ બોડી સાથે એમ્બ્યુલન્સમાં દોઢ મિનિટ સુધી એકલી રહી મહિલા, ઉઠ્યા સવાલો

આ પણ વાંચો : Shane Warne: શેન વોર્નને યાદ કરીને રડી પડ્યો રિકી પોન્ટીંગ, કહ્યુ દોસ્ત ના રહ્યો, સ્વિકાર કરવો મુશ્કેલ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">