
ટીમ ઇન્ડિયાના અનુભવી ઓપનર રોહિત શર્મા માટે ઇંગ્લેન્ડ સામેની ODI સિરીઝ સારી રહી નથી. સિરીઝની પહેલી અને બીજી મેચમાં તેનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું. તે બંને મેચમાં લાંબા સમય સુધી ક્રીઝ પર રહ્યો પરંતુ સ્કોર કરવામાં નિષ્ફળ ગયો. દરમિયાન લોર્ડ્સ ખાતેની તેની છેલ્લી મેચના અહેવાલોએ પણ સામે આવ્યા હતા. લોર્ડ્સ ખાતેની અંતિમ ODI પહેલા રોહિત અને કોચ ગૌતમ ગંભીરનો એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ODI સિરીઝની નિર્ણાયક મેચ આજે 19 જુલાઈ, રવિવારના રોજ લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. મેચના એક દિવસ પહેલા શનિવારે (18 જુલાઈ) , ભારતીય ટીમે લોર્ડ્સમાં ખૂબ પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન રોહિત શર્મા, ગૌતમ ગંભીર અને બેટિંગ કોચ સિતાંશુ કોટક લોર્ડ્સ સ્ટેડિયમની બાલ્કનીમાં વાતો કરતા જોવા મળ્યા હતા. ખાસ કરીને ગંભીર મજાક કરતા જોવા મળ્યો હતો. જેના પર તે અને રોહિત બંને હસતા જોવા મળ્યા હતા.
Same venue, similar situation, will history repeat itself? #ENGvIND 3rd ODI SUN, 19th JULY, 2:30 PM on JioHotstar pic.twitter.com/pVg83jXwer
— Star Sports (@StarSportsIndia) July 18, 2026
ગંભીર અને રોહિત વચ્ચે શું વાતચીત થઈ હતી તે કહેવું મુશ્કેલ છે. જોકે ગંભીરના હાવભાવ જોઈને કેટલાક લોકોનું માનવું છે કે તેઓ કદાચ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની જર્સી લહેરાવવાની ઘટનાની નકલ કરી રહ્યો હતો. પરંતુ વીડિયો વાયરલ થવાનું મુખ્ય કારણ આ નહોતું. વીડિયો રોહિત અને ગંભીરની તાજેતરના વિવાદને કારણે વાયરલ થયો હતો. હકીકતમાં બીજી વનડેમાં રોહિતની નિષ્ફળતા પછી, એક અહેવાલ સામે આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પસંદગીકારોએ રોહિતને જાણ કરી હતી કે તેને ઇંગ્લેન્ડ સિરીઝ પછી પસંદ કરવામાં આવશે નહીં.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પસંદગી સમિતિ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે રોહિતને જાણ કરી હતી કે તે 2027 વર્લ્ડ કપ માટેની તેમની યોજનાઓનો ભાગ નથી. આ સ્થિતિમાં, લોર્ડ્સ ખાતે સિરીઝની અંતિમ મેચ પણ રોહિતની અંતિમ વનડે કારકિર્દી હશે. રોહિતને આ ગમ્યું નહીં અને તે તેનાથી ખુશ નહોતો. ત્યારથી એવી વાતો ચાલી રહી છે કે રોહિત અને ગંભીર વચ્ચેના સંબંધો હવે સારા નથી. જોકે આ દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ જ કારણ છે કે તાજેતરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બંને એકબીજા સાથે ખુલ્લેઆમ વાત કરતા જોવા મળે છે.
નોંધ: રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચે મતભેદ હોવાની કે રોહિતના વનડે ભવિષ્ય અંગે થયેલા દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.