IND vs WI: ટીમ ઇન્ડિયાની જીત છતા પણ કેપ્ટન રોહિત શર્મા ખેલાડીઓ પર નારાજ, ફિલ્ડીંગમાં નબળાઇને લઇ ઉઠાવ્યા સવાલ

ભારતે વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) સામેની બીજી T20I જીતી લીધી અને શ્રેણીમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી.

IND vs WI: ટીમ ઇન્ડિયાની જીત છતા પણ કેપ્ટન રોહિત શર્મા ખેલાડીઓ પર નારાજ, ફિલ્ડીંગમાં નબળાઇને લઇ ઉઠાવ્યા સવાલ
India Vs West Indies: ભારતે બીજી ટી20 મેચ જીતી સિરીઝમાં અજેય બન્યુ છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 8:57 AM

વિરાટ કોહલી (Virat Kohli) અને ઋષભ પંત (Rishabh Pant) ના અર્ધસદી બાદ, ભુવનેશ્વર કુમારની ડેથ ઓવરમાં કસીને કરેલી બોલિંગની મદદથી ભારતે શુક્રવારે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને આઠ રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. આ પહેલા ભારતે વેસ્ટ ઈન્ડિઝને વનડે શ્રેણીમાં 3-0 થી હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રવિવારે ઈડન ગાર્ડન્સમાં રમાશે. ટીમ ઈન્ડિયાને બીજી T20 માં ચોક્કસપણે જીત મળી પરંતુ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પોતાના ખેલાડીઓથી નારાજ દેખાયો છે.

રોહિતની નારાજગી બોલિંગ અને બેટિંગથી નહોતી. મેચ બાદ તેણે ટીમના બેટ્સમેન અને બોલરોના વખાણ કર્યા અને જીતને ટીમનો પ્રયાસ ગણાવ્યો. આ પછી તેણે કહ્યું કે તે તેની ટીમની ફિલ્ડિંગથી ખુશ નથી. રોહિતના મતે મેચના છેલ્લા બોલ સુધી પહોંચવાનું કારણ ખરાબ ફિલ્ડિંગ હતું. મેચમાં પણ તેની નારાજગી સ્પષ્ટ દેખાતી હતી.

રોહિત શર્મા ટીમની ફિલ્ડિંગથી નારાજ

મેચ બાદ પોસ્ટ પ્રેઝન્ટેશનમાં રોહિતે કહ્યું, ‘જ્યારે પણ તે વેસ્ટ ઈન્ડિઝ સામે રમે છે ત્યારે મેચ ખૂબ જ મુશ્કેલ બની જાય છે કારણ કે તે ખૂબ જ નીડર છે. ભુવનેશ્વરે પોતાના અનુભવનો ઉપયોગ કરીને ટીમને વાપસી કરાવી હતી. આ સાથે જ વિરાટ કોહલીએ પણ મહત્વની ઇનિંગ રમી હતી. પંત અને અય્યરે પણ અંતમાં સારી ભાગીદારી નોંધાવી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ પછી રોહિતે કહ્યું, ‘અમે સારી ફિલ્ડિંગ કરી ન હતી. હું તેનાથી થોડો નિરાશ છું. જો અમે તે કેચ લીધો હોત તો મેચની સ્થિતિ ઘણી અલગ હોત.

ટીમ ઈન્ડિયાએ ઘણા મહત્વપૂર્ણ કેચ છોડ્યા

વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ દરમિયાન ભારતીય ટીમે કેટલાક સારા કેચ છોડ્યા હતા, જેના કારણે રોહિત ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. પ્રથમ પાંચમી ઓવરમાં વેંકટેશ અય્યરે બ્રેન્ડન કિંગનો કેચ છોડ્યો હતો. તે જ સમયે, 10મી ઓવરમાં રવિ બિશ્નોઈએ નિકોલસ પૂરનનો કેચ છોડ્યો હતો. આ કેચ ભારત માટે મોંઘો હતો કારણ કે પૂરને રોવમેન પોવેલ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરીને મેચમાં તેની ટીમને પરત લાવ્યો હતો અને તેણે તોફાની અડધી સદી ફટકારી હતી.

આ પછી 15 ઓવરમાં કોહલીએ ડાઈવ કરીને રોહિત શર્મા પાસેથી કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો નહોતો. પોવેલે પણ નિર્ણાયક અડધી સદી ફટકારી હતી. પોવેલને 16મી ઓવરમાં તેનું બીજું જીવતદાન મળ્યું. ઓવરનો પાંચમો બોલ પોવેલના બેટની કિનારી સાથે અથડાયો અને વિકેટકીપર પંત પાસે ગયો પરંતુ તે કેચ લઈ શક્યો નહીં.

આ પણ વાંચોઃ IPL 2022: દિલ્હી કેપિટલ્સે ખરીદેલા આ યુવા ખેલાડીને બનવુ છે ‘રવિન્દ્ર જાડેજા’

આ પણ વાંચોઃ WWE નો આ સુપર સ્ટાર ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી સહિત અત્યાર સુધીમાં 4 ભારતીય ક્રિકટરોની તસ્વીરો શેર કરી ચુક્યો છે

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">