રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે તણાવની વાતમાં કેટલી સચ્ચાઈ? પૂર્વ કોચે કર્યો ખુલાસો, બતાવી હકીકત

રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને વચ્ચે મનભેદની ચર્ચાઓ એક સમયે ખૂબ ચર્ચાઈ રહી હતી. બંનેને લઈ મીડિયામાં ખૂબ સમાચારો ચમક્યા હતા, જોકે હવે પૂર્વ કોચે સ્થિતી સ્પષ્ટ કરી છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે તણાવની વાતમાં કેટલી સચ્ચાઈ? પૂર્વ કોચે કર્યો ખુલાસો, બતાવી હકીકત
Rohit Sharma and Virat Kohli વચ્ચે સંબંધોમાં તણાવ હતા?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 2:53 PM

ભારતીય ક્રિકેટ ટીમ ના કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બંનેના સંબંધોને લઈ અત્યાર સુધીમાં અનેક પ્રકારે ચર્ચાઓ થઈ છે. મીડિયા અને સ્પોર્ટસ શોમાં પણ ચર્ચા અને ટીપ્પણીઓ થઈ છે. વિરાટ અને રોહતિ વચ્ચે મનભેદ હોવાની ચર્ચાઓ થઈ ચૂકી છે. બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાની પણ એક સમયે ચર્ચાઓ થઈ રહી હતી. વિરાટ કોહલી એ સમયે ભારતીય ટીમનો સુકાની હતો. તે દરમિયાન જ રોહિત અને કોહલીના બે જૂથ ટીમ ઈન્ડિયામાં મોજૂદ હોવાની વાતો પણ થઈ રહી હતી.

પૂર્વ ફિલ્ડીંગ કોચ આર શ્રીધરે પોતાની વાત રોહિત અને વિરાટના ચર્ચાઓની મામલાને લઈ મુકી છે. તેમણે આ મામલે પોતાની બુક ‘Coaching Beyond’ માં આ મુદ્દા પર પોતાની વાત રાખી છે. શ્રીધરે બતાવ્યુ છે કે, આ પ્રકારના સમાચારો હતા પરંતુ એમાં કોહલી કે રોહિતની કોઈ ભૂલ નહોતી. સોશિયલ મીડિયા અને અનેક પ્રકારના મીડિયા રિપોર્ટસમાં આ બંને વચ્ચેના મનભેદની વાતને લઈ બુકમાં વાત લખી છે.

ચર્ચાઓ સામે આવી તો બેઠક બોલાવી

જ્યારે આ પ્રકારની ચર્ચાઓ સામે આવી હતી તો, એ સમયે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. બંને સ્ટાર ખેલાડીઓને બોલાવીને આ બાબતે વાતચિત કરી હતી. “2019 વર્લ્ડ કપ પછી, ડ્રેસિંગ રૂમ વિશે પ્રેસમાં ઘણું કહેવામાં આવ્યું હતું. અમને કહેવામાં આવ્યું હતું કે ટીમમાં રોહિત કેમ્પ અને વિરાટ કેમ્પ છે અને કોઈએ સોશિયલ મીડિયા પર બીજાને અનફોલો કરી દીધા છે. જો તમે આવી વસ્તુઓને તક આપો છો, તો આ વસ્તુઓ બગડી શકે છે. વર્લ્ડ કપ બાદ અમે ટી-20 સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝ પહોંચ્યા હતા. રવિએ અહીં સૌથી પહેલું કામ એ કર્યું કે તેણે વિરાટ અને રોહિત બંનેને બોલાવ્યા”.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

તેણે લખ્યું, “રવિએ બંનેને કહ્યું કે ભારતીય ક્રિકેટને સારું રાખવા માટે બંને ખેલાડીઓ એકબીજાની સાથે રહે તે જરૂરી છે. સોશિયલ મીડિયા પર જે ચાલી રહ્યું છે તેને ચાલવા દો. પરંતુ તમે બંને આ ટીમના સૌથી વરિષ્ઠ ખેલાડી છો, તેથી આવી વસ્તુઓ બંધ કરવી જોઈએ. હું ઈચ્છું છું કે તમે આ બધું પાછળ છોડીને સાથે આગળ વધો”.

શાસ્ત્રીના પ્રયાસે સ્થિતી સુધારી

શ્રીધરે લખ્યું છે કે રવિ શાસ્ત્રીની આ મુલાકાત થતાં જ બંને ખેલાડીઓ વચ્ચે સ્થિતિ સુધરી ગઈ હતી. તેણે લખ્યું, “તમે જોઈ શકો છો કે તે પછી વસ્તુઓ સારી થઈ છે. રવિનું પગલું એકદમ નરમ અને સરળ હતું. આનાથી બંને ખેલાડીઓ એક સાથે આવ્યા. રવિ આવા કામો કરવામાં સમય બગાડતો નથી. કોહલી અને રોહિતે રવિના શબ્દોમાં યોગ્યતા જોઈ અને તરત જ બિઝનેસમાં ઉતરી ગયા.”

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">