AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan, ODI World Cup: પાકિસ્તાન વિશ્વકપ રમવા ભારત નહીં આવે? અમદાવાદમાં રમવાને લઈ નજમ સેઠીના જવાબથી મચ્યો હડકંપ

PCB Chief Najam Sethi says what?: આગામી વનડે World Cup ને લઈ હવે શેડ્યૂલ જાહેર થવાની રાહ જોવાઈ રહી છે, ત્યાં પાકિસ્તાન દ્વારા નિવેદન બાજી કરીને સમસ્યાઓ સર્જી રહ્યુ છે. હવે ફરી વાર PCB ના અધ્યક્ષે નિર્ણયને લઈ નિવેદન કર્યુ છે.

Pakistan, ODI World Cup: પાકિસ્તાન વિશ્વકપ રમવા ભારત નહીં આવે? અમદાવાદમાં રમવાને લઈ નજમ સેઠીના જવાબથી મચ્યો હડકંપ
PCB chief Najam Shethi એ કર્યુ નિવેદન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 11:19 AM
Share

વનડે વિશ્વકપના શેડ્યૂલ જાહેર થવાને લઈ રાહ જોવાઈ રહી છે. આગામી વનડે વિશ્વકપ ભારતમાં રમાનાર છે. આ માટે BCCI દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરુ કરી દેવામાં આવી છે. પરંતુ શેડ્યૂલ ફાઈનલ થાય એ પહેલા જ પાકિસ્તાન તેની આદત પ્રમાણે નિવેદન બાજી કરીને સમસ્યાઓ સર્જી રહ્યુ છે. પાકિસ્તાન પહેલા ભારતમાં પોતાની સિક્યુરીટી ટીમ મોકલીને સ્થળ પસંદ કરવાની વાત કરી રહ્યુ હતુ. હવે ફરી પાછુ ભારત આવવાને લઈ PCB નહીં પણ પાકિસ્તાનની સરકાર નિર્ણય કરશે એવી વાતો કરવા લાગ્યુ છે. આ પ્રકારની નિવેદન બાજી હવેના સમયે કરીને પાકિસ્તાન વિશ્વકપ પહેલા ચર્ચાઓ બનાવી રહ્યુ છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાને લઈ સવાલના જવાબમાં નજમ સેઠીએ પાકિસ્તાનના ભારત પ્રવાસને લઈ અનિશ્ચિતતા હોવા જેવી વાત કરી દીધી હતી. આ પહેલા એમ માનવામાં આવી રહ્યુ હતુ કે, એશિયા કપની તારીખો નક્કી થઈ ચુકી છે, અને જેને લઈ હવે પરિસ્થિતી થાળે પડી રહી હોવાનુ લાગી રહ્યુ હતુ. પરંતુ આ દરમિયાન જ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ શેઠીએ જે શબ્દો કહ્યા છે, તેનાથી હવે મામલો ફરી એક વાર ગૂંચવાય એવી સ્થિતી પેદા કરી છે.

નવા નિવેદનથી હડકંપ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ હાલમાં જ એક નિવેદન આપ્યુ છે. આ નિવેદન બાદ ફરી એકવાર ગુંચવણ ઉભી કરવાની સ્થિતી સર્જી દીધી છે. ભારતીય ટીમ માટે હાઈબ્રીડ મોડલના ઈન્કાર કરવા દરમિયાન થયેલા નિવેદનની જેમ જ ફરી એજ સૂર સેઠીએ નિકાળ્યા છે. BCCI એ હાઈબ્રીડ મોડલ અપનાવવાથી ઈન્કાર કરી દીધો હતો, જે મોડલ મુજબ ભારતીય ટીમની મેચને પાકિસ્તાનની બહાર રમાડવાની વાત કરવામાં આવી હતી.

હવે નજમ સેઠીએ પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસને લઈ PCB નહીં પરંતુ પાકિસ્તાન સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. જોકે આવી વાત તેઓ અગાઉ પણ કરી ચુક્યા છે, પરંતુ હવે શેડ્યૂલ જારી થવાના સમયે જ્યારે સ્થિતી શાંત છે ત્યારે જ સેઠીએ આ શબ્દો કહ્યા છે. તેઓએ કહ્યુ હતુ કે, ભારત જઈને વિશ્વ કપ રમવો એ એમની સરકારનો નિર્ણય હશે. વિશ્વકપમાં રમવા માટે ભારત જવાને લઈને પણ તેમણે સસ્પેન્શ બનાવતા હોય એમ વાત કરી હતી.

પાકિસ્તાન વિશ્વકપનો હિસ્સો નહીં બને?

જે રીતે PCB ના અધ્યક્ષે વાત કરી છે તેને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે. સેઠીએ કહ્યુ હતુ કે, BCCI કે PCB ભારત અને પાકિસ્તાનના સંદર્ભમાં નિર્ણય કરતી નથી. નિર્ણય સરકારનો હોય છે. આમ અમારો ભારત જઈને રમવાને લઈ અંતિમ નિર્ણય પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવશે. આગળ પણ કહ્યુ હતુ કે, જેમ ભારત સરકાર નિર્ણય કરે છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં એવી જ રીતા પાકિસ્તાન સરકારનો નિર્ણય રહેશે કે, અમે ભારત જઈને રમીશુ કે નહીં.

અમદાવાદમાં રમવાને લઈને અગાઉ પાકિસ્તાન સવાલો કરી ચુક્યુ છે. આ દરમિયાન આ અંગેનો સવાલ થતા સેઠીએ બતાવ્યુ હતુ કે, પહેલા એ તો ફાઈનલ થઈ જવા દો કે, અમે વિશ્વ કપ રમવા માટે ભારત જઈ રહ્યા છે કે નહીં. એક વાર આ અંગેનો નિર્ણય થઈ જાય ત્યાર બાદ અમે અમદાવાદમાં રમવાને લઈ નિર્ણય કરીશું.

આ પણ વાંચોઃ  Rain in Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, ઉપરવાસ વિસ્તારમાં પોણા ચાર ઈંચ વરસાદ, જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">