AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: ભારત પ્રવાસ માટે પાકિસ્તાનના બદલવા લાગ્યા સૂર, પૂર્વ દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન

ODI World Cup 2023: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન મિસ્બાહ ઉલ હકે પોતાના દેશની ટીમને ભારત પ્રવાસ પર જવા પરવાનગી આપવાની વાત કહી હતી. મિસ્બાહે કહ્યુ હતુ કે ક્રિકેટને રાજનીતિથી દૂર રાખવુ જોઇએ કારણ કે ક્રિકેટ ફેન્સને આ મેચથી દૂર રાખવા તે યોગ્ય નથી.

World Cup 2023: ભારત પ્રવાસ માટે પાકિસ્તાનના બદલવા લાગ્યા સૂર, પૂર્વ દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન
Misbah-Ul-Haq suggests Pakistan should travel to India for World Cup
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 4:21 PM
Share

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કેપ્ટન મિસ્બાહ ઉલ હકે (Misbah-ul-Haq) પાકિસ્તાનની ટીમને ભારત પ્રવાસ માટે પરવાનગી આપવાની સલાહ આપી હતી, કારણ કે જો ટીમ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) રમવા નહીં જાય તો તે ક્રિકેટના ફેન્સ સાથે એક મોટો અન્યાય હશે. એક કાર્યક્રમમાં મિસ્બાહએ કહ્યુ હતુ કે બંને દેશ જ્યારે અન્ય રમતમાં રમી શકે છે તો પછી ક્રિકેટમાં કેમ નહીં. ક્રિકેટને રાજનીતિથી દૂર રાખી બંને દેશના ફેન્સને બંને ટીમેને એક-બીજા સામે રમતા જોવાની તક આપવી જોઈએ.

મિસ્બાહના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11,000થી વધુ રન

મિસ્બાહ ઉલ હકે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11,000થી વધુ રન કર્યા છે. મિસ્બાહએ કહ્યું હતુ કે,’જો પાકિસ્તાન ટીમને ભારત પ્રવાસ માટે પરવાનગી આપવામાં આવતી નથી તો આ એ ફેન્સ સાથે એક મોટો અન્યાય હશે કે જે ભારત અને પાકિસ્તાનની ટીમને વધુ પસંદ કરે છે.’ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાલમાં આઈસીસી અને ભારતીય ક્રિકેટ બોર્ડને જણાવ્યુ હતુ કે ભારત પ્રવાસ માટે ક્રિકેટ ટીમને પરવાનગી માટેનો નિર્ણય હવે પાકિસ્તાન સરકાર કરશે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિશ્વ કપ ભારતમાં યોજાવાનું છે.

આ પણ વાંચો : Sri Lanka vs Pakistan Test series: પાકિસ્તાનનો બોલર મેચની વચ્ચે ભૂલી ગયો હતો બોલિંગ, એક બોલ નાખવા લીધા 5 વખત રનઅપ, Video થયો વાયરલ

ભારતે એશિયા કપ માટે પાકિસ્તાન પ્રવાસ માટે ના પાડી હતી

ભારતીય ક્રિકેટ બોર્ડે એશિયા કપ 2023 માટે પાકિસ્તાન પ્રવાસ પર જવા માટે ભારતીય ટીમને પરવાનગી આપી ન હતી. તેથી હવે એશિયા કપની ટુર્નામેન્ટ ‘હાઇબ્રિડ’ રીતે રમાવાની છે. 31 ઓગસ્ટ થી 17 સપ્ટેમ્બર વચ્ચે યોજાનાર એશિયા કપમાં લીગ સ્ટેજની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે અને 9 મેચ શ્રીલંકામાં રમાશે. મિસ્બાહનું માનવુ છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ માટે ભારત પ્રવાસ પર જવુ જોઇએ અને ભારતીય ક્રિકેટ ટીમે પણ પાકિસ્તાનમાં રમવા આવવુ જોઇએ.

આ પણ વાંચો: IND vs WI: પ્રથમ ટેસ્ટ મેચમાં જયસ્વાલ અને ભારતીય ક્રિકેટ ટીમે તોડયા આ રેકોર્ડ

તેણે કહ્યું કે,’નિશ્ચિત રૂપે પાકિસ્તાને ભારતમાં વિશ્વ કપ રમવા માટે જવુ જોઇએ. હું જેટલી વાર પણ ભારત ક્રિકેટ રમવા ગયો છુ ત્યારે મેચના તણાવ અને ફેન્સની ભીડનો આનંદ લીધો છે. આનાથી ખેલાડીઓને પ્રોત્સાહન મળે છે અને ભારતની પીચ અને હવામાન ખેલાડીઓને અનુકૂળ હોય છે. પાકિસ્તાનની ટીમ ભારતની પીચ પર સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.’

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">