Heath Streak: હીથ સ્ટ્રીકના મૃત્યુના સમાચાર નકલી નીકળ્યા, ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટને કહ્યું- હું જીવિત છું

ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર હીથ સ્ટ્રીકના મૃત્યુના સમાચાર ખોટા છે. આ અનુભવી ખેલાડીએ પોતે જ માહિતી આપી હતી કે તે હજુ પણ જીવિત છે અને તેની તબિયત સારી છે. હીથ સ્ટ્રીક કેન્સર સામે લડી રહ્યો છે.

Heath Streak: હીથ સ્ટ્રીકના મૃત્યુના સમાચાર નકલી નીકળ્યા, ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટને કહ્યું- હું જીવિત છું
Heath Streak
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 12:39 PM

ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર હીથ સ્ટ્રીકના નિધનના સમાચાર મળતા જ ક્રિકેટની દુનિયામાં ભૂકંપ આવી ગયો હતો. પરંતુ આ સમાચાર નકલી નીકળ્યા. હીથ સ્ટ્રીકે પોતે આ સમાચારને ખોટા ગણાવ્યા છે અને તેણે ચાહકોને જાણ કરી છે કે તે હજુ પણ જીવિત છે.

હેનરી ઓલાંગાના ટ્વિટ બાદ થયો હંગામો

હીથ સ્ટ્રીકે કહ્યું કે તે જીવિત છે અને તેની તબિયત સારી છે. હીથ સ્ટ્રીક કેન્સર સામે લડી રહી છે અને તેની સારવાર ચાલી રહી છે. મંગળવારે મોડી રાત્રે તેની ટીમના સાથી હેનરી ઓલાંગાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે સ્ટ્રીકનું નિધન થયું છે પરંતુ હવે આ સમાચાર ખોટા નીકળ્યા છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ઓલાંગાએ ફરી ટ્વિટ કરી આપી જાણકારી

હેનરી ઓલાંગાએ હવે તેની તાજેતરની ટ્વીટમાં જણાવ્યું છે કે હીથ સ્ટ્રીક ઠીક છે અને તેણે પોતાની પોસ્ટમાં હીથ સ્ટ્રીક સાથેની વાતચીતનો સંદેશ પણ ટ્વીટ કર્યો છે.

હીથ સ્ટ્રીકે નારાજગી વ્યક્ત કરી

હીથ સ્ટ્રીકે આ ખોટા સમાચાર પર નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે સોશિયલ મીડિયા પર આવા ખોટા સમાચાર ફેલાવવાથી તે ખૂબ જ દુઃખી છે અને જેણે પણ આ અફવા ફેલાવી છે તેણે માફી માંગવી જોઈએ.

હીથ સ્ટ્રીકની સફળ કારકિર્દી

હીથ સ્ટ્રીકે વર્ષ 1993માં પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. કરાચીમાં રમાયેલી ડેબ્યૂ ટેસ્ટમાં તેણે કોઈ વિકેટ લીધી ન હતી. પરંતુ, રાવલપિંડીમાં તેની કારકિર્દીની બીજી ટેસ્ટ રમતી વખતે સ્ટ્રીકે 8 વિકેટ ઝડપી હતી.

2005માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેને 2 વર્ષના કરાર સાથે 2006માં ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમ વોરવિકશાયરનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ, કેટલાક અંગત કારણોસર, તેમણે ટૂંક સમયમાં આ કરાર સમાપ્ત કરવો પડ્યો. આ પછી, 2007 માં, તે ઇન્ડિયન ક્રિકેટ લીગમાં જોડાયો.

આ પણ વાંચો : Asia Cup 2023 : તિલક વર્માનું એશિયા કપ ડેબ્યુ નક્કી, પોતે કર્યો ખુલાસો, જુઓ Video

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હીથ સ્ટ્રીકે પણ કોચિંગને પોતાની કારકિર્દી બનાવી હતી. તેણે ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ, બાંગ્લાદેશ, ગુજરાત લાયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ જેવી ટીમોને કોચિંગ આપ્યું હતું. જો કે, ICC ના ભ્રષ્ટાચાર વિરોધી એકમે તેના પર 8 વર્ષનો પ્રતિબંધ મૂક્યો ત્યારે તેની શાનદાર ક્રિકેટ કારકિર્દી પર એક ડાઘ લાગી ગયો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">