T20 વિશ્વકપ પહેલા જ ટીમ ઇન્ડીયા માટે માઠા સમાચાર, મીસ્ટ્રી સ્પિનરને ઘૂંટણની ગંભીર પીડા, હાલ ઇંજેક્શન લઇ રમી રહ્યો છે

આ ખેલાડી હાલમાં IPL 2021 માં રમી રહ્યો છે. ટુર્નામેન્ટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આવી સ્થિતીમાં ટીમ ઈન્ડીયા (Team India) નું મેનેજમેન્ટ ઈચ્છતું નથી કે આ ખેલાડી વર્લ્ડ કપમાંથી બહાર રહે.

T20 વિશ્વકપ પહેલા જ ટીમ ઇન્ડીયા માટે માઠા સમાચાર, મીસ્ટ્રી સ્પિનરને ઘૂંટણની ગંભીર પીડા, હાલ ઇંજેક્શન લઇ રમી રહ્યો છે
Varun Chakravarthy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 10:32 PM

વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) IPL 2021 ટી20 વર્લ્ડ કપ (2021 T20 World Cup) માં ભારત માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પરંતુ આ પહેલા તેના ઘાયલ થયેલા ઘૂંટણ BCCI અને ટીમ ઈન્ડીયા (Team India) ના મેનેજમેન્ટને માથાનો દુખાવો આપી રહ્યો છે. વરુણ ચક્રવર્તીના ઘૂંટણમાં દર્દની સ્થિતી ખૂબ જ છે. આવી સ્થિતીમાં, બીસીસીઆઈ ની મેડિકલ ટીમ તેના ઈલાજ માટે રાત-દિવસ કામ કરી રહી છે.

10 ઓક્ટોબર T20 વર્લ્ડ કપ માટે ટીમો બદલવાની છેલ્લી તારીખ હોવા છતાં, વરુણ જ્યાં સુધી તેની પીડા અસહ્ય ન બને ત્યાં સુધી ટીમ છોડવાની શક્યતા નથી. ભારતીય ટીમ ઈચ્છે છે કે તે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચ પહેલા સંપૂર્ણ રીતે ફિટ રહે અને તે ટીમમાં જ રહે. વળી ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે, કે વરુણના વર્કલોડનું ધ્યાન રાખવામાં આવે.

આ મામલે બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં લખ્યું છે કે, ‘વરુણના ઘૂંટણની સ્થિતી સારી નથી. તે પીડા અનુભવી રહ્યો છે અને જો T20 વર્લ્ડ કપ ના હોત તો ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને રમાડવાનું જોખમ ન લીધું હોત. તેને 100 ટકા ફિટ થવા માટે બાદમાં સંપૂર્ણ રિહૈબની જરૂર પડશે. પરંતુ હાલનું ધ્યાન T20 વર્લ્ડ કપ દરમ્યાન તેની પીડાને સંભાળનું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

વરુણ ચક્રવર્તી હાલમાં IPL 2021 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમી રહ્યો છે. ટુર્નામેન્ટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. તેણે 6.73 ની ઇકોનોમી સાથે 13 મેચમાં 15 વિકેટ લીધી છે.

ઇંજેક્શન લઇને રમી રહ્યો છે.

આ દરમ્યાન ઘણી મોટી ટીમો સામે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તે સમજી શકાય છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સની મેડિકલ ટીમ વરુણ અંગે બીસીસીઆઈ સાથે સતત સંપર્કમાં છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, જ્યાં સુધી હું જાણું છું, KKR ના સપોર્ટ સ્ટાફે વરુણની સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ માટે વિગતવાર ચાર્ટ તૈયાર કર્યો છે. તે ઈજા ને ઠીક કરવાનો કાર્યક્રમનો એક હિસ્સો છે.

આગળ કહ્યુ, તેને દુખાવામાં રાહત આપતા ઈન્જેક્શન પણ આપવામાં આવી રહ્યા છે. જેથી તે કોઈ પણ મુશ્કેલી વગર ચાર ઓવર ફેંકી શકે. ઈન્જેક્શનને કારણે ચોક્કસ સમય સુધી કોઈ દુખાવો થતો નથી. તમે ટીવી પર આ જોશો નહીં. જ્યારે તે બોલિંગ નથી કરતો ત્યારે તેને પીડા થાય છે.

આ પણ વાંચોઃ T20 WC : લો બોલો પાકિસ્તાનની ટીમનો પાવર તો જુઓ, એક પણ મેચ ભારત સામે જીતી નથી અને કહે છે ભારતની ટીમ પાસે પાકિસ્તાનની ટીમ જેટલી પ્રતિભા નથી

આ પણ વાંચોઃ  IPL 2021, RR vs MI: મુંબઇ ની આશા જીવંત, રાજસ્થાન સામે ટીમ રોહિતનો 8 વિકેટે રોયલ વિજય, ઇશાન કિશનની અણનમ ફીફટી

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">