Mumbai Indians IPL 2022 Retained Players: હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને ઇશાન કિશન બહાર, કેપ્ટન રોહિત શર્મા સહિત આ 4 પ્યેલર રિટેન

Mumbai Indians IPL 2022 Released Players: IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આગામી ત્રણ વર્ષની યોજનાના ભાગરૂપે ઘણા ખેલાડીઓને બહાર કર્યા છે.

Mumbai Indians IPL 2022 Retained Players: હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને ઇશાન કિશન બહાર, કેપ્ટન રોહિત શર્મા સહિત આ 4 પ્યેલર રિટેન
Mumbai Indians
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 10:10 PM

Mumbai Indians IPL 2022 Confirmed Retained Players: મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ પાંચ વખત ટાઈટલ જીતી ચુકી છે. IPL 2022 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ અંતર્ગત સુકાની રોહિત શર્મા (Rohit Sharma), જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah), કિરોન પોલાર્ડ (Kieron Pollard) અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ને જાળવી રાખવામાં છે.

અન્ય ઘણા મોટા ખેલાડીઓને મુક્ત કરવામાં આવ્યા છે. તેમાંથી હાર્દિક પંડ્યા અને ઈશાન કિશનના નામ સૌથી ચોંકાવનારા છે. હાલના સમયમાં આ બંને મુંબઈની સફળતાના મુખ્ય શસ્ત્રો હતા. પરંતુ હવે જ્યારે ટીમ નવેસરથી તૈયાર થશે ત્યારે આ બંનેને તેમાં સ્થાન મળ્યું નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રોહિત શર્મા ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેશે એ પણ પાક્કુ જ છે. જ્યારે જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે. આ સિવાય સૂર્યાને ભવિષ્યના કેપ્ટન તરીકે તૈયાર કરી શકાય છે. એ જોવાનું રસપ્રદ રહેશે કે કિયરન પોલાર્ડ કેટલો સમય ટીમ સાથે રહેશે. તેની ઉંમર 34 વર્ષ છે. પરંતુ પોલાર્ડ લાંબા સમયથી મુંબઈનો ભાગ છે. છેલ્લી કેટલીક સિઝનમાં એવું જોવામાં આવ્યું છે કે જ્યારે રોહિત આઉટ થાય છે ત્યારે પોલાર્ડ કેપ્ટનશીપ સંભાળે છે.

મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીઓને કર્યા રિટેન

રોહિત શર્મા– મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે ચાલુ રહેશે. તે ટીમનો મુખ્ય ચહેરો પણ છે. તેમને 16 કરોડ રૂપિયા મળશે.

જસપ્રીત બુમરાહ – આ બોલરને બહાર કરવાની ભૂલ કોઈ ટીમ નહીં કરે. ત્યારે મુંબઈએ બુમરાહને જ શોધી કાઢ્યો છે. આ ખેલાડી ટીમનો ટ્રમ્પ કાર્ડ છે. તેમને 12 કરોડ રૂપિયા મળશે.

સૂર્યકુમાર યાદવ– તાજેતરના ભૂતકાળમાં સૂર્યા મુંબઈની બેટિંગનો જાન બનીને ઉભરી આવ્યો છે. તે નંબર 3 પસંદગી છે અને તેને આઠ કરોડ રૂપિયા મળશે.

કિરન પોલાર્ડ – વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી. તે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયમાં પારંગત છે. પોલાર્ડને 6 કરોડ રૂપિયા મળશે.

મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીઓને છોડી દીધા

અનમોલપ્રીત સિંહ, ક્રિસ લિન, સૌરભ તિવારી, ક્વિન્ટન ડી કોક, પીયૂષ ચાવલા, ઈશાન કિશન, આદિત્ય તારે, અનુકુલ રોય, ટ્રેન્ટ બોલ્ટ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, માર્કો યાનસન, જિમી નીશમ, એડમ મિલ્ને, યુદ્ધવીર સિંહ, ધવલ કુલકર, નૈતિક કુલ્ટર -નાઇલ, અર્જુન તેંડુલકર, મોહસીન ખાન, જયંત યાદવ અને રાહુલ ચાહર.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">