AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni Knee Surgery : ધોનીના ઘૂંટણનું થયું સફળ ઓપરેશન, IPL 2023 દરમિયાન થઈ હતી ઈજા

IPL 2023ની પ્રથમ મેચ દરમિયાન ધોનીના ઘૂંટણમાં ઈજા થઈ હતી. 31 મેના રોજ તેણે તેના ઘૂંટણની તપાસ કરાવી. જે બાદ આજે સવારે તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

MS Dhoni Knee Surgery : ધોનીના ઘૂંટણનું થયું સફળ ઓપરેશન, IPL 2023 દરમિયાન થઈ હતી ઈજા
MS Dhoni underwent knee surgeryImage Credit source: google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 8:04 PM
Share

MS ધોનીના ઘૂંટણની સફળ સર્જરી કરવામાં આવી છે. IPL 2023ની પ્રથમ મેચ દરમિયાન ધોનીના ઘૂંટણમાં ઈજા થઈ હતી. 30 મેના રોજ IPL સમાપ્ત થતાંની સાથે જ ધોનીએ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં જઈને પોતાના ઘૂંટણની તપાસ કરાવી હતી. 31 મેના રોજ ઘૂંટણની તપાસ કર્યા બાદ 1 જૂનના રોજ સવારે તેમના ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે IPLની આખી મેચ દરમિયાન ધોનીના ઘૂંટણની ઈજા હેડલાઈન્સમાં રહી હતી. 31મી માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી લીગની પહેલી જ મેચમાં તેને આ ઈજા થઈ હતી. પરંતુ, ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવવાનો જુસ્સો એવો હતો કે ધોનીને તેના ઘૂંટણની પરવા નહોતી. જોકે, આ દરમિયાન મેદાન પર આવી તસવીરો ઘણી વખત જોવા મળી હતી જ્યારે ધોની ક્યારેક દર્દમાં લંગડાતો જોવા મળ્યો હતો.

જાણો ધોનીનું કયા ડોક્ટરે કર્યું ઓપરેશન?

પ્રાપ્ત માહિતી અનુસાર, ધોનીનું ઓપરેશન ડૉ.દિનશા પારડીવાલાએ કર્યું હતું. ડૉ.પારડીવાલા સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિનના વડા છે અને તેમણે રિષભ પંતની સર્જરીમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધોની ઘૂંટણની સર્જરી બાદ હાલમાં હોસ્પિટલમાં છે.

આ પણ વાંચો: IPL : MS ધોનીના સન્યાસને લઈ મોટો ખુલાસો, જાણો CSKના CEOએ શું કહ્યું?

સર્જરી બાદ આગામી સિઝનમાં રમવાની આશા

ધોનીના ઘૂંટણની સર્જરી બાદ હવે તેની આગામી સિઝનમાં રમવાની આશા પણ જાગી છે. IPL 2023ની ફાઈનલ બાદ ધોનીને પૂછવામાં આવ્યું કે શું તે તેની છેલ્લી IPL છે. આના પર તેણે કહ્યું હતું કે આ શ્રેષ્ઠ સમય છે, પરંતુ ચાહકોએ તેને આ સિઝનમાં જે પ્રેમ આપ્યો છે તે પછી તે તેમને ભેટ આપવા માંગશે. તે આગામી સિઝનમાં પણ રમવા માંગે છે.

સંપૂર્ણ રીતે ફિટ થવા માટે પૂરતો સમય

ધોનીની આ ઈચ્છા હવે પૂરી થઈ શકે છે. કારણકે હવે તેના ઘૂંટણનું ઓપરેશન થઈ ગયું છે અને આમાંથી સંપૂર્ણ રિકવર થવામાં જે સમય લાગશે તે હજુ પણ પૂરતો છે. ધોનીએ પોતે કહ્યું હતું કે તેની પાસે આગામી સિઝનમાં રમવા અંગે નક્કી કરવા માટે 6 થી 7 મહિનાનો સમય છે. તો આટલા સમયમાં CSKના કેપ્ટન પાસે રિકવરી કરવાનો અને મેદાનમાં પાછા ફરવાનો પૂરતો સમય મળી રહેશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">