
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 2025 એશિયા કપ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફની એક સોશિયલ મીડિયા પોસ્ટની આકરી ટીકા કરી છે. કૈફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બુમરાહની બોલિંગ સ્ટ્રેટેજી અને વર્કલોડ મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા હતા, જેનો બુમરાહે સીધો જવાબ આપતાં તેને ખોટો ગણાવ્યો હતો. એશિયા કપ ફાઈનલ પહેલા જ આ વિવાદે જોર પકડ્યું છે, જ્યાં ભારત પાકિસ્તાન અથવા બાંગ્લાદેશનો સામનો કરશે.
હકીકતમાં, ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025માં એક અલગ યોજના સાથે રમી રહી છે. જસપ્રીત બુમરાહને ડેથ ઓવરનો નિષ્ણાત માનવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં, તે પાવરપ્લેમાં તેની ચારમાંથી ત્રણ ઓવર ફેંકી રહ્યો છે, જેના પર મોહમ્મદ કૈફે સવાલ ઉઠાવ્યો છે. કૈફે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે રોહિત શર્માની કેપ્ટનશીપમાં બુમરાહ સામાન્ય રીતે અંતિમ ઓવરોમાં વધુ બોલિંગ કરતો હતો . જોકે, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં આવું નથી, જે વિરોધી ટીમના બેટ્સમેનો માટે રાહતની વાત છે.
Inaccurate before inaccurate again https://t.co/knkjXOGOKb
— Jasprit Bumrah (@Jaspritbumrah93) September 25, 2025
કૈફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ” રોહિતની કેપ્ટનશીપ હેઠળ બુમરાહ સામાન્ય રીતે 1, 13, 17 અને 19 ઓવર બોલિંગ કરતો હતો. સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ તેણે એશિયા કપની શરૂઆતની ઓવરમાં ત્રણ ઓવર ફેંકી હતી. ઈજાથી બચવા માટે બુમરાહ હાલમાં શરીરને ફીટ રાખીને બોલિંગ કરવાનું પસંદ કરી રહ્યો છે. બાકીની 14 ઓવરમાં બુમરાહનો એક ઓવર બેટ્સમેન માટે મોટી રાહત છે, આ વર્લ્ડ કપમાં મજબૂત ટીમો સામે ભારતને નુકસાન પહોંચાડી શકે છે. ” બુમરાહે આ પોસ્ટનો જવાબ આપતા લખ્યું,” પહેલા ખોટું, ફરી ખોટું.” બીજા શબ્દોમાં કહીએ તો બુમરાહે કૈફના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
બુમરાહ એશિયા કપ 2025માં અત્યાર સુધીમાં ચાર મેચ રમી ચૂક્યો છે અને પાંચ વિકેટ ઝડપી છે. તેનો ઈકોનોમી રેટ 7.33 છે. તેને અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો. તેને વેસ્ટ ઈન્ડીઝ સામે 2 ઓક્ટોબરથી અમદાવાદમાં શરૂ થનારી બે ટેસ્ટ મેચની ઘરઆંગણે શ્રેણી માટે ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. આ વાત પણ પુષ્ટિ કરે છે કે બુમરાહ હાલમાં સંપૂર્ણપણે ફિટ છે.
આ પણ વાંચો: Ravindra Jadeja : વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીનો અંત આવ્યો તે ઉંમરે રવિન્દ્ર જાડેજા વાઈસ કેપ્ટન કેવી રીતે બન્યો?