AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ઇરફાન પઠાણે કહ્યુ વિરાટ કોહલીના સ્થાનને આ રીતે RCB ભરશે, બતાવ્યો બેંગ્લોરનો પ્લાન

વિરાટ કોહલી (Virat Kohli) એ આઇપીએલ 2021 ની સિઝન દરમ્યાન જ RCB ની કેપ્ટનશિપ છોડવાની વાત કહી હતી, જોકે તેણે ટીમ સાથે જોડાઇ રહેવાનુ કહ્યુ હતુ.

IPL 2022: ઇરફાન પઠાણે કહ્યુ વિરાટ કોહલીના સ્થાનને આ રીતે RCB ભરશે, બતાવ્યો બેંગ્લોરનો પ્લાન
Virat Kohli-Glenn Maxwell
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 11:15 AM
Share

IPL 2022 ના મેગા ઓક્શન (Mega Auction) ને લઇને હાલમાં તમામ આઠેય ટીમોમાં કશ્મકશ ચાલી રહી છે. આવતીકાલે મંગળવારે રિટેન ખેલાડીઓની યાદી BCCI ને સોંપવાનો અંતિમ દિવસ છે. આ પહેલા ખેલાડીઓને જાળવવા અને મુક્ત કરવાને લઇ માથાકૂટો સ્વાભાવિક મેનેજમેન્ટને વર્તાઇ રહી છે. આ દરમિયાન સૌની નજર વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમ RCB પર છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે (Irfan Pathan) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન પદ માટે એ ત્રણ ખેલાડીઓમાંથી પસંદ કરવાની સંભાવના નકારી છે. જે ત્રણ ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે.

વિરાટ કોહલી એ IPL 2022 ની સિઝન પહેલા જ બેંગ્લોરની ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી. તેણે આ માટે IPL 2021 ના દરમ્યાન જ ઘોષણા કરી દીધી હતી. હવે RCB એ કેપ્ટનશિપ સોંપવા માટે યોગ્ય ચહેરા માટે પ્રયાસ હાથ ધર્યા છે. ઇરફાન પઠાણનુ માનવુ છે કે, જે ત્રણ ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે, તેમાંથી કોઇ પણ કેપ્ટન નહી હોય. પઠાણે કહ્યુ કે, ફેન્ચાઇજી આઇપીએલ ઓક્શનમાંથી જ નવા કેપ્ટનને શોધશે.

હાલમાં કાનપુર (Kanpur Test) માં રમાઇ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ દરમ્યાનના બ્રેક દરમ્યાન એક શોમાં ઇરફાન પઠાણે આ વાત કહી હતી. આરસીબીના સંભવિતોને લઇને વાત કરતા ઇરફાન પઠાણે કહ્યુ હતુ કે, આરસીબીના ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને રિટેન કરવો જોઇએ. જે પાછળની સિઝનમાં તેમનો ટો સ્કોરર હતો. સાથે જ એ પણ કહ્યુ હતુ કે, તે ટીમનો કેપ્ટન નહીં બનવો જોઇએ.

મેક્સવેલને લઇ કહ્યુ આમ

આગળ વાત કરતા ઇરફાન પઠાણે કહ્યુ હતુ કે, મને લાગે છે કે હરાજીમાંથી જ કોઈ એવી વ્યક્તિ હશે જે આરસીબીની કેપ્ટનશીપ મેળવી શકે કારણ કે મારા મગજમાં જે પણ ચાર ખેલાડીઓ છે, વિરાટ દેખીતી રીતે કેપ્ટન બનશે નહીં કારણ કે તેણે જાહેરાત કરી છે. ગ્લેન મેક્સવેલ છે પરંતુ તમે તેને કેપ્ટનશિપ આપવા માંગતા નથી. કારણ કે તે પોતાની સ્ટાઇલનો એક ફ્રી ક્રિકેટર છે અને તેને આ પ્રકારની જવાબદારી આપવા નથી માંગતા. તમે ઇચ્છો છો કે તે મુક્તપણે રમે.

પઠાણનુ માનવુ છે કે, આરસીબીએ બોલીંગ વિભાગ માટે યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજને રિટેન કરવા -જોઇએ, તે ત્રીજો ખેલાડી હોવો જોઇએ , જેને ટીમ રિટેન કરી શકે છે. ચોથા પ્લેયરના રુપમાં તેણે સિરાજની સાથે જવાનુ કહ્યુ હતુ. સાથે જ કહ્યુ તેમને કેપ્ટન મળી શકે છે પરંતુ આ માટે તેઓએ હરાજીમાં જવુ પડશે. તેમણે આ હિસ્સા માટે આકરી મહેનત કરવાની જરુર છે.

આ પણ વાંચોઃ IND vs NZ: ટીમ ઇન્ડિયા સંકટમાં મુકાતા દેખાડ્યો દમ, ટીકાકારોના નિશાને રહેલા બેટ્સમેને 4 વર્ષ બાદ ખરા સમયે ફીફટી નોંધાવી

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇ ટેસ્ટને લઇ ટીમ ઇન્ડિયા સામે ધર્મ સંકટ, વિરાટ કોહલી માટે કોણ આપશે કુર્બાની

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">