PBKS vs KKR : પંજાબ કિંગ્સે કોલકાતા પાસેથી જીત છીનવી લીધી, શાહરૂખની ટીમ 112 રનનો ટાર્ગેટ હાંસલ ન કરી શકી

કોલકાતા નાઈટ રાઈડર્સને પંજાબ કિંગ્સ સામે એવી હારનો સામનો કરવો પડ્યો છે જેને તેઓ ભાગ્યે જ ભૂલી શકશે. લક્ષ્ય ફક્ત 112 રન હતું અને તેમ છતાં KKR પંજાબ કિંગ્સના બોલરો સામે ટકી શક્યા નહીં. પંજાબે કોલકાતાના હાથમાંથી જીત છીનવી લીધી હતી.

PBKS vs KKR : પંજાબ કિંગ્સે કોલકાતા પાસેથી જીત છીનવી લીધી, શાહરૂખની ટીમ 112 રનનો ટાર્ગેટ હાંસલ ન કરી શકી
Punjab Kings
Image Credit source: PTI
| Updated on: Apr 15, 2025 | 11:04 PM

કોલકાતા નાઈટ રાઈડર્સને પંજાબ કિંગ્સ સામે એવી હારનો સામનો કરવો પડ્યો છે જેને તેઓ ભાગ્યે જ ભૂલી શકશે. લક્ષ્ય ફક્ત 112 રન હતું અને આ છતાં KKR ટીમ પંજાબ કિંગ્સના બોલરો યુઝવેન્દ્ર ચહલ અને માર્કો જેનસેન સામે ટકી શકી નહીં. 112 રનના લક્ષ્યાંકના જવાબમાં, KKRની ટીમ ફક્ત 95 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. KKR ને સૌથી મોટો ઝટકો યુઝવેન્દ્ર ચહલે આપ્યો, જેણે 4 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ લીધી. માર્કો જેનસેને પણ માત્ર 17 રન આપીને 3 વિકેટ લીધી. બાર્ટલેટ, અર્શદીપ અને ગ્લેન મેક્સવેલને 1-1 વિકેટ મળી.

કોલકાતાની ટીમ મેચ કેવી રીતે હારી ગઈ?

કોલકાતાની ટીમ સામે ખૂબ જ નાનો લક્ષ્યાંક હતો, જોકે મુલ્લાનપુરની પિચ એટલી સરળ નહોતી. KKRના ઓપનરો પહેલી 2 ઓવરમાં જ આઉટ થઈ ગયા. પહેલા નારાયણ બોલ્ડ થયો અને પછી ડી કોક આઉટ થયો. આ પછી અંગક્રિશ રઘુવંશી અને કેપ્ટન રહાણેએ ઈનિંગ સંભાળી, બંનેએ KKRને પચાસનો આંકડો પાર કરાવ્યો અને એવું લાગતું હતું કે હવે પંજાબની ટીમ હારી જશે, પરંતુ પછી યુઝવેન્દ્ર ચહલે ચમત્કાર કર્યો.

 

ચહલના ચમત્કાર સામે કોલકાતા ઢેર

ચહલે પહેલા કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેને LBW આઉટ કર્યો. આ પછી, અંગક્રિશ રઘુવંશી પણ ચહલનો શિકાર બન્યો. તે 28 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન, ગ્લેન મેક્સવેલે વેંકટેશ અય્યરને LBW આઉટ કરીને મેચમાં રસાકસી લાવી દીધી. 12મી ઓવરમાં ચહલે સતત બે બોલમાં બે વિકેટ લઈને KKRને મોટો ઝટકો આપ્યો. પહેલા તેણે રિંકુ સિંહને સ્ટમ્પ આઉટ કરાવ્યો. બીજા બોલ પર તેણે રમનદીપ સિંહની વિકેટ લીધી. તેને માર્કો જેન્સન અને અર્શદીપ સિંહનો પણ સારો સહયોગ મળ્યો. જ્યારે ચહલે તેની છેલ્લી ઓવરમાં રસેલને 16 રન બનાવ્યા, ત્યારબાદ અર્શદીપે વૈભવ અરોરાને આઉટ કર્યો અને માર્કો જેન્સને રસેલને આઉટ કરીને પંજાબને ચમત્કારિક જીત અપાવી હતી.

આ પણ વાંચો: Breaking News : રોહિત શર્માના નામ પરથી રાખવામાં આવ્યું વાનખેડે સ્ટેડિયમના સ્ટેન્ડનું નામ, IPL 2025 વચ્ચે મોટું સન્માન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો