IPL 2024: શું દિનેશ કાર્તિકને T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળશે? આ ખેલાડીઓ માટે મોટો ખતરો

T20 વર્લ્ડ કપ નજીક હોવાથી કેપ્ટન રોહિત શર્મા એવા ખેલાડીની શોધમાં છે જે નીચે આવીને ટીમને કોઈપણ પરિસ્થિતિમાંથી બચાવી શકે. હાલમાં દિનેશ કાર્તિકના પ્રદર્શનને જોતા લાગે છે કે તેણે રોહિતની આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. કાર્તિકના પ્રદર્શનને કારણે T20 વર્લ્ડ કપની રેસમાં કેટલાક ખેલાડીઓને નુકસાન થશે એ હવે નક્કી છે.

IPL 2024: શું દિનેશ કાર્તિકને T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળશે? આ ખેલાડીઓ માટે મોટો ખતરો
Dinesh Karthik
Follow Us:
| Updated on: Apr 16, 2024 | 7:43 PM

દિનેશ કાર્તિક મુંબઈ સામે જોરદાર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રોહિત શર્માએ T20 વર્લ્ડ કપના સિલેક્શન અંગે કાર્તિકની મજાક કરી હતી. કાર્તિકે આ વાતને હવે ગંભીરતાથી લીધી છે. અત્યારસુધી IPL 2024માં કાર્તિકના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે 35 બોલમાં 83 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને સનરાઈઝર્સ હૈદરાબાદને દમ તોડી દીધો હતો. તેની ઈનિંગથી ચાહકો ભલે ખુશ થઈ ગયા હોય, પરંતુ T20 વર્લ્ડ કપની રેસમાં રહેલા કેટલાક ખેલાડીઓ ચોક્કસપણે દુઃખી હશે. કારણ કે આ તેમની પસંદગીને અસર કરી શકે છે.

આ ખેલાડીઓને થઈ શકે નુકસાન

આ સિઝનમાં દિનેશ કાર્તિક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ટીમ માટે વિકેટકીપર તેમજ ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. જો આપણે IPL 2024માં તેના આંકડાઓ પર નજર કરીએ તો તે ફિનિશરની ભૂમિકામાં ભારતીય ટીમ માટે તે સૌથી પરફેક્ટ લાગે છે. કાર્તિકે અત્યાર સુધી 7 મેચમાં 75ની એવરેજથી 226 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ (205) પણ શાનદાર રહ્યો હતો. ડેથ ઓવર્સમાં કાર્તિકનું પ્રદર્શન તેને ફિનિશર અને વિકેટ કીપિંગની રેસમાં રિષભ પંત, સંજુ સેમસન, કેએલ રાહુલ, ઈશાન કિશન, રિંકુ સિંહ અને શિવમ દુબે કરતા આગળ લઈ જાય છે.

વિકેટકીપિંગની સાથે ફિનિશરની ભૂમિકા ભજવે છે

રિષભ પંત, સંજુ સેમસન, કેએલ રાહુલ અને ઈશાન કિશન ટોપ ઓર્ડરમાં વિકેટકીપિંગ અને બેટિંગ કરે છે. જ્યારે કાર્તિક નીચલા ક્રમી ફિનિશરની ભૂમિકા ભજવે છે. આ સિવાય ચારેય બેટ્સમેનોના કારણે ટીમ કોમ્બિનેશનમાં સમસ્યા આવી શકે છે. કારણ કે પ્રથમ ચાર બેટ્સમેનોમાં યશસ્વી જયસ્વાલ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને ફિક્સ માનવામાં આવી રહ્યા છે. હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા મિડલ ઓર્ડરમાં રમી શકે છે. જ્યારે કાર્તિક વિકેટકીપિંગની સાથે છઠ્ઠા અથવા સાતમા ક્રમે આવી ફિનિશરની ભૂમિકા પણ ભજવી શકે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પંતને સૌથી ઓછો ખતરો

જોકે, રિષભ પંતને કાર્તિક તરફથી સૌથી ઓછો ખતરો છે, કારણ કે તેનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ સિવાય તે પહેલા પણ ટીમ માટે ફિનિશરની ભૂમિકા ભજવી ચૂક્યો છે અને તેને વિકેટકીપિંગ માટે સૌથી ફેવરિટ માનવામાં આવે છે. જો આપણે રિંકુ સિંહ અને શિવમ દુબેની વાત કરીએ બંને વિકેટ કીપર નથી. આ સિવાય વર્લ્ડ કપ જેવી મોટી ઈવેન્ટ્સમાં રમવાનો અનુભવ ન હોવાના કારણે પણ કાર્તિક સામે આ બંનેને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો : IPL 2024 KKR vs RR: રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, કોલકાતા પહેલા કરશે બેટિંગ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">