IPL 2024: રોહિત શર્મા આઉટ થતા ક્રિકેટપ્રેમીઓમાં મારામારી, ધોનીના ફેનની કરી હત્યા

|

Apr 01, 2024 | 5:03 PM

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ મેચ દરમિયાન બે લોકોએ એક વ્યક્તિની હત્યા કરી હતી. મૃતક ચેન્નાઈ સુપર કિંગ્સનો ચાહક હતો. મુંબઈ ઈન્ડિયન્સનો રોહિત શર્મા આઉટ થતાં જ તેણે જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું હતું. આ જોઈને રોહિતના બે ચાહકોએ તેના પર જીવલેણ હુમલો કર્યો. જેના કારણે તેને માથામાં ઈજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું.

IPL 2024: રોહિત શર્મા આઉટ થતા ક્રિકેટપ્રેમીઓમાં મારામારી, ધોનીના ફેનની કરી હત્યા
MS Dhoni & Rohit Sharma

Follow us on

IPLનો ક્રેઝ ભારતમાં જેટલો મજબૂત છે તેટલો જ વિદેશોમાં પણ છે. લોકો મેચ કરતા તેમના ફેવરિટ ક્રિકેટર્સ માટે વધુ ક્રેઝી છે. પણ જ્યારે આ ઘેલછા કોઈનો જીવ લઈ લે ત્યારે શું થાય? હા, આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના કોલ્હાપુરથી સામે આવ્યો છે. અહીં મુંબઈમાં રમાઈ રહેલી IPL મેચ જોતી વખતે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. મુંબઈ vs હૈદરાબાદની મેચમાં રોહિત શર્માના આઉટ થયા બાદ ચાહકોમાં એવી લડાઈ થઈ કે મેચ દરમિયાન જ એક ક્રિકેટ પ્રેમીનું મોત થઈ ગયું.

મુંબઈના બે ફેન્સે ચેન્નાઈના ચાહકની કરી હત્યા

મળતી માહિતી મુજબ, રોહિત શર્માના આઉટ થયા બાદ ગુસ્સામાં બે લોકોએ ક્રિકેટ પ્રેમી બંદોપંત બાપુસો ટિબિલેનું માથું ફોડી નાખ્યું હતું, જેના કારણે તેનું મોત થયું હતું. આ મામલે કરવીર પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે રોહિત શર્મા મેચ દરમિયાન આઉટ થયો ત્યારે બળવંત મહાદેવ ઝાંજગે (ઉંમર 50) અને સાગર સદાશિવ ઝાંજગે (ઉંમર 35) એ ઉજવણી કરી રહેલા 63 વર્ષીય બંદોપંત બાપુસો ટિબિલેને નિર્દયતાથી માર માર્યો હતો. જે બાદ તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

બંને આરોપીઓની ધરપકડ

પોલીસે જણાવ્યું કે પાંચ દિવસ પહેલા એટલે કે 27 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માના આઉટ થયા બાદ ધોનીની ટીમ એટલે કે ચેન્નાઈ સુપર કિંગ્સના પ્રશંસક બંદોપંત ટિબિલેએ ખુશી વ્યક્ત કરી હતી. આનાથી બળવંત અને સાગર ગુસ્સે થયા. તેણે બંદોપંત પર જીવલેણ હુમલો કર્યો. આ ઘટનામાં પીડિતાને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જે બાદ તેનું મોત થયું હતું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી

પોલીસના જણાવ્યા અનુસાર, બળવંત ઝાંજગે, સાગર ઝાંજગે અને બંદોપંત ટિબિલે અન્ય લોકો સાથે બેસીને ટીવી પર મેચ જોઈ રહ્યા હતા. બળવંત ઝાંજગે અને સાગર ઝાંજગે મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરી રહ્યા હતા. જ્યારે, બંદોપંત ટિબિલે ત્યાં બેસીને મેચ જોઈ રહ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સનો રોહિત શર્મા આઉટ થતાં જ બંદોપંત ટિબિલે હસતાં હસતાં બળવંત ઝાંજગે અને સાગર ઝાંજગેને પૂછ્યું કે હવે મુંબઈ ઈન્ડિયન્સ કેવી રીતે જીતશે? આ સાંભળીને બળવંત અને સાગરનો ગુસ્સો વધી ગયો અને તેઓએ બંદોપંતના માથા પર માર માર્યો અને ગંભીર રીતે ઘાયલ કર્યો. સાવ નજીવી બાબતે એક વ્યક્તિની હત્યાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ કેસમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો : IPL 2024માં CSKની પહેલી હારનું કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે જણાવ્યું કારણ, જાણો શું હતો તફાવત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article