
IPL 2024ની 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે એક એવો નિર્ણય લીધો જેની કદાચ કોઈએ અપેક્ષા પણ નહીં કરી હોય. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને તેમની પ્લેઈંગ ઈલેવનમાંથી બાકાત રાખ્યો હતો. રોહિત છેલ્લી સિઝન સુધી મુંબઈનો કેપ્ટન હતો, આ સિઝનની શરૂઆતમાં તેણે કેપ્ટનશિપ ગુમાવી દીધી હતી અને હવે તે પ્લેઈંગ ઈલેવનમાંથી પણ બહાર થઈ ગયો છે. કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો તે બહાર આવ્યું નથી. શક્ય છે કે આ મુંબઈની નવી વ્યૂહરચના હોઈ શકે કારણ કે રોહિત ઈમ્પેક્ટ પ્લેયર છે.
એક એંગલ એ પણ હોઈ શકે કે મુંબઈ ઈન્ડિયન્સ હવે IPL 2024માંથી લગભગ બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને મુંબઈની ટીમ રોહિતને સુરક્ષિત રાખવા માંગે છે. જોકે, રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે.
રોહિત શર્માએ આ સિઝનમાં સારી બેટિંગ કરી છે. રોહિતે 10 મેચમાં 35ની એવરેજથી 315 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 160થી વધુ રહ્યો છે. રોહિતનું બેટ છેલ્લી કેટલીક મેચોમાં શાંત રહ્યું છે. હવે જો તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવશે અને રન બનાવશે તો T20 વર્લ્ડ કપ માટેની તેની તૈયારી વધુ મજબૂત બનશે.
Rohit Sharma playing as Impact player today’s match. pic.twitter.com/CHwZjaUYzm
— Tanuj Singh (@ImTanujSingh) May 3, 2024
ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વાઢેરા, હાર્દિક પંડ્યા, નમન ધીર, ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોટજિયા, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ, નુઆન તુશારા.
આ પણ વાંચો : IPL 2024 : ધોનીએ પોતાના બોડીગાર્ડને રડાવ્યા…’એક હી દિલ હૈ કિતની બાર જીતોગે માહી’, જુઓ વીડિયો