AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 ભારતમાં આયોજિત થશે, મુંબઈમાં રમાશે મેચો, દર્શકોને નહીં મળે પ્રવેશ: રિપોર્ટ

BCCI એ ગયા વર્ષે પણ ભારતમાં IPLનું આયોજન કર્યું હતું, પરંતુ કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે તેને અધવચ્ચે જ અટકાવવી પડી હતી.

IPL 2022 ભારતમાં આયોજિત થશે, મુંબઈમાં રમાશે મેચો, દર્શકોને નહીં મળે પ્રવેશ: રિપોર્ટ
IPL 2022 માટે UAE અને દક્ષિણ આફ્રિકા પણ વિકલ્પ તરીકે છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 6:28 PM
Share

IPL 2022 તારીખ અને સ્થળ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 15) ની 15મી સીઝન પર મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ નિર્ણય લીધો છે કે ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં કરવામાં આવશે અને તેની મેચો માત્ર મુંબઈમાં જ રમાશે. જો કે ફરી એકવાર દર્શકોએ ઘરે બેસીને મેચ જોવી પડશે. સમાચાર એજન્સીએ બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે બોર્ડ ભારતમાં આ સીઝનનું આયોજન કરવા માટે પ્રતિબદ્ધ છે. 22 જાન્યુઆરી શનિવારના રોજ બોર્ડ અને તમામ ફ્રેન્ચાઈઝી માલિકો વચ્ચે એક બેઠક થઈ હતી, જેમાં બોર્ડે પોતાની પસંદગી વિશે જણાવ્યું હતું. જો કે, જો સ્થિતિ વધુ વણસે તો સંયુક્ત આરબ અમીરાત અને દક્ષિણ આફ્રિકાને પણ વિકલ્પ તરીકે રાખવામાં આવી રહ્યા છે.

સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ટુર્નામેન્ટની મેચો મુંબઈના ત્રણ સ્ટેડિયમ – વાનખેડે, ડીવાય પાટીલ (નવી મુંબઈ) અને બ્રેબોર્ન સ્ટેડિયમ (CCI) ખાતે યોજાશે. આ સાથે બોર્ડના સૂત્રોએ જણાવ્યું છે કે જો જરૂર પડશે તો પુણેમાં પણ કેટલીક મેચો યોજવામાં આવી શકે છે. ગયા વર્ષે, BCCIએ ભારતમાં જ IPLનું આયોજન કર્યું હતું. પરંતુ ત્યારબાદ કોરોના સંક્રમણની બીજી લહેરને કારણે તેને 29 મેચ બાદ જ રોકવી પડી હતી. પછી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તે યુએઈમાં પૂર્ણ થયું.

એક સપ્તાહ વહેલા શરુ થઇ શકે છે ટૂર્નામેન્ટ!

તે જ સમયે, ટૂર્નામેન્ટની શરૂઆતની તારીખમાં પણ ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ, બોર્ડે તમામ ફ્રેન્ચાઇઝી માલિકોને જાણ કરી છે કે તે 27 માર્ચથી ટૂર્નામેન્ટ શરૂ કરવાનું વિચારી રહ્યું છે. અગાઉ 2 એપ્રિલથી 15મી સિઝન શરૂ કરવાની યોજના હતી. આવી સ્થિતિમાં, તે મેના પ્રથમ સપ્તાહમાં સમાપ્ત થવાની ધારણા છે. જો કે આ તમામ મુદ્દાઓ પર અંતિમ નિર્ણય 20 ફેબ્રુઆરીએ મળનારી બોર્ડ મિટિંગમાં લેવામાં આવશે.

હરાજીની તારીખમાં કોઈ ફેરફાર નહીં

મોટી હરાજીની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. રિપોર્ટ અનુસાર, બોર્ડે ફ્રેન્ચાઇઝી માલિકોને કહ્યું છે કે મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ જ યોજાશે અને હંમેશની જેમ આ વખતે પણ બેંગલુરુમાં જ ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આ વખતે લીગની હરાજી માટે 1214 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડીઓ છે.

આ પણ વાંચોઃ સાયનાની બાયોપિકમાં બાળપણનો રોલ કરનારી Naishaa રિઅલ લાઈફમાં છે બેડમિન્ટન ચેમ્પિયન

Follow Us
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
g clip-path="url(#clip0_868_265)">