IPL 2022: Mumbai Indiansએ જેની કદર ન કરી, જેને 6 મેચમાં બહાર બેસાડ્યો , તેણે 9 બોલમાં ટીમને પહેલી જીત અપાવી

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે (MI) 8 મેચો બાદ આઈપીએલ 2022માં જીત મેળવી છે અને આ જીતમાં એક નાની પણ મહત્વની ભૂમિકા એ ખેલાડીએ ભજવી હતી જેને ટીમ દ્વારા 6 મેચમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.

IPL 2022: Mumbai Indiansએ જેની કદર ન કરી, જેને 6 મેચમાં બહાર બેસાડ્યો , તેણે 9 બોલમાં ટીમને પહેલી જીત અપાવી
Tim David (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 12:56 PM

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યું નથી. તે પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે. તેને સતત 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. નવમી મેચમાં તેણે જીતનું ખાતું ખોલ્યું અને શનિવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું. IPLની એક સિઝનમાં મુંબઈને સતત 8 હારનો સામનો કરવો પડ્યો હોય તેવું આ પહેલા ક્યારેય બન્યું ન હતું. ગઈકાલે પોતાની જીતમાં ચર્ચા સૂર્યકુમાર યાદવની છે જેણે અડધી સદીની ઈનિંગ રમી હતી. પરંતુ એક ખેલાડીએ છેલ્લી ઓવરમાં સૂર્યકુમારનું કામ પાર પાડી દીધું હતું. આ ખેલાડીનું નામ ટીમ ડેવિડ (Tim David) છે.

ટીમ ડેવિડ છેલ્લે આવ્યો હતો અને તેણે માત્ર 9 બોલ રમ્યા હતા અને 2 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી અણનમ 20 રન બનાવ્યા હતા અને ટીમને જીત અપાવી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને જોસ બટલરની 67 રનની ઈનિંગના આધારે 6 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. મુંબઈએ આ લક્ષ્ય 4 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધું હતું.

6 મેચથી ટીમ ડેવિડને રમાડ્યો ન હતો

ટીમ ડેવિડ બિગ બેશ લીગમાં ધૂમ મચાવીને IPLમાં આવ્યો છે. મુંબઈએ તેને 8.25 કરોડમાં હરાજીમાં સામેલ કર્યો હતો. મુંબઈ માટે ટીમ ડેવિડની આ ત્રીજી મેચ હતી. આ પહેલા મુંબઈએ તેને પ્રથમ 2 મેચમાં તક આપી હતી. પરંતુ ટીમ ડેવિડ આ બંને મેચમાં પ્રભાવ પાડી શક્યો ન હતો. તેણે દિલ્હી કેપિટલ્સ સામે આઈપીએલની શરૂઆત કરી હતી. પરંતુ પ્રભાવિત કરી શક્યો ન હતો. તેણે આ મેચમાં માત્ર 12 રન બનાવ્યા હતા. આ પછી રાજસ્થાન સામેની આ સિઝનની પ્રથમ મેચમાં તે માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્રીજી મેચમાં તે નીચે ઉતર્યો અને થોડા રન બનાવ્યા પરંતુ આ રન ટીમને જીત અપાવનાર સાબિત થયા. ટીમ ડેવિડ એવો ખેલાડી છે જે પોતાની તોફાની બેટિંગ માટે જાણીતો છે. જો મુંબઈએ તેમને સતત મેચમાં રમાડ્યો હોત તો કદાચ તેને આ પહેલી જીત મળી ગઈ હોત.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સિંગાપોરનું પ્રતિનિધિત્વ કર્યું

ટીમ ડેવિડ પહેલીવાર IPL નથી રમી રહ્યો. આ અગાઉની સિઝનમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો. પરંતુ ગત સિઝનમાં તેને માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. ડેવિડ ઓસ્ટ્રેલિયાનો છે, પરંતુ તે સિંગાપોરથી રમે છે. આ દેશ માટે તેણે અત્યાર સુધીમાં 14 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે અને 558 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 46.50 અને સ્ટ્રાઈક રેટ 158.52 છે. તેના નામે 4 અર્ધસદી પણ છે.

આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાના રાજીનામા પર વિરેન્દ્ર સેહવાગે કહ્યું, ‘અમે પહેલા દિવસથી આ કહી રહ્યા છીએ’

આ પણ વાંચો : IPLમાં આ બોલરોએ ફેંક્યા છે સૌથી વધુ ‘નો બોલ’, જાણો ટોપ 6માં કોનો સમાવેશ થાય છે

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">