AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 : અઝહરુદ્દીને મુંબઈ ઈન્ડિયન્સને આપી સલાહ, નસીબ બદલવા પ્લેઈંગ ઈલેવનમાં ‘તેંડુલકર’ સરનેમ ઉમેરવી પડશે

IPL 2022: આ સિઝનમાં 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની હાલત ખરાબ છે. ટીમને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મતલબ કે ટીમ હવે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.

IPL 2022 : અઝહરુદ્દીને મુંબઈ ઈન્ડિયન્સને આપી સલાહ, નસીબ બદલવા પ્લેઈંગ ઈલેવનમાં 'તેંડુલકર' સરનેમ ઉમેરવી પડશે
Mohammad Azharuddin (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 11:41 PM
Share

IPL 2022 આ સિઝનમાં 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની હાલત ખરાબ છે. ટીમને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મતલબ કે ટીમ હવે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હવે મુંબઈની આગામી મેચ 21મી એપ્રિલે ચેન્નઈ સામે થશે. આ સિઝનમાં ચેન્નઈ અને મુંબઈની ટીમ લગભગ સમાન છે. ટીમે હવે તેની તમામ મેચ જીતવી પડશે. તમને જણાવી દઈએ કે 16 એપ્રિલે રમાયેલી પોતાની છેલ્લી મેચમાં મુંબઈને લખનૌ સામેની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

મેચ પહેલા ભારતીય ટીમના પૂર્વ સુકાની મોહમ્મદ અઝહરુદ્દીને (Mohammad Azharuddin) મુંબઈ ટીમ મેનેજમેન્ટને સલાહ આપી હતી. જેની હાલ ચર્ચા થઈ રહી છે. હકીકતમાં ક્રિકેટ વેબસાઈટ ક્રિકટ્રેકર પર આયોજિત ટોક શો ‘નોટ જસ્ટ ક્રિકેટ’માં અઝહરે મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવાની સલાહ આપી હતી.

અઝહરે શોમાં કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે મુંબઈ તેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે અને અર્જુન તેંડુલકરને સામેલ કરે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને શોમાં કહ્યું હતું કે, “હવે મુંબઈને તેની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક નવા ખેલાડીઓ મળવા જોઈએ.” એક તક આપવી પડશે. તમે અર્જુન તેંડુલકરને (Arjun Tendulkar) તક આપી શકો છો. તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે પોતાના ઘરેલુ ક્રિકેટમાં પણ પોતાની જાતને સાબિત કરી છે. શક્ય છે કે તેંડુલકર અટકનો ઉમેરો ટીમનું ભાગ્ય બદલી નાખે.

આ સિવાય પૂર્વ ક્રિકેટરે વધુમાં કહ્યું કે જો તમે ટિમ ડેવિડને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પરંતુ તમે તેને સામેલ કરી રહ્યાં નથી. જે ચોક્કસપણે આશ્ચર્યજનક છે. જો તમે તેને તક નથી આપી રહ્યા તો તેને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો. જો તમારી પાસે આવા ખેલાડીઓ છે તો તમે તેમને બેંચ પર કેવી રીતે બેસાડશો. ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ મુંબઈ ટીમને લઇને વધુમાં કહ્યું કે, જો વસ્તુઓ તમારા અનુસાર નથી ચાલી રહી, તો તેઓ જુદા જુદા ખેલાડીઓને અજમાવી શકે છે.

આ પણ વાંચો : IPL 2022 : લીગમાં અત્યાર સુધી 2 થી વધુ સદી ફટકારનાર ખેલાડીઓ પર કરીએ એક નજર

આ પણ વાંચો : IPL 2022: ટીમોએ મુકેલો ભરોસો ઊંધો પડ્યો! જે ખેલાડીઓને જાળવી રાખ્યા હતા, હવે તે જ ટીમની તકલીફ બની રહ્યા છે

Follow Us
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
g clip-path="url(#clip0_868_265)">