IPL 2022: લખનઉ ફેન્ચાઇઝીએ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને પોતાની સાથે જોડ્યો, સોંપી નવી મહત્વની જવાબદારી
ગૌતમ ગંભીર (Gautam Gambhir) હાલમાં લોકસભાના સાંસદ છે. IPL માં તે 154 મેચ રમી ચૂક્યો છે અને કોલકાતાને 2 વાર ટાઇટલ અપાવ્યુ છે.
IPL 2022 ને લઇને તૈયારીઓ થવા લાગી છે. આ વખતની સિઝન પણ ખાસ બનનનારી છે, કારણ કે 8 ને બદલે 10 ટીમો ટૂર્નામેન્ટમાં હિસ્સો લઇ રહી છે. નવી બંને ફેન્ચાઇઝીઓ હાલમાં પોતાની ટીમને તૈયાર કરવાને લઇને કવાયત કરી રહી છે. આ માટે સપોર્ટ સ્ટાફ સહિત આગામી સપ્તાહ સુધીમાં ત્રણ ખેલાડીઓને નિશ્વિત કરી લેશે. આ પ્રક્રિયા હેઠળ લખનઉ (Lucknow Team) એ એક મોટુ નામ પોતાની સાથે જોડી લીધુ હોવાની ઘોષણા કરી દીધી છે. પૂર્વ ક્રિકેટર અને વર્તમાન સાંસદ ગૌતમ ગંભીર (Gautam Gambhir) ને લખનઉ ટીમના મેંટર તરીકેને જવાબદારી સોંપવામાં આવી છે.
ગંભીરની પહેલા જ ફેન્ચાઇઝીએ એન્ડી ફ્લાવરને કોચ તરીકે નિયૂક્ત કર્યા છે. જે ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન રહી ચુક્યા છે. આમ હવે લખનઉ ટીમ પોતાની સાથે બે મોટા નામને જોડી ચુકી છે. લખનઉ ફેન્ચાઇઝી ટીમને તૈયાર કરવાને લઇને હવે એક દમ એકટીવ મોડમાં જોવા મળી રહી છે. ટીમમાં ખેલાડીઓ અને શાનદાર સપોર્ટ સ્ટાફને જોડવા માટે નજર દોડાવવી શરુ કરી દીધી છે. તેની આ કસરતને લઇને હલચલ મચવા લાગી છે.
ગૌતમ ગંભીર હાલમાં ભારતીય જનતા પાર્ટી તરફ થી દિલ્હીથી સાંસદ સંભ્ય તરીકે ચુંટાયેલ છે. ગંભીર આઇપીએલમાં દિલ્હી અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ટીમ સાથે આ પહેલા જોડાયેલો હતો. તેની આગેવાનીમાં શાહરુખ ખાનની ટીમ 2 વાર આઇપીએલ ટાઇટલ વિજેતા રહી ચૂકી છે. તેણે નવી જવાબદારી મેળવવા સાથે જ ગોયન્કા ગ્રુપનો આભાર માન્યો છે કે, જેમણે તેને આઇપીએલમાં નવી જવાબદારી તેમની ટીમ માટે સોંપી છે. તેણે કહ્યુ હતુ કહ્યુ, તે જીત માટે હજુ પણ મેદાનમાં ઉતરવા ઇચ્છે છે. હું ઉત્તર પ્રદેશના યુવાનોને સાથ લઇને ચાલીશ એમ પણ કહ્યુ હતુ.
આઇપીએલમાં 154 મેચ રમી ચૂક્યો છે ગંભીર
વર્ષ 2011 દરમિયાન વિશ્વકપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો ગંભીર રહી ચૂક્યો છે. તેણે કોલકાતા ટીમની કેપ્ટનશિપ નિભાવી હતી અને દિલ્હીની ટીમ વતી પણ તે રમી ચૂક્યો છે. આઇપીએલમાં 154 મેચ રમવાનો તેને અનુભવ છે. જેમાં તેણે 4218 રન પણ પોતાના નામે નોંધાવ્યા હતા. લખનઉની ટીમને ગૌયન્કા ગ્રુપ દ્વારા 7 હજાર કરોડની બોલી વડે ખરીદવામાં આવી હતી જે સૌથી મોંઘી ટીમ રહી છે.