AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: એલિમિનેટર અને ફાઇનલ મેચ ગુજરાતના આ શહેરમાં રમાઇ શકે છે, BCCI એ કર્યું છે પ્લાનિંગ

BCCI ટુંક સમયમાં IPL 2022 પ્લેઓફના સ્થળોની જાહેરાત કરી શકે છે. પ્લે-ઓફ અને ફાઇનલની મેચની યજમાની 2 શહેરો કરવા માટે આતુર છે.

IPL 2022: એલિમિનેટર અને ફાઇનલ મેચ ગુજરાતના આ શહેરમાં રમાઇ શકે છે, BCCI એ કર્યું છે પ્લાનિંગ
Tata IPL 2022 (PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 6:09 PM
Share

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) હાલમાં મહારાષ્ટ્રમાં ચાર સ્ટેડિયમમાં આયોજિત થઈ રહ્યું છે. મુંબઈના ત્રણ સ્ટેડિયમ ઉપરાંત પુણેનું એક સ્ટેડિયમ આ લીગના ગ્રુપ સ્ટેજનું આયોજન કરી રહ્યું છે. આ મેચો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે જ્યારે પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પણ આયોજક છે. બીસીસીઆઈએ (BCCI) હજુ એ નથી જણાવ્યું કે લીગની પ્લેઓફ મેચો ક્યાં રમાશે. જો કે સ્પોર્ટ્સ રિપોર્ટ્સનું માનીએ તો BCCI લખનૌ અને અમદાવાદમાં પ્લેઓફ મેચો આયોજિત કરવાની યોજના બનાવી રહી છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે કે “લખનૌ અને અમદાવાદ આ વર્ષે જ આઈપીએલમાં આવ્યા હોવાથી, પ્લેઓફ મેચો ત્યાં યોજાય તો સારું રહેશે.”

આવું છે પ્લાનિંગ

અહેવાલ મુજબ, ક્વોલિફાયર અને પ્રથમ એલિમિનેટર લખનૌ શહેરમાં રમાશે. બીજી એલિમિનેટર અને ફાઈનલ મેચ અમદાવાદમાં રમાઈ શકે છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે, અમે થોડા દિવસો પહેલા આ અંગે ચર્ચા કરી હતી. કેટલાક અધિકારીઓ સમાન વિચાર ધરાવે છે અને અમે થોડા દિવસોમાં બેઠક કરીશું. જો બધું બરાબર રહ્યું તો તમે લખનૌ અને અમદાવાદમાં પ્લેઓફ મેચો જોઈ શકશો.

બાયો બબલમાં લીગ રમાઇ રહી છે

IPL 2022 નું આયોજન આ વખતે પણ બાયો બબલમાં કરવામાં આવી રહ્યું છે. ભારતની આ પ્રખ્યાત લીગ 2 વર્ષના અંતરાલ પછી સંપૂર્ણપણે ભારતમાં આયોજિત થઇ રહી છે. 2020 માં કોવિડને કારણે, આ લીગનું આયોજન સંયુક્ત આરબ અમીરાતમાં કરવામાં આવ્યું હતું. જ્યારે 2021 માં તે ભારતમાં આયોજિત કરવામાં આવી રહ્યું હતું, પણ અધવચ્ચે બાયો બબલમાં કોવિડના કેસ આવી જતા લીગને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ લીગની બાકીની મેચો યુએઈમાં યોજાઈ હતી.

આ વખતે લીગમાં 8 ને બદલે 10 ટીમે રમી રહી છે

આઈપીએલની વર્તમાન 15મી સિઝનમાં 8 ને બદલે 10 ટીમો ભાગ લઈ રહી છે. આ લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો પ્રથમ વખત રમી રહી છે. આ વખતે લીગના ફોર્મેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ વખતે કુલ 70 મેચ રમાશે. તમામ ટીમો તેમના ગ્રૂપની ટીમો સામે 2-2 મેચ રમશે. જ્યારે બીજા ગ્રૂપની એક ટીમ બે ગ્રૂપમાં તેમની સમાનતા સાથે બે મેચ રમશે અને બાકીની ટીમો સાથે એક-એક મેચ રમશે.

આ પણ વાંચો : IPL 2022માં લાચાર છેલ્લી સિઝનના સ્ટાર, પ્રથમ 3 મેચમાં મેદાન પર ઝીરો બન્યા

આ પણ વાંચો : IPL 2022 RR vs RCB live streaming: રાજસ્થાન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જામશે જંગ, ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી મેચ, જાણો અહીં

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">