AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ટીમ ઇન્ડિયાના 25 ખેલાડીઓએ ટૂર્નામેન્ટ પહેલા NCA માં થવુ પડશે હાજર, BCCI કર્યો આદેશ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેમની ફિટનેસને લઈને ગંભીર છે અને તેને ધ્યાનમાં રાખીને બોર્ડે ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા 25 ખેલાડીઓને IPL શરૂ થવા પહેલા નેશનલ ક્રિકેટ એકેડમી (National Cricket Academy) માં 10 દિવસના ફિટનેસ કેમ્પમાં ભાગ લેવા આદેશ કર્યો છે.

IPL 2022: ટીમ ઇન્ડિયાના 25 ખેલાડીઓએ ટૂર્નામેન્ટ પહેલા NCA માં થવુ પડશે હાજર, BCCI કર્યો આદેશ
Team India ના હાલમાં શ્રીલંકા સામે સિરીઝમાં નહી સામેલ ખેલાડીઓ NCA માં હાજર રહ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 9:21 AM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) સીઝન શરૂ થવામાં હવે થોડા દિવસો બાકી છે. ટુર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થશે અને ત્યારબાદ આગામી 65 દિવસ સુધી કુલ 74 મેચો રમાશે. આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં ભારતના ઘણા ક્રિકેટરો ભાગ લેશે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના મોટા ભાગના મોટા નામ સામેલ છે. આમાંના કેટલાક ખેલાડીઓ હાલમાં ટીમ સાથે નથી, પરંતુ છેલ્લી ODI-T20 શ્રેણીમાં ટીમનો ભાગ હતા અને તેમની સંબંધિત ફ્રેન્ચાઇઝીના મહત્વપૂર્ણ સભ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેમની ફિટનેસને લઈને ગંભીર છે અને તેને ધ્યાનમાં રાખીને બોર્ડે ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા 25 ખેલાડીઓને IPL શરૂ થવા પહેલા નેશનલ ક્રિકેટ એકેડમી (National Cricket Academy) માં 10 દિવસના ફિટનેસ કેમ્પમાં ભાગ લેવા આદેશ કર્યો છે.

રિપોર્ટ અનુસાર, બોર્ડની સિનિયર સિલેક્શન કમિટીના સૂચનને પગલે BCCIએ તે તમામ ખેલાડીઓને કહ્યું છે જેઓ હાલમાં ટીમ ઈન્ડિયા સાથેની ટેસ્ટ સિરીઝનો ભાગ નથી તેઓને NCA પહોંચવા માટે કહ્યું છે. આમાં તે તમામ ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ તાજેતરના સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમ્યા છે અને કેટલાક એવા પણ છે જેઓ હાલમાં બોર્ડના કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓ નથી. તાજેતરના સમયમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ફિટનેસની સમસ્યાને કારણે અલગ-અલગ શ્રેણી પહેલા અથવા દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે.

આ ખેલાડીઓ ફિટનેસ કેમ્પનો ભાગ છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડે તમામ ખેલાડીઓને 4 માર્ચ સુધીમાં બેંગલુરુમાં NCA પહોંચવાનો આદેશ આપ્યો હતો અને આ ફિટનેસ કેમ્પ 5 માર્ચથી શરૂ થઈ ગયો છે. બીસીસીઆઈના એક સૂત્રએ આ અંગે જણાવ્યું કે 25 ખેલાડીઓને NCAમાં બોલાવવામાં આવ્યા છે, જ્યાં NCA સ્ટાફ IPLની બે મહિના લાંબી મુશ્કેલ ટૂર્નામેન્ટ પહેલા ખેલાડીઓની ફિટનેસ સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને આ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એનસીએ પાસે પહેલાથી જ કેએલ રાહુલ, દીપક ચહર, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ છે જેઓ પાછળના થોડાક સમય દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા.

આ સિવાય યુઝવેન્દ્ર ચહલ, શિખર ધવન, સંજુ સેમસન, ભુવનેશ્વર કુમાર, દીપક હુડ્ડા, શાર્દુલ ઠાકુર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન જેવા ખેલાડીઓને પણ પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન અજિંક્ય રહાણે, મનીષ પાંડે, પૃથ્વી શૉ જેવા ઘણા ખેલાડીઓ હાલમાં રણજી ટ્રોફીમાં રમી રહ્યા છે અને તેમને ગ્રુપ રાઉન્ડ સમાપ્ત થયા પછી સીધા NCA પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. રણજી ટ્રોફીના ગ્રુપ સ્ટેજની મેચો રવિવાર, 6 માર્ચના રોજ સમાપ્ત થઈ હતી.

આ પણ વાંચોઃ Basketball: રશિયામાં અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડીની ધરપકડ, ઓલિમ્પિક ચેમ્પિયનને માદક પદાર્થ રાખવાના ગુન્હામાં કાર્યવાહી

આ પણ વાંચોઃ IND vs SL: અક્ષર પટેલ બીજી ટેસ્ટમાં અક્ષર પટેલની થશે એન્ટ્રી! ગત વર્ષે ડે નાઇટ ટેસ્ટમાં મચાવી દીધી હતી ધૂમ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">