AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction: શું છે KKRની રણનીતિ? ટીમને કયા પ્રકારના ખેલાડીઓની જરૂર છે? કોચ ભરત અરુણે કર્યો ખુલાસો

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) છેલ્લી IPL સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગયા હતા.

IPL 2022 Auction: શું છે KKRની રણનીતિ? ટીમને કયા પ્રકારના ખેલાડીઓની જરૂર છે? કોચ ભરત અરુણે કર્યો ખુલાસો
Kolkata Knight Riders ટીમ ફાઇનલમાં પહોંચી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 11:16 PM
Share

કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ગત આઈપીએલ સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી. ટીમને ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતાની સફળતાનું મોટું કારણ ટીમની સ્પિન બોલિંગ હતી. તેમ છતાં, ટીમ ચેન્નાઈને રોકવામાં નિષ્ફળ રહી અને KKR નવી સિઝનમાં અંતિમ અવરોધને પાર કરવા માટે તૈયાર છે, જેના માટે ફ્રેન્ચાઇઝીએ ટીમ ઈન્ડિયા સાથે સફળ કાર્યકાળ પૂર્ણ કરનાર ભરત અરુણ (Bharat Arun) ને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે નવા બોલિંગ કોચે પોતાની રણનીતિ વિશે પણ જણાવ્યું છે, જેની શરૂઆત 12 અને 13 ફેબ્રુઆરીએ થનારી મોટી હરાજીથી થશે. ભરતે કહ્યું છે કે ફ્રેન્ચાઇઝી હરાજીમાં (IPL 2022 Auction) એવા ખેલાડીઓને પસંદ કરવાનો પ્રયાસ કરશે જે તમામ શરતોને અનુરૂપ બની શકે.

ટીમ ઈન્ડિયાની બોલિંગને મજબૂત કર્યા બાદ ભરત અરુણ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ જ જવાબદારી નિભાવતો જોવા મળશે. તેમને કેટલી સફળતા મળશે, તે હરાજીમાં પસંદ કરાયેલા ખેલાડીઓ પર પણ નિર્ભર કરે છે. ‘KKR.in’ સાથેની વાતચીતમાં અરુણે આ વિશે કહ્યું, “તમારે એવા ખેલાડીઓની પસંદગી કરવાની જરૂર છે જે વિવિધ પરિસ્થિતિઓમાં એડજસ્ટ થઈ શકે. રોગચાળા પહેલા પણ, જ્યારે તમે તમારી ઘરેલુ પરિસ્થિતિઓ માટે બોલરો પસંદ કરતા હતા, ત્યારે તેઓએ વિરોધી ટીમ સામે આઈપીએલમાં સાત મેચ રમવાની હતી.

મોટા ખેલાડીઓને જોવાને કારણે સારી જાણકારી

અરુણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા સાથે લાંબો સમય વિતાવ્યો છે અને તે માને છે કે તે આ અનુભવનો KKR માટે ઉપયોગ કરી શકશે. ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું, “વિશ્વના મોટા ખેલાડીઓને નજીકથી જોઈને, તમારી પાસે ઘણી માહિતી છે કે તેઓ શું કરી શકે છે. આ તમને તૈયાર કરવામાં અને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે અને તમે મેચ દરમિયાન વધુ અસરકારક રીતે આયોજન કરી શકો છો.

KKR પાસે ઘણું બજેટ છે

કોલકાતાએ બે વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ગત સિઝનમાં પ્રથમ વખત કોલકત્તાને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે નવી સિઝન માટે ટીમ શરૂઆતથી જ મજબૂત ટીમ બનાવવાની આશા રાખશે. KKR એ અગાઉની ટીમમાંથી ચાર ખેલાડીઓ લીધા, આન્દ્રે રસેલ (12 કરોડ), સુનીલ નારાયણ (6 કરોડ), વેંકટેશ ઐયર (8 કરોડ) અને વરુણ ચક્રવર્તી (8 કરોડ)ને રિટેન કર્યા હતા. શાહરૂખ ખાનની ટીમ પાસે મોટી હરાજીમાં 21 ખેલાડીઓની ખરીદી માટે 48 કરોડ રૂપિયા બાકી છે.

આ પણ વાંચોઃ IPL 2022: વધતી ઉંમરે પણ એ જ દમ ! મેગા ઓક્શનમાં સામેલ આ 5 ખેલાડીઓને ‘ઘરડાં’ ના સમજતા!

આ પણ વાંચોઃ IND vs SL: શ્રીલંકાનો આ ઝડપી બોલર ભારત પ્રવાસ બાદ નિવૃત્ત થવાનુ કર્યુ એલાન, ટીમ ઇન્ડિયા સામે કર્યુ હતુ ડેબ્યૂ

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">