IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદની ટૂર્નામેન્ટમાં પ્રથમ વાર કંગાળ હાલત, સતત ચોથી હાર બાદ પ્લેઓફના દરવાજા બંધ!

|

Sep 23, 2021 | 9:22 AM

સનરાઇઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) બુધવારે બીજા તબક્કામાં પોતાની પ્રથમ મેચ રમી હતી. તેને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામેની આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદની ટૂર્નામેન્ટમાં પ્રથમ વાર કંગાળ હાલત, સતત ચોથી હાર બાદ પ્લેઓફના દરવાજા બંધ!
Sunrisers Hyderabad

Follow us on

IPL 2021 માં, સનરાઈઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) બુધવારે બીજા તબક્કામાં પોતાની સફર શરૂ કરી હતી. તેણે પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) નો સામનો કર્યો હતો, જ્યાં તેઓએ હાર મેળવી હતી. આ સાથે જ તેમનુ નિરાશાજનક પ્રદર્શન જારી રહ્યુ હતુ, IPL ની વર્તમાન સિઝનમાં પણ ચાલુ રહી હતી. બીજી બાજુ, દિલ્હી કેપિટલ્સે IPL 2021 માં 7 મી જીત નોંધાવી હતી. તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

આ હાર સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય બની ગયું છે. દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 9 વિકેટે 134 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 17.5 ઓવરમાં બે વિકેટે 139 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શિખર ધવને 42, શ્રેયસ અય્યરે અણનમ 47 અને કેપ્ટન રિષભ પંતે અણનમ 35 રન બનાવ્યા હતા. પૃથ્વી શો 11 રન બનાવી આઉટ થયો હતો.

હાર બાદ ટીમના કેપ્ટન વિલિયમ્સને કહ્યું, અમને જે શરૂઆત મળવી જોઈએ તે મળી નથી. અંતે થોડી સારી બેટિંગ કરી હતી. પરંતુ અમે 25-30 રનથી પાછળ રહી ગયા. તે શરમજનક છે પરંતુ અમારે આગળ વધુ સારું કરવું પડશે. દિલ્હીના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને અમને દબાણ હેઠળ રાખ્યા. આજનો દિવસ અમારો નહોતો. અમારે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને આગળ વધવું પડશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

સનરાઇઝર્સ હૈદરાબાદને સતત ચોથી હાર મળી

આઇપીએલના ઇતિહાસમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ એક ટીમ એવી ટીમ તરીકે ઓળખવામાં આવે છે, જેનું પ્રદર્શન હંમેશા નિયમિત રહ્યું છે. જોકે આ વખતે ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. બુધવારે આ ટીમને લીગમાં સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રથમ વખત છે જ્યારે ટીમ સતત ચાર મેચ હારી છે.

હૈદરાબાદ અત્યાર સુધી આઠ મેચ રમી ચૂક્યું છે. આ 8 માંથી તેણે માત્ર એક જ મેચ જીતી છે. તે પોઈન્ટ ટેબલમાં બે પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે. અગાઉ 2009 માં KKR, 2010 માં પંજાબ કિંગ્સ, 2013 માં દિલ્હી કેપિટલ્સ અને 2019 માં RCB પ્રથમ 8 મેચમાંથી 7 મેચ હારી ગયા હતા.

સ્ટાર ખેલાડીઓની અછત

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આ વખતે ડેવિડ વોર્નરની જગ્યાએ, કિવિ બેટ્સમેન કેન વિલિયમસનને પોતાના કેપ્ટન તરીકે પસંદ કર્યો હતો. આ દરમ્યાવ લીગની મધ્યમાં, તેણે તેના સ્ટાર ખેલાડી વોર્નરને ટીમમાંથી બહાર કરી દીધો હતો. આનો ભોગ તેઓએ સહન કરવો પડશે. બીજા તબક્કામાં આ ટીમ માટે મુશ્કેલીઓ વધી છે. તેમના વિસ્ફોટક બેટ્સમેન જોની બેયરિસ્ટોએ અંગત કારણોસર લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ટીમમાં સ્ટાર ખેલાડીઓની અછતની અસર તેના પ્રદર્શન પર પણ જોવા મળી હતી.

 

આ પણ વાંચોઃ IPL 2021: ગબ્બરનુ પ્રદર્શન લગાતાર, દરેક સિઝને ખડકી દે છે રનનો અંબાર, સતત પાંચમી વાર આ આંકડાને પાર કર્યો

આ પણ વાંચોઃ IPL 2021 Orange Cap: ઓરેન્જ કેપની રેસમાં ગબ્બર ફરી નંબર-1, કેએલ રાહુલ પણ આપી રહ્યો છે ટક્કર

Next Article