AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: આગામી સિઝન ધોની રમશે કે નહી ? ચેમ્પિયન બન્યા બાદ ઇશારા ઇશારામાં કહી આ વાત

શું 40 વર્ષની ઉંમર વટાવી ચૂકેલો ધોની IPL ની આગામી સિઝનમાં રમશે? ચાહકોને લગતા આ સવાલ અંગે ધોની (Dhoni) એ એક મોટો ઇશારો કર્યો છે.

IPL 2021: આગામી સિઝન ધોની રમશે કે નહી ? ચેમ્પિયન બન્યા બાદ ઇશારા ઇશારામાં કહી આ વાત
MS Dhoni
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 9:02 AM
Share

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) IPL ની નવી ચેમ્પિયન બની છે. તેણે આઈપીએલ 2021 નો ખિતાબ જીત્યો છે. CSK એ ચોથી વખત આ ખિતાબ જીત્યો છે. આ રીતે તેણે ટુર્નામેન્ટની બીજી સૌથી સફળ ટીમનો ટેગ પોતાની સાથે રાખ્યો છે. ચેન્નાઈની આ બધી સફળતા પાછળ એક જ નામ છે – મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni),જે વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે ચેન્નાઈ સુપર કિંગ્સને પસંદ કરવાનું એક મોટું કારણ પણ છે.

ચોથી વખત CSK ને ચેમ્પિયન બનાવ્યા બાદ ધોની IPL જીતનાર સૌથી વૃદ્ધ કેપ્ટન પણ બની ગયો છે. આવી સ્થિતિમાં, હવે દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું 40 વર્ષની ઉંમર વટાવી ચૂકેલો ધોની IPL ની આગામી સિઝન રમશે? ચાહકોને લગતા આ સવાલ અંગે ધોની (Dhoni) એ એક મોટો ઇશારો કર્યો છે.

દુબઈમાં KKR સામે 27 રને અંતિમ મેચ જીત્યા બાદ, ધોનીએ જે કહ્યું તેના તાર સીધા ચાહકો સાથે જોડાય છે. એમએસ ધોનીએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં છેલ્લા શબ્દો એવા હતા, જે તેમના ચાહકો સાંભળવા માંગતા હતા. જોકે ધોનીના આ કહેવાથી ચિત્ર સ્પષ્ટ નથી, પરંતુ આગામી સિઝનમાં તેના રમવાના કે નહીં રમવાના ચોક્કસ સંકેત છે.

આગામી સિઝનમાં રમવા અંગે ધોનીનો મોટો સંકેત

બન્યું એમ કે CSK એ ચોથી વાર IPL ટાઇટલ જીત્યા પછી, પ્રેઝન્ટેટર હર્ષા ભોગલેએ એમએસ ધોનીને મોટા સવાલનો જવાબ આપવા માટે પુશ કર્યું, જેનો જવાબ દરેક વ્યક્તિ જાણવા માંગે છે. ભોગલે એ વાતો વાતોમાં ધોનીને કહ્યું, ધોની, તમે જે વારસો છોડી જઇ રહ્યા છો તેના પર દરેકને ગર્વ થશે? આ પર ધોનીએ હસતા હસતા કહ્યું- હું અત્યારે મારો કોઈ વારસો છોડવાનો નથી.

આવી રહી હતી મેચ

આઈપીએલ 2021 ની ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ રમતા 20 ઓવરમાં 3 વિકેટે 192 રન બનાવ્યા હતા. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતા KKR મજબૂત શરૂઆત કરી હતી. પરંતુ, ઓપનિંગ જોડીના વિરામ બાદ ટીમના મધ્યમ ક્રમના બેટ્સમેનો પત્તાની જેમ વેરવિખેર થઈ ગયા હતા. કોલકાતા નાઇટ રાઇડર્સ 20 ઓવરમાં 9 વિકેટે 165 રન જ બનાવી શકી હતી. ફાફ ડુ પ્લેસિસ KKR સામે CSK ની જીતનો હીરો બન્યો હતો. જેણે 59 બોલમાં 86 રન બનાવ્યા હતા. ફાઇનલમાં ડુ પ્લેસિસને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

આ પણ વાંચોઃ Asia Cup: ટીમ ઇન્ડીયા પાકિસ્તાનનો ખેડશે પ્રવાસ, એશિયન ક્રિકેટ કાઉન્સીલના અધ્યક્ષ જય શાહે ભરી હા!

આ પણ વાંચોઃ IPL 2021: સિઝનમાં આ ભારતીય દિગ્ગજોએ કડવા ઘૂંટડા પીધા, એક સમયે ધમાલ મચાવતા મોટા નામ છતાં આ સ્થિતીમાં જોવા મળ્યા હતા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">